સુરત: શહેરના ગ્રીષ્મા હત્યા કેસ મામલે(Grishma Vekariya Murder Case) સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં આરોપી ફેનિલ ગોયાણીનો કેસ (Fenil Goyani case)ચાલી રહ્યો છે. જેને લઈને આરોપીને આજે ફરી પછી કોર્ટમાં (Fasttrack Court of Surat)રાજુ કરી હવે આજથી પંચોની જુબાની લેવામાં આવશે. આ પેહલા આ કેસમાં ગત સોમવારના રોજ ગ્રીષ્માંનું પોસ્ટમોર્ટમ કરનારની ડૉક્ટર જુબાની અને આરોપી તેને પોતાના હાથમાં મારેલા ચાકુના ઘા અને તેની સારવાર કરનાર ડૉક્ટરની પણ જુબાની લેવામાં આવી હતી. આજે ત્યાર બાદ કોર્ટ દ્વારા આજની તારીખ આપવામાં આવી હતી.
આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં લાવામાં આવ્યો
ગ્રીષ્મા હત્યા કેસ મામલે સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હવે આજથી આ કેસમાં પંચોની જુબાની લેવામાં આવશે. કોઈ અનીચ્છનીય ઘટના ના બંને તે માટે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. તે મામલે આરોપી ફેનિલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાવામાં આવ્યો. હવે પંચોની જુબાની લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Grishma Murder Case: ગ્રિષ્માની હત્યા કરવા આરોપી ફેનિલે ફુલપ્રૂફ પ્લાનિંગ કર્યું હતું
આરોપી તરફી વકીલ દ્વારા ઘણી દલીલો
હત્યા કેસ મામલે સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તે મામલે ગત સોમવારના રોજ ગ્રીષ્માંનું પોસ્ટમોર્ટમ કરનારની ડૉક્ટર જુબાની અને આરોપી તેને પોતાના હાથમાં મારેલા ચાકુના ઘા અને તેની સારવાર કરનાર ડૉક્ટરની પણ જુબાની લેવામાં આવી હતી. તે વખતે આરોપી તરફે વકીલે એવી દલીલો કરી હતીકે આરોપી માનસિકતા બીમારીથી પીડાઈ રહ્યો છે. જેને કારણે તેણે આ હત્યા કરી હતી. ત્યારે આરોપીને જજે પોતાના ચેમ્બરમાં બોલાવી કેટલા સવાલો કર્યા હતા. ત્યાર બાદ તેમણે જોયુકે આ ખાલી કેસમાં ટ્રાયલમાં વાર લાગે જેનાથી આરોપીની માનસિકતા બરોબર છે.
આ પણ વાંચોઃ Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો