ETV Bharat / state

સુરતમાં નાથુરામ ગોડસેની 109મી જન્મ જયંતી ઉજવનાર 6 લોકોની કરાઇ ધરપકડ - SUR

સુરત: મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની 109મી જન્મ જયંતી ઉજવનાર 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના લિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ મંત્રી હિરેન મશરૂની આગેવાનીમાં ગોડસેની જન્મ જયંતી ઉજવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું.

સુરતમાં નાથુરામ ગોડસે ની 109મી જન્મ જયંતી ઉજવનાર 6 લોકો ની ધરપકડ
author img

By

Published : May 20, 2019, 8:37 PM IST

સુરતના લિંબાયતમાં ગોડસેની જન્મજયંતી ઉજવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આદેશના પગલે લીંબાયત પોલીસે જવાબ લખવાના બહાને 6 લોકોને બોલાવી ધરપકડ કરી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા કોંગ્રેસ ગિન્નાઈ હતી અને પોલીસ કમિશ્નર કચેરી પહોંચી સુત્રોચાર કર્યા હતા. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, ભાજપ પરદા પાછળ રહી આ બધું કરાવી રહી છે અને કસુરવાર સામે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

સુરતમાં નાથુરામ ગોડસેની 109મી જન્મ જયંતી ઉજવનાર 6 લોકોની કરાઇ ધરપકડ

ઉશ્કેરણી અને સુલેહ શાંતિનો ભંગ થતા રાજય સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, તમામ પર લોકોની લાગણી દુભાવવા ઉશ્કેરાટ, ઉત્તેજના ફેલાવી જાહેર સુલહ શાંતિનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસને સખત કાર્યવાહી કરવા અંગે આદેશ હતા. શહેરમાં જે લોકો મહાત્મા ગાંધીના હત્યારાના ઉલ્લેખ કરી શાંતિ ભંગ કરશે તેઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

સુરત લીંબાયત પોલીસે 6 લોકોની કરી ધરપકડ

હિરેન મશરૂ

વાલા ભરવાડ

વિરલ માલવી

હિતેશ સોનાર

યોગેશ પટેલ

મનીષ કલાલ

સુરતના લિંબાયતમાં ગોડસેની જન્મજયંતી ઉજવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આદેશના પગલે લીંબાયત પોલીસે જવાબ લખવાના બહાને 6 લોકોને બોલાવી ધરપકડ કરી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની જન્મજયંતિની ઉજવણી કરવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા કોંગ્રેસ ગિન્નાઈ હતી અને પોલીસ કમિશ્નર કચેરી પહોંચી સુત્રોચાર કર્યા હતા. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, ભાજપ પરદા પાછળ રહી આ બધું કરાવી રહી છે અને કસુરવાર સામે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

સુરતમાં નાથુરામ ગોડસેની 109મી જન્મ જયંતી ઉજવનાર 6 લોકોની કરાઇ ધરપકડ

ઉશ્કેરણી અને સુલેહ શાંતિનો ભંગ થતા રાજય સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, તમામ પર લોકોની લાગણી દુભાવવા ઉશ્કેરાટ, ઉત્તેજના ફેલાવી જાહેર સુલહ શાંતિનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસને સખત કાર્યવાહી કરવા અંગે આદેશ હતા. શહેરમાં જે લોકો મહાત્મા ગાંધીના હત્યારાના ઉલ્લેખ કરી શાંતિ ભંગ કરશે તેઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

સુરત લીંબાયત પોલીસે 6 લોકોની કરી ધરપકડ

હિરેન મશરૂ

વાલા ભરવાડ

વિરલ માલવી

હિતેશ સોનાર

યોગેશ પટેલ

મનીષ કલાલ

R_GJ_SUR_21MAY_FIR_ARREST_VIDEO_SCRIPT


Feed by FTP

સુરત : મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે ની 109મી જન્મ જયંતી ઉજવનાર 6 લોકો ની ધરપકડ કરવામાં આવી છે.સુરતના લિંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ મંત્રી હિરેન મશરૂ ની આગેવાનીમાં ગોડસે ની જન્મજતી ઉજવી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું.આ બાબતે રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.આદેસ ના પગલે લીંબાયત પોલીસે જવાબ લખવવા ના બહાને 6 લોકો ને બોલાવી ધરપકડ કરી છે..બીજીતરફ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

મહાત્મા ગાંધી ના હત્યારા નથુરામ ગોડસે ની જન્મજયંતિ ની ઉજવણી કરવાના સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસ ગિન્નાઈ હતી અને પોલીસ કમિશ્નર કચેરી પહોંચી સુત્રોચાર કર્યા હતા.સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા એ જણાવ્યું હતું કે ભાજપ પરદા પાછળ રહી આ બધું કરાવી રહી છે અને કસૂરવાર સામે તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી..

જોકે ઉશ્કેરણી અને સુલેહ શાંતિ નો ભંગ થતા રાજય સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહી ના આદેશ આપવામાં આવ્યા હતા તે સબબ પોલીસ કમિશ્નર એ કાર્યવાહી ના આદેશ આપ્યા હતા. પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું હતું કે, તમામ પર લોકોની લાગણી દુભાવવા ઉશ્કેરાટ, ઉત્તેજના ફેલાવી જાહેર સુલહ શાંતિનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવાંમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ને સખત કાર્યવાહી કરવા અંગે આદેશ હતા શહેરમાં જે લોકો મહાત્મા ગાંધીના હત્યારાના ઉલ્લેખ કરી શાંતિ ભંગ કરશે તેઓ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે...

સુરત લીંબાયત પોલીસે 6 લોકો ની કરી ધરપકડ

હિરેન મશરૂ,
વાલા ભરવાડ
વિરલ માલવી
હિતેશ સોનાર
યોગેશ પટેલ
મનીષ કલાલ ની કરવામાં આવી ધરપકડ




બાઈટ : બાબુ રાયકા,કોંગ્રેસ

બાઈટ : સતીશ શર્મા,પોલીસ કમિશ્નર સુરત





ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.