ETV Bharat / state

બારડોલીમાં વરસાદે તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો કર્યો

સુરતઃ બારડોલીમાં વરસી રહેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ છતી કરી છે. સુરતના બારડોલીમાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નગરમાં અનેક જગ્યાએ ભૂવાઓ પડયા હતા. સ્ટેશન રોડ પર બે ભુવામાં કાર ફસાઈ હતી. હાલમાં જ નવા બનેલા લીનીયર બસ સ્ટોપના પ્રવેશદ્વાર પાસે જ મોટો ભુવો પડ્યો છે. પાણી ભરાઈ જવાથી ભુવો દેખાતો નથી અને મુસાફરો તેમજ અહીંથી પસાર થતી બસ પણ ભુવામાં ગરકાવ થઇ જાય છે.

author img

By

Published : Jul 7, 2019, 3:20 AM IST

બારડોલીમાં વરસાદે તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો કર્યો

બારડોલીમાં 3 કરોડના ખર્ચે અદ્યતન બનેલ લીનીયર બસસ્ટેન્ડનું લોકાર્પણ 15 દિવસ અગાઉ જ રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બસસ્ટેન્ડના મુખ્યમાર્ગ પર બનાવવામાં આવેલા સી.સી. રોડમાં તિરાડ પડી હતી. ઉપરાંત માર્ગ પર મસમોટા ભુવાઓ પણ પડ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજુ વરસાદની શરૂઆત જ થઈ છે. ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો સિઝનના વરસાદમાં લીનીયર બસસ્ટેન્ડના રસ્તાની હાલત શુ થશે?

બારડોલીમાં વરસાદે તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો કર્યો

લોકાપર્ણના 15 દિવસમાં જ ખાડા પડી જતા તકલાદી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. બસસ્ટેન્ડની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપ્યુ હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે તેવુ જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. લોકોએ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માગ કરી છે.

બારડોલીમાં 3 કરોડના ખર્ચે અદ્યતન બનેલ લીનીયર બસસ્ટેન્ડનું લોકાર્પણ 15 દિવસ અગાઉ જ રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બસસ્ટેન્ડના મુખ્યમાર્ગ પર બનાવવામાં આવેલા સી.સી. રોડમાં તિરાડ પડી હતી. ઉપરાંત માર્ગ પર મસમોટા ભુવાઓ પણ પડ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજુ વરસાદની શરૂઆત જ થઈ છે. ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો સિઝનના વરસાદમાં લીનીયર બસસ્ટેન્ડના રસ્તાની હાલત શુ થશે?

બારડોલીમાં વરસાદે તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો કર્યો

લોકાપર્ણના 15 દિવસમાં જ ખાડા પડી જતા તકલાદી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. બસસ્ટેન્ડની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપ્યુ હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે તેવુ જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. લોકોએ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માગ કરી છે.

Intro:બે દિવસ થી સુરત જિલ્લા માં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે બારડોલી પંથક પણ બાકાત નથી. આજે પણ વહેલી સવાર થી વરસાદી માહોલ છે. ત્યારે બારડોલી નગર માં અનેક જગ્યા એ ભૂવાઓ પડવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગત રોજ સ્ટેશન રોડ પર બે ભુવા માં કાર ફસાઈ હતી. તો બીજી બાજુ હાલ માજ નવું બનેલ લીનીયર બસ સ્ટોપ માં ભુવો જોવા મળ્યો હતો. બસ સ્ટોપ માં પ્રવેશતાજ મોટો ભુવો પડ્યો છે. અને પાણી ભરાઈ જવાથી ભુવો દેખાતો નથી અને મુસાફરો તેમજ અહીં થી પસાર થતી બસ પણ ભુવા માં ખાબકે છે. નવાજ બનેલ બસ સ્ટોપ માં ભુવા પડતા કામગીરી સામે પણ આશંકા ઉભી થઇ હતી....


Body:
બારડોલીમાં 3 કરોડના ખર્ચે અદ્યતન બનેલ લીનીયર બસસ્ટેન્ડનું લોકાર્પણ 15 દિવસ અગાઉ જ રાજયના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ બનેલા આ બસસ્ટેન્ડના મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલા સી સી રોડમાં તિરાડ પડી જવા પામી છે તેમજ મસ મોટા ભુવાઓ પણ પડવા પામ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે હજુ વરસાદ ની શરૂઆત જ થવા પામી છે ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો સિઝનના વરસાદમાં લીનીયર બસસ્ટેન્ડના રસ્તા ની હાલત શુ થશે.....Conclusion:બારડોલી લીનીયર બસસ્ટેન્ડને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા ને થોડા દિવસોમાંજ સી.સી રોડમાં તિરાડ તેમજ ખાડા પડી જતા તકલાદી કામગીરી ની પોળ ખુલ્લી પડી જવા પામી છે બસસ્ટેન્ડની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપતા આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એક બાબત સાબિત થઈ જવા પામી છે કે પ્રજાના પૈસાનું નિકંદન કાઢવામાં જેટલો જવાબદાર કોન્ટ્રાકટર છે તેટલુંજ જ જવાબદાર જે તે તંત્ર છે .....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.