સુરતા: ચીન અને વિશ્વના અન્ય દેશોમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર પણ સંભવિત કોરોના ની ચોથી લહેરને લઈ એલર્ટ મોડ પર છે. જ્યારે બીજી બાજુ સુરત ખાતે 25,000 થી વધુ લોકોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતાઓ ઋણ સ્વીકાર કાર્યક્રમનું યોજવા જઈ રહ્યા છે રવિવારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક : અન્ય દેશોમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા માટેની અપીલ કરી છે આ બધા વચ્ચે સુરતમાં ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે 25મી ડિસેમ્બરના રોજ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન થશે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા રહેલી છે. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં 25 થી 30 હજાર જેટલા લોકો એકત્રિત થઈ શકે છે. એક બાજુ લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે સુરતમાં ભાજપ દ્વારા વિવાદન સ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે..
કોવિડ ગાઈડલાઈનનું પાલન થશે: આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ સહિત હાલજ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બનેલા દક્ષિણ ગુજરાતના તમામ મંત્રીઓ સહિત ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહેશે આ કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ જીત બદલ આ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. જોકે ભાજપના પ્રવક્તા ડોક્ટર જગદીશ પટેલ એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમને સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે