ETV Bharat / state

રખડતાં પશુઓને પકડવાની કવાયત શરૂ,અસહ્ય ત્રાસ માંથી મળશે છુટકારો

author img

By

Published : Oct 12, 2019, 6:21 AM IST

સાબરકાંઠાઃ ઈડર શહેરમાં રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ દરેક શહેરીજન માટે એક મુખ્ય સમસ્યા બની હતી. જેનાથી હવે શહેરીજનોને છુટકારો મળશે. ઇડર શહેરમાં રખડતાં પશુઓને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

રખડતાં પશુઓને પકડવાની કવાયત શરૂ,અસહ્ય ત્રાસ માંથી મળશે છુટકારો

સાબરકાંઠાના ઇડર શહેરમાં ટ્રાફિક તેમજ રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ છે. જોકે ટ્રાફિક થવા પાછળ પણ રખડતા પશુઓ જવાબદાર હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે ઇડર શહેરમાં આવેલા નવા પ્રાંત અધિકારીએ શહેરના ટ્રાફિક વિભાગ તેમજ પાલિકા સહિત અન્ય અધિકારીઓની બેઠક કરી તાત્કાલિક ધોરણે શહેરમાં રખડતાં પશુઓને દૂર કરવા જણાવ્યું હતું. આ દરમિયાન શહેરમાં 500થી વધારે પશુઓ રખડતા હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું હતું. જેના પગલે તાત્કાલિક ધોરણે રખડતા તમામ પશુઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઇ છે. તેમજ ઝડપાયેલા તમામ પશુઓને શહેરથી નજીક આવેલા પાંજરાપોળ ખાતે મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

રખડતાં પશુઓને પકડવાની કવાયત શરૂ,અસહ્ય ત્રાસ માંથી મળશે છુટકારો

જોકે આજ દિન સુધી રખડતા પશુ મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નહોતો. રખડતાં પશુઓના પગલે કેટલાય લોકોને અકસ્માત તેમજ ઇજાઓ થતી હતી. તેમજ ટ્રાફિકની સમસ્યા પણ વધારે જોવા મળતી હતી. ત્યારે રખડતાં પશુઓને ઝડપી લેવાના પ્રયાસને સ્થાનિકોએ પણ બિરદાવ્યો હતો.

સાબરકાંઠાના ઇડર શહેરમાં ટ્રાફિક તેમજ રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ છે. જોકે ટ્રાફિક થવા પાછળ પણ રખડતા પશુઓ જવાબદાર હોવાનું સામે આવ્યુ હતું. ત્યારે ઇડર શહેરમાં આવેલા નવા પ્રાંત અધિકારીએ શહેરના ટ્રાફિક વિભાગ તેમજ પાલિકા સહિત અન્ય અધિકારીઓની બેઠક કરી તાત્કાલિક ધોરણે શહેરમાં રખડતાં પશુઓને દૂર કરવા જણાવ્યું હતું. આ દરમિયાન શહેરમાં 500થી વધારે પશુઓ રખડતા હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું હતું. જેના પગલે તાત્કાલિક ધોરણે રખડતા તમામ પશુઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઇ છે. તેમજ ઝડપાયેલા તમામ પશુઓને શહેરથી નજીક આવેલા પાંજરાપોળ ખાતે મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

રખડતાં પશુઓને પકડવાની કવાયત શરૂ,અસહ્ય ત્રાસ માંથી મળશે છુટકારો

જોકે આજ દિન સુધી રખડતા પશુ મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નહોતો. રખડતાં પશુઓના પગલે કેટલાય લોકોને અકસ્માત તેમજ ઇજાઓ થતી હતી. તેમજ ટ્રાફિકની સમસ્યા પણ વધારે જોવા મળતી હતી. ત્યારે રખડતાં પશુઓને ઝડપી લેવાના પ્રયાસને સ્થાનિકોએ પણ બિરદાવ્યો હતો.

Intro:સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ દરેક શહેરીજન માટે અસહ્ય થઈ પડ્યો હતો જોકે ઇડર શહેરમાં આજથી રખડતાં પશુઓને પકડવા માટેની કવાયત હાથ ધરતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છેBody:સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં ટ્રાફિક તેમજ રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ હતો જોકે ટ્રાફિક થવા પાછળ પણ રખડતા પશુઓ જવાબદાર હોવાનું ખુલ્યું હતું ત્યારે ઇડર શહેરમાં ગતરોજ આવેલા નવા પ્રાંત અધિકારીએ શહેરના ટ્રાફિક વિભાગ તેમજ પાલિકા સહિત અન્ય અધિકારીઓની બેઠક કરી તાત્કાલિક ધોરણે શહેરમાં રખડતાં પશુઓને દૂર કરવા જણાવ્યું હતું જેના પગલે આજથી જ શહેરમાં 500થી વધારે પશુઓ રખડતા હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું હતું જેના પગલે આજથી જ તાત્કાલિક ધોરણે રખડતા તમામ પશુઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઇ છે તેમજ ઝડપાયેલા તમામ પશુઓને શહેરથી નજીક આવેલા પાંજરાપોળ ખાતે મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવી છે જોકે આજ દિન સુધી રખડતા પશુ આ મુદ્દે કોષ નિર્ણય લેવાયો નથી સાથોસાથ રખડતાં પશુઓના પગલી શહેરમાં અસંખ્ય અકસ્માતના બનાવો પણ બનતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે પ્રતિદિન રખડતાં પશુઓના પગે કેટલાય લોકોને અકસ્માત તેમજ ઇજાઓ થતી હોય છે ત્યારે આજે રખડતાં પશુઓને ઝડપી લેવાના પ્રયાસને સ્થાનિકોએ પણ બિરદાવ્યો હતોConclusion:જોકે આરંભે શૂરા એવી ગુજરાતી કહેવત આ મુદ્દે યથાવત ન રહી તે મહત્વનું છે સાબરકાંઠા જિલ્લાના ઇડર સહિત સમગ્ર ગુજરાતમાં રખડતાં પશુઓનો અસહ્ય ત્રાસ હવે લોકો માટે મોતનું કારણ બની રહી છે ત્યારે આવા રખડતા પશુઓ તેમજ પશુ માલિકો સામે પણ કાર્યવાહી હાથ ધરાય તો આગામી સમયમાં આ સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે જોકે આ મુદ્દે આટલું course પગલું આગામી સમયમાં તંત્ર ક્યારે આવશે એ પણ એક સળગતો સવાલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.