સુરત: અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસવાડવામાં આવ્યા છે. તેઓ ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સમગ્ર આરોપ જાડેજા ઉપર જ આરોપ લાગ્યા છે. ડમી ઉમેદવારના નામ ન લેવા માટે યુવરાજસિંહએ 55 લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ તેમના જ જુના સાથી દ્વારા કરવામાં આવ્યા છે. યુવરાજ પર લાગેલા ગંભીર આરોપને લઈ આપના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ આસુરી શક્તિ સામે લડી રહ્યા હતા જેથી ખબર જ હતી કે તેમની સાથે આવી ઘટના થશે.
જૂના સાથીએ લગાવ્યો આરોપ: યુવરાજસિંહ જાડેજા પર તેમના જ જુના સાથી બીપીન ત્રિવેદીનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ થઈ ગયો છે. જોકે આ સમગ્ર મામલે જાડેજા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. બીજી બાજુ યુવરાજસિંહ જાડેજા ઉપર લાગેલા આરોપને લઈ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મેં વીડિયો જોયો નથી. તેઓ આસુરી શક્તિ સામે પડ્યા હતા. ત્યારે અંદાજ તો હતો તેમને ફસાવી દેવામાં આવશે અને તે અંદર જઈ શકે છે.
આ પણ વાંચો: Dummy Candidate Scam: ભાવનગર ડમીકાંડના ચાર આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર
યોગ્ય તપાસ કરવા માંગ: હું સ્પષ્ટ માનું છું કે ડમી કાંડ અને પેપર લીક કાંડ તેઓએ બહાર લાવ્યા છે. તેઓ કાયમી અંદર ચાલ્યા જાય અને કોઈ પેપર લીકકાંડ બહાર ન આવે આ માટે આ કરવામાં આવી રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. પરંતુ ગુનેગાર કોઈ પણ હોય નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશની સીટ અંતર્ગત તપાસ કરવામાં આવે. પછી જે ગુનેગાર હોય એમને સજા કરો પરંતુ મને લાગે છે કે તપાસ પોલીસ દબાણમાં કરી શકે છે.
ધ્યાન ભટકાવવા માટે જાનીનું નામ: સમગ્ર પ્રકરણમાં રમણિક જાનીનું પણ નામ આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રહી ચૂક્યા છે આ અંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રમણિક જાની અમારા પાર્ટીના કાર્યકર્તા નથી તેઓ કોઈ હોદ્દા ઉપર નથી. ભાજપ આ ધ્યાન ભટકાવવા માટે નામ લઈ રહી છે છતાં હું કહું છું કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય અને તે ગુનેગાર હોય તો તેની પણ સજા થવી જોઈએ.