ETV Bharat / bharat

કેન્દ્ર સરકારે મણિપુરમાં લાદ્યું રાષ્ટ્રપતિ શાસન, બિરેન સિંહના રાજીનામા બાદ પગલાં લીધાં - PRESIDENT RULE IMPOSED IN MANIPUR

મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે મણિપુરમાં લાદ્યું રાષ્ટ્રપતિ શાસન
કેન્દ્ર સરકારે મણિપુરમાં લાદ્યું રાષ્ટ્રપતિ શાસન ((ANI))
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2025, 8:17 PM IST

નવી દિલ્હી: મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાની અંતિમ તારીખ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી, જેણે રાજકીય અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો હતો.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી મણિપુરની તમામ વહીવટી અને સરકારી સત્તાઓ કેન્દ્ર સરકારના હાથમાં આવી ગઈ છે. આ સાથે કેન્દ્ર સરકાર રાજ્યપાલના માધ્યમથી રાજ્ય પર શાસન કરશે અને તેમાં કોઈ મુખ્યમંત્રી કે કેબિનેટ નહીં હોય.

બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું: તમને જણાવી દઈએ કે 9 ફેબ્રુઆરીના રોજ એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. બિરેન સિંહે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું, "અત્યાર સુધી મણિપુરની જનતાની સેવા કરવી એ સન્માનની વાત છે. હું કેન્દ્ર સરકારનો ખૂબ આભારી છું. તેઓએ સમયસર પગલાં લીધા, મદદ કરી અને વિકાસ કાર્યો કર્યા. બિરેન સિંહે એમ પણ લખ્યું કે તેઓ દરેક મણિપુરીઓના હિતોની રક્ષા માટે ઘણા પ્રોજેક્ટ પણ ચલાવ્યા. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે આ રીતે કામ કરવાનું ચાલુ રાખે."

મણિપુર જ્ઞાતિની હિંસા સામે લડી રહ્યું હતું: ઉલ્લેખનીય છે કે, મણિપુર લાંબા સમયથી જાતિય હિંસા સામે ઝઝૂમી રહ્યું હતું. રાજ્યમાં વારંવાર હિંસા અને અશાંતિ જોવા મળી હતી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. બિરેન સિંહ લાંબા સમયથી મણિપુરમાં બગડતી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ફોરેન્સિક લેબને લીક થયેલી ઓડિયો ટેપ પર રિપોર્ટ કરવા માટે નિર્દેશ આપ્યા બાદ તેમનું રાજીનામું આવ્યું, જેમાં સિંહને કથિત રીતે એવું કહેતા સાંભળવામાં આવે છે કે રાજ્યમાં જાતિ હિંસા તેમની વિનંતી પર ઉશ્કેરવામાં આવી હતી. આ અંગે વિપક્ષી દળોએ ભાજપ પર આરોપ લગાવ્યો કે પોતાની સરકારને પડતી બચાવવા માટે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના ડરથી સિંહને મોડેથી પદ પરથી હટાવવામાં આવ્યા.

આ પણ વાંચો:

  1. 'સાચી મણિપુર ફાઇલ્સ ક્યારે વાંચશો? પીએમ મોદીએ જોઇ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ, પ્રિયાંક ખડગે એ માર્યો ટોણો
  2. NIAએ ગૃહ મંત્રાલયના નિર્દેશ પર મણિપુર હિંસા કેસની તપાસ શરૂ કરી

નવી દિલ્હી: મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાની અંતિમ તારીખ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી, જેણે રાજકીય અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો હતો.

રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી મણિપુરની તમામ વહીવટી અને સરકારી સત્તાઓ કેન્દ્ર સરકારના હાથમાં આવી ગઈ છે. આ સાથે કેન્દ્ર સરકાર રાજ્યપાલના માધ્યમથી રાજ્ય પર શાસન કરશે અને તેમાં કોઈ મુખ્યમંત્રી કે કેબિનેટ નહીં હોય.

બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું: તમને જણાવી દઈએ કે 9 ફેબ્રુઆરીના રોજ એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. બિરેન સિંહે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું, "અત્યાર સુધી મણિપુરની જનતાની સેવા કરવી એ સન્માનની વાત છે. હું કેન્દ્ર સરકારનો ખૂબ આભારી છું. તેઓએ સમયસર પગલાં લીધા, મદદ કરી અને વિકાસ કાર્યો કર્યા. બિરેન સિંહે એમ પણ લખ્યું કે તેઓ દરેક મણિપુરીઓના હિતોની રક્ષા માટે ઘણા પ્રોજેક્ટ પણ ચલાવ્યા. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે આ રીતે કામ કરવાનું ચાલુ રાખે."

મણિપુર જ્ઞાતિની હિંસા સામે લડી રહ્યું હતું: ઉલ્લેખનીય છે કે, મણિપુર લાંબા સમયથી જાતિય હિંસા સામે ઝઝૂમી રહ્યું હતું. રાજ્યમાં વારંવાર હિંસા અને અશાંતિ જોવા મળી હતી. જેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. બિરેન સિંહ લાંબા સમયથી મણિપુરમાં બગડતી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ ફોરેન્સિક લેબને લીક થયેલી ઓડિયો ટેપ પર રિપોર્ટ કરવા માટે નિર્દેશ આપ્યા બાદ તેમનું રાજીનામું આવ્યું, જેમાં સિંહને કથિત રીતે એવું કહેતા સાંભળવામાં આવે છે કે રાજ્યમાં જાતિ હિંસા તેમની વિનંતી પર ઉશ્કેરવામાં આવી હતી. આ અંગે વિપક્ષી દળોએ ભાજપ પર આરોપ લગાવ્યો કે પોતાની સરકારને પડતી બચાવવા માટે સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના ડરથી સિંહને મોડેથી પદ પરથી હટાવવામાં આવ્યા.

આ પણ વાંચો:

  1. 'સાચી મણિપુર ફાઇલ્સ ક્યારે વાંચશો? પીએમ મોદીએ જોઇ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ, પ્રિયાંક ખડગે એ માર્યો ટોણો
  2. NIAએ ગૃહ મંત્રાલયના નિર્દેશ પર મણિપુર હિંસા કેસની તપાસ શરૂ કરી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.