ETV Bharat / state

સાબરકાંઠામાં કોરોનાને લીધે એસ.આર.પી જવાનનું મોત, મૃત્યુઆંક 4 થયો

author img

By

Published : May 19, 2020, 8:35 PM IST

કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ત્યારે મંંગળવારે સાબરકાંઠામાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગતરોજ દાખલ કરાયેલા એસ.આર.પી જવાનનું કોરોના પોઝેટીવને પગલે મોત થતાં સમગ્ર વહીવટીતંત્રમાં શોકનો માહોલ છે.

SRP jawan, Etv Bharat
SRP jawan

સાબરકાંઠાઃ વૈશ્વિક મહામારી સાબિત થઈ ચુકેલા કોરોના વાઈરસને પગલે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સોમવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પ્રભાવિત થયેલા એસ.આર.પી.જવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું આજે મોત થતાં સમગ્ર સિવિલ પરિસરમાં શોક ફેલાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવને પગલે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 39 થયો છે. જિલ્લામાં હાલમાં કોરોનાના 12થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમજ ગુજરાત બહારથી આવેલા 150 વધારે વ્યક્તિઓને વિવિધ જગ્યાએ ક્વોરનટાઈન કરાયા છે.

જોકે આજે એસ.આર.પી જવાનનું મોત થતાં હિંમતનગર નગરપાલિકા દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠાઃ વૈશ્વિક મહામારી સાબિત થઈ ચુકેલા કોરોના વાઈરસને પગલે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સોમવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પ્રભાવિત થયેલા એસ.આર.પી.જવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું આજે મોત થતાં સમગ્ર સિવિલ પરિસરમાં શોક ફેલાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવને પગલે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જેમાં આજે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 39 થયો છે. જિલ્લામાં હાલમાં કોરોનાના 12થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમજ ગુજરાત બહારથી આવેલા 150 વધારે વ્યક્તિઓને વિવિધ જગ્યાએ ક્વોરનટાઈન કરાયા છે.

જોકે આજે એસ.આર.પી જવાનનું મોત થતાં હિંમતનગર નગરપાલિકા દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.