સુરતઃ શહેરમાં હરિધામ સોખડાના વિવાદ મામલે પ્રેમ સ્વામિના ભક્તોને મારી નાખવાની ધમકીઓ આપવામાં (Haridham Sokhada controversy)આવી છે. પ્રમોદ સ્વામી જૂથ હિંસાના માર્ગે જઈ રહી હોય એમ લાગી રહ્યું છે. કારણકે પ્રમોદ સ્વામીના ભક્તો દ્વારા જ પ્રેમ સ્વામિના ભક્તોના ઘરે ઘરે જઈ તેમને ધમકીઓ આપવામાં આવે છે જેને પ્રેમ સ્વામિના મોટી સંખ્યામાં એકઠા થઇ પોલીસ કમિશનરને(Surat Police Commissioner) આ અંગે રજુઆત કરી છે.
પ્રેમ સ્વામીજી જેઓ સ્વામીજીના સ્વધામ ગયા પછી સેવામાં આવ્યા - હું 29 વર્ષથી યોગીન દિવાઈન સોસાયટી સાથે સંકળાયેલો છું. હરિ પ્રસાદ સ્વામીએ મને અમ્રિસ કાર્યકર્તા તરીકે સેવા આપી છે. આ વિવાદમાં (Sokhada Haridham Temple )એવું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં હરિધામ સોખડાની અંદર હરિપ્રસાદ સ્વામી જેમણે પોતાની સેવા 2018ની અંદર આપીને ગયા હતા. એવા પ્રેમ સ્વામીજી જેઓ સ્વામીજીના સ્વધામ ગયા પછી સેવામાં આવ્યા છે. એના પછી પ્રમોદ સ્વામીજી એમાં એક જૂથ એવુ છે કે, ગુણાંનંદ સ્વામિના અવતાર પુરુષ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યું છે. એ ગ્રુપ સતત વિવાદ કરી રહી હોય એમ લાગી રહ્યું છે.
પીડીએફ વાયરલ કરવામાં આવી - વધુમાં જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં વિવાદ એવીરીતે શરૂ થયું છે કે, અઠવાડિયા દસ દિવસ પહેલા એક પીડીએફ વાયરલ કરવામાં આવી. જેમાં હરીપ્રસાદ સ્વામીના દીક્ષા પામેલા એક સ્વામી છે તેમનાં વિશે ન લખવાનું હોય એવું લખવામાં આવ્યું. અમને એવું લાગી રહ્યું છે કે આ પીડીએફ એમનાજ કોઈ જૂથ દ્વારા લખવામાં આવ્યું છે. આવા વિવાદ વાળા ન લખવાનું હોય તેવું લખે તો ખરેખર પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તપાસનો મુદ્દો હાથ ધરવામાં આવે પરંતુ આવું કશું જ કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ વડોદરાના હરિધામમાં મારામારીના વિવાદ બાદ પ્રથમ વખત સંતો સામે આવ્યા
ભક્તોએ ઘરે ઘરે જઈ ધમકી આપી - 15 થી 20 લોકોએ તેમને ધાક ધમક આપી મારી નાખવા સુધીની વાતો કહેવામાં આવી છે. અમારા એક કાર્યકર્તા પ્રવીણ વાઘેલા ઘરે આ જૂથ ગયું હતું. ત્યાંએમની પાસે એમ પત્ર લખવામાં આવ્યો જે સર્વમંગલ સ્વામી છે તેઓ પવિત્ર છે. તો અમારો પ્રશ્ન એ છે કે આ સર્વમંગલ સ્વામી જેઓ ખરેખર અર્થમાં સાધુ છે. તો અમે એનો સ્વીકાર પણ કરીએ છીએ. પરંતુ એમની માટે પણ જો કોઈ ખોટી પીડીએફ નાખવામાં આવી હોય તો તેમને પણ પોલીસ ફરિયાદ કરવી જોઈએ. પરંતુ તેમના ભક્તોએ ઘરે ઘરે જઈ ધમકી આપી હતી. ધમકી આપવાના કારણે જ આ સાબિત થઇ રહી છે કે, તેમના જ કોઈ ભક્ત દ્વારા આ પીડીએફ ફાઈલ વાયરલ કરવામાં આવી છે.
પોલીસ કમિશનરને કરી રજૂઆત કરી - વધુમાં જણાવ્યુ કે આ સર્વમંગલ સ્વામી એ એક મહિના પહેલા સુરતમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું સુલેમાની બની જાઉં તો પણ તમારે શું લેવા દેવા આવી રીતે ઘણી વખત તેમણે સ્ટેટમેન્ટ આપ્યું છે. પરંતુ તેઓ હિંદુ સંસ્કૃતિની વિશે આવા સ્ટેટમેન્ટ આપે છે. તેને કારણે પણ ઘણી વખત વિવાદ થયો છે. તેમ છતાં અમે તેમનો સ્વીકાર કરવા તૈયાર છીએ. પરંતુ તેમને પોલીસ ફરિયાદ આપી આ વાતનો અંત લાવવો જોઈએ. તેમના કાર્યકર્તાઓ પ્રેમ સ્વામીના ભક્તોને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેને લઈને અમે પોલીસ કમિશનરને કરી રજૂઆત કરવા આવ્યા છીએ.
આ પણ વાંચોઃ Haridham Sokhada controversy: હરિધામ સોખડા મંદિરનાં બે જૂથ વચ્ચે કલેક્ટર કચેરીમાં ભારે બબાલ