ETV Bharat / state

Development Work of Surat : સુરતમાં બનશે દૈશની સૌથી ઊંચી સરકારી ઈમારત, CMએ કર્યું ખાતમુહૂર્ત - Development Work of Surat

સુરતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કૉર્પોરેશન (Surat Municipal Corporation ) તથા SUDAના કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમના હસ્તે રૂપિયા 47 કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો.

Development Work of Surat સુરતમાં બનશે દૈશની સૌથી ઊંચી સરકારી ઈમારત, CMએ કર્યું ખાતમુહૂર્ત
Development Work of Surat સુરતમાં બનશે દૈશની સૌથી ઊંચી સરકારી ઈમારત, CMએ કર્યું ખાતમુહૂર્ત
author img

By

Published : Jan 28, 2023, 10:29 PM IST

વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

સુરત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતીલાલાઓને મજા કરાવી દીધી હતી. મુખ્યપ્રધાને સુરત મહાનગરપાલિકા તથા SUDAના 2,416 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું 'ઘરના ઘર'નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે. આ પૈકી લાભાર્થી પરિવારોને 7 લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.

આ પણ વાંચો Air Ambulance Service : એર એમ્બુલન્સ બની દેવદૂત, 8 મહિનામાં 7 દર્દી અને 10 ઓર્ગન ટ્રાન્સપોર્ટ માટે થયો ઉપયોગ

વિકાસકાર્યોનું ખાતમુહૂર્તઃ મુખ્યપ્રધાને 1,344 કરોડ રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહિવટી ભવનના રૂપમાં સાકાર થનારા દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના 1,560 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને 808.63 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ મુખ્યપ્રધાનના હસ્તે 47 કરોડ રૂપિયાના ખર્ચે SUDA નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. તેમાં પ્રતિકરૂપે 7 લાભાર્થીઓને ચાવીઓ આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે દેશની સૌથી ઊંચી સરકારી ઈમારતના રૂપમાં સાકાર થનાર સુરત મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવનના ખાતમુહૂર્ત સહિત SMC તથા SUDAના કુલ ₹2416 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા PM આવાસ યોજનાના 503 મકાનોના ડ્રો સંપન્ન થયા હતા. pic.twitter.com/QOQpkcri2G

    — CMO Gujarat (@CMOGuj) January 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્ય સરકાર હંમેશા મદદ કરવા તૈયારઃ આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડૂમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકો ટૂરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે અને પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જ્યારે જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરકઃ તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે. તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ 2025 સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈબસમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે એમ જણાવી આ પહેલની મુખ્યપ્રધાને સરાહના કરી હતી.

આ પણ વાંચો Pariksha Pe Charcha પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓએ કરી 'મન કી બાત', CM જોડાયા

સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતાઃ મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત્તકાળમાં દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ત્યારે ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.

સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યુંઃ આ પ્રસંગે આવાસ મેળવનારા લાભાર્થીઓને અભિનંદન આપતા મુખ્યપ્રધાને નવા આવાસો પરિવારની સુખ શાંતિ માટે ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથોસાથ આઝાદીના અમૃત્ત કાળમાં સુરતવાસીઓ વિકાસની રાહમાં જોડાઈને અગ્રીમ સહયોગ આપે તેમ જ સુરતે છેલ્લા 2 દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે, ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.

બે અદ્યતન આઈકોનિક ઈમારતોઃ મુખ્યપ્રધાનના હસ્તે ભૂમિપૂજન થયું તે આઈકોનિક બિલ્ડીંગ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±27 માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં આકાર લેશે. તો 105.3 મીટર ઊંચી G±27 માળની બે અદ્યતન આઈકોનિક ઈમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું બહુમાન મેળવશે, જેનો રાજ્ય કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.

આ લોકો રહ્યા ઉપસ્થિતઃ ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રિય રેલ્વે અને ટેક્સટાઈલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા, ઊર્જા પ્રધાન કનુ દેસાઈ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

સુરત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરતીલાલાઓને મજા કરાવી દીધી હતી. મુખ્યપ્રધાને સુરત મહાનગરપાલિકા તથા SUDAના 2,416 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું 'ઘરના ઘર'નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 10 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે. આ પૈકી લાભાર્થી પરિવારોને 7 લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.

આ પણ વાંચો Air Ambulance Service : એર એમ્બુલન્સ બની દેવદૂત, 8 મહિનામાં 7 દર્દી અને 10 ઓર્ગન ટ્રાન્સપોર્ટ માટે થયો ઉપયોગ

વિકાસકાર્યોનું ખાતમુહૂર્તઃ મુખ્યપ્રધાને 1,344 કરોડ રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહિવટી ભવનના રૂપમાં સાકાર થનારા દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના 1,560 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને 808.63 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ મુખ્યપ્રધાનના હસ્તે 47 કરોડ રૂપિયાના ખર્ચે SUDA નિર્મિત PM આવાસ યોજનાના 503 મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. તેમાં પ્રતિકરૂપે 7 લાભાર્થીઓને ચાવીઓ આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે દેશની સૌથી ઊંચી સરકારી ઈમારતના રૂપમાં સાકાર થનાર સુરત મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવનના ખાતમુહૂર્ત સહિત SMC તથા SUDAના કુલ ₹2416 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા PM આવાસ યોજનાના 503 મકાનોના ડ્રો સંપન્ન થયા હતા. pic.twitter.com/QOQpkcri2G

    — CMO Gujarat (@CMOGuj) January 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્ય સરકાર હંમેશા મદદ કરવા તૈયારઃ આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડૂમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકો ટૂરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે અને પ્રોજેક્ટ્સ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જ્યારે જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરકઃ તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે. તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ 2025 સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈબસમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે એમ જણાવી આ પહેલની મુખ્યપ્રધાને સરાહના કરી હતી.

આ પણ વાંચો Pariksha Pe Charcha પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓએ કરી 'મન કી બાત', CM જોડાયા

સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતાઃ મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત્તકાળમાં દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. ત્યારે ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.

સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યુંઃ આ પ્રસંગે આવાસ મેળવનારા લાભાર્થીઓને અભિનંદન આપતા મુખ્યપ્રધાને નવા આવાસો પરિવારની સુખ શાંતિ માટે ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથોસાથ આઝાદીના અમૃત્ત કાળમાં સુરતવાસીઓ વિકાસની રાહમાં જોડાઈને અગ્રીમ સહયોગ આપે તેમ જ સુરતે છેલ્લા 2 દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે, ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.

બે અદ્યતન આઈકોનિક ઈમારતોઃ મુખ્યપ્રધાનના હસ્તે ભૂમિપૂજન થયું તે આઈકોનિક બિલ્ડીંગ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±27 માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં આકાર લેશે. તો 105.3 મીટર ઊંચી G±27 માળની બે અદ્યતન આઈકોનિક ઈમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું બહુમાન મેળવશે, જેનો રાજ્ય કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.

આ લોકો રહ્યા ઉપસ્થિતઃ ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રિય રેલ્વે અને ટેક્સટાઈલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા, ઊર્જા પ્રધાન કનુ દેસાઈ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.