ETV Bharat / state

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપે છે સુરતના પ્રોફેસર, જાણો શું છે વળી આ સજા.....

author img

By

Published : Aug 22, 2019, 11:26 PM IST

સુરત: શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરેલ ભૂલને દક્ષિણ ગુજરાતના પ્રોફેસર અનોખી રીતે સજા આપે છે. પર્યાવરણને આજના સમયને અનુલક્ષીને ઘણું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સારી વિચારધારા સાથે વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસર અનોખી સજા કરે છે. જો કોઇ વિદ્યાર્થી ભૂલ કરે તો એ વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસમાં એક છોડ રોપવાનો અને જ્યાં સુધી તે ભણે ત્યાં સુધી તે છોડની માવજત પણ કરવાની.

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપીને સુરતના પ્રોફેસર કરે છે પુણ્યનું કામ, જાણો શું છે વળી આ સજા.....

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે છે. અહીં અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે, પણ સજાના ભાગરૂપે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અહીં છોડ વાવે છે. એટલુ જ નહિં તેની માવજાત કરવાની પણ સજા તેમને આપવામાં આવે છે.

આ અનોખી સજા વિશે તમે સાંભળીને અચરજ થશે પણ આ વાત સાચી છે. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મહેશ પટેલ પોતાના વિદ્યાર્થીઓને ભણાવાની સાથે છે પર્યાવરણની જાગૃતતા વિશે પણ સમજાવે છે. જ્યારે પણ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ભૂલ થાય પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ન આવે, ચાલુ ક્લાસમાં મોબાઈલ વાગે અથવા તેઓ લેક્ચરમાં મોડા આવે ત્યારે તેમને વૃક્ષ વાવવાની સજા ફટકારવામાં આવે છે.

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપે છે સુરતના પ્રોફેસર, જાણો શું છે વળી આ સજા.....

સજાના ભાગરૂપે વિદ્યાર્થીને પોતાના ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં એક છોડ રોપવાનો હોય છે અને જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેની માવજત કરવાની જવાબદારી પણ તે વિદ્યાર્થી એ પોતે કરવાની હોય છે. પ્રોફેસર મહેશ પટેલે જણાવ્યું કે, જો મારાથી પણ કોઈ ભૂલ થાય તો હું પોતે પણ દરેક ભૂલ બાદ છોડ રોપું છું

અત્યાર સુધી હજારો છોડને રોપવામાં આવ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ જ નહિં પણ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મેમ્બર પણ જો કોઈ ભૂલ કરે તો તેઓને પણ એક છોડ રોપવાની અને તેની માવજત કરવાની સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓેની ભૂલને સકારાત્મક અભિગમ સાથે લેવામાં આવે છે તેમજ તેમને પણ પર્યાવરણ સાથે સાંકળવાની તક મળે છે. વિદ્યાર્થીઓને પણ વૃક્ષનું વાવેતર કરીને ખુશીની લાગણી અનુભવાઈ છે. ઘણા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરીને જતા રહ્યા છે. છતાં તેઓ વૃક્ષની માવજત કરવા કોલેજ આવતા રહે છે.

પર્યાવરણ માટે આ અનોખી પહેલ માટે વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને પ્રોફેસર દ્વારા શરૂ કરાયેલા આ અનોખી પરંપરા આવનાર દિવસોમાં પણ યથાવત્ રહેશે. આ સજાના કારણે પર્યાવરણનું મુલ્ય નિખરે છે અને વિદ્યાર્થીની પર્યાવરણ અંગેની સકારાત્મક વિચારધારા પણ નિખરે છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે છે. અહીં અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે, પણ સજાના ભાગરૂપે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અહીં છોડ વાવે છે. એટલુ જ નહિં તેની માવજાત કરવાની પણ સજા તેમને આપવામાં આવે છે.

આ અનોખી સજા વિશે તમે સાંભળીને અચરજ થશે પણ આ વાત સાચી છે. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મહેશ પટેલ પોતાના વિદ્યાર્થીઓને ભણાવાની સાથે છે પર્યાવરણની જાગૃતતા વિશે પણ સમજાવે છે. જ્યારે પણ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ભૂલ થાય પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ન આવે, ચાલુ ક્લાસમાં મોબાઈલ વાગે અથવા તેઓ લેક્ચરમાં મોડા આવે ત્યારે તેમને વૃક્ષ વાવવાની સજા ફટકારવામાં આવે છે.

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપે છે સુરતના પ્રોફેસર, જાણો શું છે વળી આ સજા.....

સજાના ભાગરૂપે વિદ્યાર્થીને પોતાના ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં એક છોડ રોપવાનો હોય છે અને જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેની માવજત કરવાની જવાબદારી પણ તે વિદ્યાર્થી એ પોતે કરવાની હોય છે. પ્રોફેસર મહેશ પટેલે જણાવ્યું કે, જો મારાથી પણ કોઈ ભૂલ થાય તો હું પોતે પણ દરેક ભૂલ બાદ છોડ રોપું છું

અત્યાર સુધી હજારો છોડને રોપવામાં આવ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ જ નહિં પણ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મેમ્બર પણ જો કોઈ ભૂલ કરે તો તેઓને પણ એક છોડ રોપવાની અને તેની માવજત કરવાની સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓેની ભૂલને સકારાત્મક અભિગમ સાથે લેવામાં આવે છે તેમજ તેમને પણ પર્યાવરણ સાથે સાંકળવાની તક મળે છે. વિદ્યાર્થીઓને પણ વૃક્ષનું વાવેતર કરીને ખુશીની લાગણી અનુભવાઈ છે. ઘણા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરીને જતા રહ્યા છે. છતાં તેઓ વૃક્ષની માવજત કરવા કોલેજ આવતા રહે છે.

પર્યાવરણ માટે આ અનોખી પહેલ માટે વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને પ્રોફેસર દ્વારા શરૂ કરાયેલા આ અનોખી પરંપરા આવનાર દિવસોમાં પણ યથાવત્ રહેશે. આ સજાના કારણે પર્યાવરણનું મુલ્ય નિખરે છે અને વિદ્યાર્થીની પર્યાવરણ અંગેની સકારાત્મક વિચારધારા પણ નિખરે છે.

Intro:સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાતના યુનિવર્સીટી ના એક પ્રોફેસર  વિદ્યાર્થીઓને અનોખી સજા કરે છે. આપને પણ જાણીને નવાઈ લાગશે કે જે વિદ્યાર્થીઓ કોઈ ભૂલ કરે તો એ વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસ માં એક છોડ રોપવાનો અને જ્યાં સુધી એ ભણે ત્યાં સુધી એની માવજત કરવાની. આ સજા ને કારણે યુનિવર્સીટી કેમ્પસમાં હજારો છોડ રોપાઈ ગયા. આ સજા અનોખી છે અને પર્યાવરણ લક્ષી છે આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ પણ વારંવાર ભૂલ કરવા માંગે છે.

Body:વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે છે.અહીં અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે પણ સજાના ભાગરૂપે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અહી છોડ વાવે છે એટલુ જ નહી તેની માવજાત કરવાની પણ સજા તેમને આપવામાં આવે છે, આ અનોખી સજા વિશે તમે સાંભળી ને અચરજ થશે પણ આ વાત સાચી છે.ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મહેશ પટેલ પોતાના વિદ્યાર્થીઓને જ્યારે ભણાવે છે તેની સાથે સાથે પર્યાવરણ માટે પણ જાગૃત કરતા હોય છે. જ્યારે પણ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ભૂલ થાય પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ન આવે, ક્યારે ચાલુ ક્લાસમાં મોબાઈલ વાગી જાય અથવા તેઓ લેક્ચરમાં મોડા આવે આવી ભૂલો કરનાર વિદ્યાર્થીઓને આ પ્રોફેસર અનોખી સજા ફટકારે છે સજાના ભાગરૂપે વિદ્યાર્થીને પોતાના ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં એક છોડ રોપવાનો હોય છે અને જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેની માવજત કરવાની જીમ્મેદારી વિદ્યાર્થી એ પોતે કરવાની હોય છે.પ્રોફેસર મહેશ પટેલે જણાવ્યું કે જો મારાથી પણ કોઈ ભૂલ થાય તો હું પોતે પણ દરેક ભૂલ બાદ છોડ રોપુ છુ. અત્યાર સુધી હજારો છોડને રોપવામાં આવ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ જ નહી પણ ડિપાર્ટમેન્ટના અને ફેકલ્ટી મેમ્બર પણ જો કોઈ ભૂલ કરે તો તેઓ ને પણ એક છોડ રોપવાની અને તેની માવજત કરવાની સજા કરવામાં આવે છે.

યુનિવર્સિટીમાં અથવા અન્ય કોઈપણ શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓ ને સજા કરવામાં આવતી હોય છે પરંતુ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં વિદ્યાર્થીને જે રીતે સજા ફટકારવામાં આવે છે તે બીજી સંસ્થાઓ કરતા અલગ છે અને તે પણ પર્યાવરણ લક્ષી છે તેને લઈને વિદ્યાર્થીઓ પણ તેને સકારાત્મક રીતે લેય છે. આ અનોખી સજા બાબતે વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ જોવા મળ્યા તેમણે જણાવ્યું કે જ્યારે પણ સજા આપવામાં આવે ત્યારે તેમના મોઢા ઉપર કોઈ પણ પ્રકારનો સંકોચ જોવા મળતો નથી અને તેઓ પોતાની સજા ને ખુલ્લેઆમ સકારાત્મક રીતે લેય છે તેમને પણ ખબર છે કે દેશમાં પર્યાવરણ નું જતન કરવુ કેટલુ જરૂરી છે સને એક છોડ રોપવાથી કેટલા ફાયદા છે જેથી વિદ્યાર્થીઓ પણ સજાને છોડ રોપી આનંદ વ્યક્ત કરતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પોતાનું ભણતર પૂરું કરી કોલેજ છોડીને જતા રહ્યા હોય તો પણ ઘણા વિદ્યાર્થીઓ આજની તારીખે પણ પોતાના છોડનું જતન કરવા કોલેજમાં પહોંચીને એની સંભાળ લે છે.

Conclusion:પર્યાવરણ માટે આ અનોખી પહેલ માટે વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને પ્રોફેસર દ્વારા શરૂ કરાયેલા આ અનોખી પરંપરા આવનાર દિવસોમાં પણ યથાવત્ રહેશે આ સજાના કારણે જ્યાં એક તરફ પર્યાવરણની કાળજી લેવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ વિદ્યાર્થીઓમાં પણ પર્યાવરણ માટે જાગૃતિ લાવવાની એક એનોખી સજા જોવા મળી રહી છે.

બાઈટ : હર્ષ મોરડીયા(છાત્ર)
બાઈટ : ભૂમિ શાહ (છાત્રા)
બાઈટ : મહેશ પટેલ (પ્રોફેસર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.