સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તોફાની મેઘસવારીના કારણે નદી,નાળા,રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, બારડોલી તાલુકાના લોકો માટે આશીર્વાદરૂપ ઉશ્કેર મુંજલાવ માર્ગ પર આવેલ લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. ત્યાં ઠેરઠેર રસ્તા ધોવાયા હતા.જ્યારે મુંજલાવ ગામનો લો લેવલ બ્રિજ પર ખાડીના પાણી ફરી વળ્યા હતા.જેના કારણે 10 થી વધુ ગામોના લોકો અટવાયા હતા.
ખાસ કરીને ઉશ્કેર અને મુંજલાવ ગામથી બોધાન ગામે અભ્યાસ અર્થે જતા વિધાર્થી ભારે હેરાન થયા હતા. જ્યારે રાહદારી અને વાહન ચાલકો જીવન જોખમે બ્રિજ પરથી પસાર થતા નજરે પડયા હતા.સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે લોલેવલ બ્રિજની જગ્યા પર બેરલ બ્રિજ બનાવવામાં આવે પરંતુ આ વિસ્તારના નેતા માત્ર આશ્વાસન આપી જતા રહે છે.