ETV Bharat / state

સુરત મહાનગરપાલિકાના મદદનીશ ઇજનેર રાજેશ પટેલની આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ધરપકડ

author img

By

Published : Mar 13, 2020, 8:58 AM IST

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચના છટકામાં જેલની હવા ખાધા બાદ પણ સુધરતા નથી. આવા જ એક કિસ્સામાં સુરત એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા મહાનગરપાલિકાના મદદનીશ ઇજનેર રાજેશ પટેલની આવકથી વધુ સંપત્તિના કેસમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

case
મહાનગરપાલિકા

સુરત: એન્ટી કરપ્શન બ્યુરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ના સુધારા અધિનિયમ 2018 અંતર્ગત સરકારી અધિકારી, કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે, સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલકત એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સબંધી કે, સ્નેહીજનોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝશન એક્ટ 1988 અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાના મદદનીશ ઇજનેર રાજેશ પટેલની વધુ સંપત્તિના કેસમાં ગુનો દાખલ કરી ધરપકડ

આ અંતર્ગત રાજેશભાઈ પરાગભાઈ પટેલ જે મદદનીશ ઇજનેર, વર્ગ - 2 કતારગામ ઝોનમાં ફરજ બજાવે છે. તેમની સામે ACBના મદદનીશ નિયામક એન.ડી .ચૌહાણે સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 2018ની કલમ 13 ( 1 ) ( બી ) તથા 13 ( 2 ) મુજબ ગુનો સુરત શહેર ACB પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. મહત્વનું છે કે, એક જાગૃત નાગરીકે રાંદેર ઝોનના ટાઉન પ્લાનીંગ વિસ્તારમાં આવેલ જમીન પર બાંધકામની હકારાત્મક અભિપ્રાય આપવાના કામે રાજેશ પટેલ દ્વારા 25, 000ની લાંચની માંગણી હતી. જે આધારે ACBની ટીમે 15 ફેબ્રુઆી 2016ના રોજ ગોઠવેલ લાંચના છટકામાં રાજેશભાઈ પટેલ ઝડપાઈ ગયો હતા. જેને પગલે મદદનીશ ઈજનેર રાજેશ પટેલને 17 ફેબ્રુઆરી 2016થી સસ્પેન્શન હેઠળ મુકવામાં આવ્યા હતાં. જો કે, ત્યાર બાદ રાજેશ પટેલને કતારગામ ઝોન ખાતે પુનઃ નિમણૂક આપવામાં આવી હતી.

રાજેશ પટેલ છેલ્લા 2 વર્ષથી કતારગામ ઝોનમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. રાજેશ પરાગભાઈ પટેલ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત વસાવવ્યા અંગેના કેસની શક્યતા રાજેશ પટેલની સેવા વિષયક તથા પગાર ભથ્થાની માહિતી સંબંધિત વિભાગ તરફથી મંગાવવામાં આવેલ હતી. રાજેશ પટેલ અને તેના પરિવારના સભ્યોના બેંકોના એકાઉન્ટ સ્ટેટમેન્ટની માહિતી, સબ રજીસ્ટર કચેરીઓ તરફથી સ્થાવર મિલકત સંબધેની દસ્તાવેજી માહિતી, આવક વેરાની માહિતી તથા વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. સદર તપાસના કામે રાજેશની પુછપરછ કરી તેઓના આવક ખર્ચ અને સ્થાવર, જંગમ મિલકતો બાબતે નિવેદન તેમજ જરૂરી પુરાવાઓ મેળવવામાં આવ્યા હતાં. રાજેશ સામે તપાસના કામે તેને વસાવેલી મિલકતો બાબતે સંતોષકારક ખુલાસો આપી શક્યા નથી.

રાજેશે વસાવેલ મિલકતો પૈકી અમુક મિલકતો બાબતે સરકારને બદઇરાદાથી જાણ નહી કરી ગુજરાત રાજય સેવાના નિયમોનો ભંગ કરેલાનું પણ તપાસ દરમ્યાન જણાઇ આવ્યું હતું. આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓના વિશ્લેષણ તેમજ આવક, ખર્ચની વિગતો આધારે આક્ષેપિત દ્વારા તેની આવકના પ્રમાણમાં અપ્રમાણસર સ્થાવર જંગમ, મિલકતો વસાવેલાનું જણાઇ આવ્યું છે. રાજેશના ચેક પીરીયડ દરમિયાન પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરના આવકના સ્ત્રોતમાંથી થયેલ આવક કરતાં 84,74,672ની અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાવાયું છે. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 61.59 ટકા જેટલી અપ્રમાણસર હોવાનું સામે આવ્યું હતું.

આ માહિતીને આધારે સુરત એસીબી દ્વારા રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં કોઈ પણ કામ કરાવવું હોય તો રૂપિયા વગર થતું નથી, એ વાત ફરી સાબિત થઈ છે. કારણ કે, 80 હજારના પગાર મેળવતા રાજેશ જેવા અનેક અધિકારીઓ લાંચ લીધા વગર કામ કરતા નથી. જે હાલમાં જ અશ્વિન ટેલર નામના અધિકારીની ધરપકડથી પણ સામે આવ્યું હતું.

સુરત: એન્ટી કરપ્શન બ્યુરોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નીરવ ગોહિલના જણાવ્યા અનુસાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ના સુધારા અધિનિયમ 2018 અંતર્ગત સરકારી અધિકારી, કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે, સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલકત એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સબંધી કે, સ્નેહીજનોના નામે સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝશન એક્ટ 1988 અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મહાનગરપાલિકાના મદદનીશ ઇજનેર રાજેશ પટેલની વધુ સંપત્તિના કેસમાં ગુનો દાખલ કરી ધરપકડ

આ અંતર્ગત રાજેશભાઈ પરાગભાઈ પટેલ જે મદદનીશ ઇજનેર, વર્ગ - 2 કતારગામ ઝોનમાં ફરજ બજાવે છે. તેમની સામે ACBના મદદનીશ નિયામક એન.ડી .ચૌહાણે સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 2018ની કલમ 13 ( 1 ) ( બી ) તથા 13 ( 2 ) મુજબ ગુનો સુરત શહેર ACB પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. મહત્વનું છે કે, એક જાગૃત નાગરીકે રાંદેર ઝોનના ટાઉન પ્લાનીંગ વિસ્તારમાં આવેલ જમીન પર બાંધકામની હકારાત્મક અભિપ્રાય આપવાના કામે રાજેશ પટેલ દ્વારા 25, 000ની લાંચની માંગણી હતી. જે આધારે ACBની ટીમે 15 ફેબ્રુઆી 2016ના રોજ ગોઠવેલ લાંચના છટકામાં રાજેશભાઈ પટેલ ઝડપાઈ ગયો હતા. જેને પગલે મદદનીશ ઈજનેર રાજેશ પટેલને 17 ફેબ્રુઆરી 2016થી સસ્પેન્શન હેઠળ મુકવામાં આવ્યા હતાં. જો કે, ત્યાર બાદ રાજેશ પટેલને કતારગામ ઝોન ખાતે પુનઃ નિમણૂક આપવામાં આવી હતી.

રાજેશ પટેલ છેલ્લા 2 વર્ષથી કતારગામ ઝોનમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવે છે. રાજેશ પરાગભાઈ પટેલ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત વસાવવ્યા અંગેના કેસની શક્યતા રાજેશ પટેલની સેવા વિષયક તથા પગાર ભથ્થાની માહિતી સંબંધિત વિભાગ તરફથી મંગાવવામાં આવેલ હતી. રાજેશ પટેલ અને તેના પરિવારના સભ્યોના બેંકોના એકાઉન્ટ સ્ટેટમેન્ટની માહિતી, સબ રજીસ્ટર કચેરીઓ તરફથી સ્થાવર મિલકત સંબધેની દસ્તાવેજી માહિતી, આવક વેરાની માહિતી તથા વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. સદર તપાસના કામે રાજેશની પુછપરછ કરી તેઓના આવક ખર્ચ અને સ્થાવર, જંગમ મિલકતો બાબતે નિવેદન તેમજ જરૂરી પુરાવાઓ મેળવવામાં આવ્યા હતાં. રાજેશ સામે તપાસના કામે તેને વસાવેલી મિલકતો બાબતે સંતોષકારક ખુલાસો આપી શક્યા નથી.

રાજેશે વસાવેલ મિલકતો પૈકી અમુક મિલકતો બાબતે સરકારને બદઇરાદાથી જાણ નહી કરી ગુજરાત રાજય સેવાના નિયમોનો ભંગ કરેલાનું પણ તપાસ દરમ્યાન જણાઇ આવ્યું હતું. આ તપાસ દરમિયાન એકત્રિત કરેલા દસ્તાવેજી પુરાવા, બેંક ખાતાઓના વિશ્લેષણ તેમજ આવક, ખર્ચની વિગતો આધારે આક્ષેપિત દ્વારા તેની આવકના પ્રમાણમાં અપ્રમાણસર સ્થાવર જંગમ, મિલકતો વસાવેલાનું જણાઇ આવ્યું છે. રાજેશના ચેક પીરીયડ દરમિયાન પોતાના હોદ્દાની રૂએ ફરજ દરમ્યાન કાયદેસરના આવકના સ્ત્રોતમાંથી થયેલ આવક કરતાં 84,74,672ની અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાવાયું છે. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 61.59 ટકા જેટલી અપ્રમાણસર હોવાનું સામે આવ્યું હતું.

આ માહિતીને આધારે સુરત એસીબી દ્વારા રાજેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં કોઈ પણ કામ કરાવવું હોય તો રૂપિયા વગર થતું નથી, એ વાત ફરી સાબિત થઈ છે. કારણ કે, 80 હજારના પગાર મેળવતા રાજેશ જેવા અનેક અધિકારીઓ લાંચ લીધા વગર કામ કરતા નથી. જે હાલમાં જ અશ્વિન ટેલર નામના અધિકારીની ધરપકડથી પણ સામે આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.