ETV Bharat / state

વિકસિત ગુજરાત રોગચાળાના ભરડામાં, હિંમતનગરના આ ગામમાં 20થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા - dengue in gujarat

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સ્વસ્થ ગુજરાતની પોકળ સાબિત થાય તેવો કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગરના પીપરીયા ગામ બાદ હવે નવાનગર ગામ પણ ડેન્ગ્યુના ભરડામાં છે. 500ની વસ્તી ધરાવતા ગામમાં 20થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. આ મામલે આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું છે.

sabakatha
author img

By

Published : Nov 1, 2019, 9:07 PM IST

હિંમતનગર નજીક આવેલા નવાનગર ગામમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગામમાં 500થી વધુની વસ્તી સામે ૨૦થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર પર્યટણ સ્થાન સમાન આ ગામમાં આંટો મારવા આવતા હોય તેવુ દેખાય છે. ગામના સ્થાનિકોની માગ છે કે, જો વહીવટી તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર વધવાની સંભાવનાઓ છે.

વિકસિત ગુજરાત રોગચાળાના ભરડામાં

આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છ પાણીના નિકાલ કરવા માટેની સૂચનાઓ સહિત ડેન્ગ્યુના રોગની માહિતી હજુ સુધી ગામડાઓ સુધી પહોંચાડવા મુખ્ય ઉણપ રહી છે. વહીવટી તંત્ર આ મુદ્દે પગલાં લેવાનું ચૂકી હોય તેમ જણાય છે. આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે કામગીરી કરે તેવી માગ કરવામાં આવી છે.

વહીવટી તંત્રએ આ મુદ્દે તદ્દન ઊલટું નિવેદન આપતા જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં 300 સેમ્પલ પૈકી 45 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. તાજેતરમાં હિંમતનગરના પીપળીયા ગામે 31 ડેન્ગ્યુના નોંધાયા બાદ આ ગામમાં 20થી વધુ કેસ હાલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો....ગતિશીલ ગુજરાત રોગચાળાના ભરડામાં, આ ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા

સરકારી આંકડો માત્ર બે ગામના ગણવામાં આવે તો પણ ખોટા સાબિત થાય છે. સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસના કારણે જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગીમાં સારવાર કરાવનારા દર્દીઓનો આંકડો વધુ હોવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 45 ડેન્ગ્યુના કેસ છે. બીજી તરફ ગામડા સહિત પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો ખુબ મોટો છે. આંકડાઓની માયાજાળ કરતા છેવાડાના વ્યકતિને ડેન્ગ્યુના ભરડામાંથી બહાર લઇ આવવા માટેના પ્રયાસો કરવા જરૂરી છે. સ્વચ્છ ગુજરાતની વાતો સાબરકાંઠા જિલ્લામાં પોકર સાબિત થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગતિશીલ ગુજરાતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. અગાઉ હિંમતનગરના પીપળીયા ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતાં. જ્યારે હવે હિંમતનગરના જ નવાનગર ગામમાં 20થી વધુ કેસ નોંધાયા છે.

હિંમતનગર નજીક આવેલા નવાનગર ગામમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગામમાં 500થી વધુની વસ્તી સામે ૨૦થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર પર્યટણ સ્થાન સમાન આ ગામમાં આંટો મારવા આવતા હોય તેવુ દેખાય છે. ગામના સ્થાનિકોની માગ છે કે, જો વહીવટી તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર વધવાની સંભાવનાઓ છે.

વિકસિત ગુજરાત રોગચાળાના ભરડામાં

આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છ પાણીના નિકાલ કરવા માટેની સૂચનાઓ સહિત ડેન્ગ્યુના રોગની માહિતી હજુ સુધી ગામડાઓ સુધી પહોંચાડવા મુખ્ય ઉણપ રહી છે. વહીવટી તંત્ર આ મુદ્દે પગલાં લેવાનું ચૂકી હોય તેમ જણાય છે. આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે કામગીરી કરે તેવી માગ કરવામાં આવી છે.

વહીવટી તંત્રએ આ મુદ્દે તદ્દન ઊલટું નિવેદન આપતા જણાવ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં 300 સેમ્પલ પૈકી 45 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. તાજેતરમાં હિંમતનગરના પીપળીયા ગામે 31 ડેન્ગ્યુના નોંધાયા બાદ આ ગામમાં 20થી વધુ કેસ હાલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો....ગતિશીલ ગુજરાત રોગચાળાના ભરડામાં, આ ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા

સરકારી આંકડો માત્ર બે ગામના ગણવામાં આવે તો પણ ખોટા સાબિત થાય છે. સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસના કારણે જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગીમાં સારવાર કરાવનારા દર્દીઓનો આંકડો વધુ હોવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 45 ડેન્ગ્યુના કેસ છે. બીજી તરફ ગામડા સહિત પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડેન્ગ્યુના દર્દીઓનો આંકડો ખુબ મોટો છે. આંકડાઓની માયાજાળ કરતા છેવાડાના વ્યકતિને ડેન્ગ્યુના ભરડામાંથી બહાર લઇ આવવા માટેના પ્રયાસો કરવા જરૂરી છે. સ્વચ્છ ગુજરાતની વાતો સાબરકાંઠા જિલ્લામાં પોકર સાબિત થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગતિશીલ ગુજરાતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. અગાઉ હિંમતનગરના પીપળીયા ગામમાં 31 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતાં. જ્યારે હવે હિંમતનગરના જ નવાનગર ગામમાં 20થી વધુ કેસ નોંધાયા છે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં સ્વસ્થ ગુજરાત ની વાતો પોકળ સાબિત થતી હોય તેવો ઘાટ સર્જાયો છે હિંમતનગરના પીપરીયા ગામ બાદ હવે નવાનગર ગામ માં પણ ડેન્ગ્યુનો ભરડો વધતો જાય છે 500 ની વસ્તી પૈકી ૨૦ થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા સમગ્ર ગામ ચિંતામા ગરકાવ છે જોકે આરોગ્ય વિભાગ આ મુદ્દે ઊંઘતું ઝડપાયું છે.Body:

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા નવાનગર ગામ માં ડેગ્યુ ના રોગે ભરડો લીધો છે ગામમાં 500થી વધુ ની વસ્તી સામે ૨૦ થી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા સમગ્ર ગામમાં ખળભળાટ વ્યાપ્યો છે જોકે હજુ સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ માત્ર પર્યટન સ્થાન સમાન આ ગામમાં આંટો મારવા આવતા હોય તેવો ઘાટ ઊભું થયું છે આ ગામોમાં સ્થાનિકોની માગ છે કે જો વહીવટી તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર વધી શકે તેવી પણ સંભાવનાઓ છે સામાન્ય રીતે લાગ્યું એ મચ્છર જન્ય રોગ છે તેમજ તે સ્વચ્છ પાણીમાં પેદા થાય છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છ પાણીના નિકાલ કરવા માટેની સૂચનાઓ સહિત ડેન્ગ્યુના રોગની માહિતી હજુ સુધી ગામડાઓ સુધી પહોંચાડવા મુખ્ય ઉણપ રહી છે જેના પગલે આરોગ્ય ધીરે ધીરે પોતાનું કહેર વરસાવી રહ્યું છે જો કે વહીવટી તંત્ર આ મુદ્દે પગલાં લેવાનું ચૂકી હોય તેમ જણાય છે અને કુંવારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે

બાઈટ: હસમુખભાઈ પટેલ,સ્થાનિક
બાઈટ:કનુભાઈ પટેલ,સ્થાનિક

જો કે વહીવટી તંત્ર આ મુદ્દે તદ્દન ઊલટું નિવેદન આપતા જણાવે છે કે સાબરકાંઠા જિલ્લામાં ૩૦૦ સેમ્પલ પૈકી ૪૫ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે ત્યારે તાજેતરમાં હિંમતનગરના પીપળીયા ગામે 31 ડેન્ગ્યુના નોંધાયા બાદ આ ગામમાં 20થી વધુ કેસ હાલમાં સારવાર લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે સરકારી આંકડો માત્ર બે ગામ નો ગણવામાં આવે તો પણ ખોટો સાબિત થાય છે ત્યારે જિલ્લા ની હાલત ડેગ્યુ ના મુદ્દે કેટલી હશે એ પણ એક સળગતો સવાલ છે સાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસ ના પગે જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગીમાં સારવાર કરાવનારા દર્દીઓનો આંકડો ખૂબ મોટો હોવાની સંભાવના છે એ તરફ વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ૪૫ કેસ ડેંગ્યુના કેસ હોવાની વાતો કરાય છે તો બીજી તરફ ગામડા સહિત પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડેન્ગ્યૂના દર્દીઓનો આંકડો ખૂબ મોટો છે ત્યારે આંકડાઓની માયાજાળ કરતા છેવાડાના વ્યકતિને ડેન્ગ્યુના ભરડામાં થી બહાર લાવવા માટેના પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે જોકે સ્વસ્થ ગુજરાત સ્વચ્છ ગુજરાતની વાતો સાબરકાંઠા જિલ્લામાં પોકર સાબિત થઇ રહી છે

બાઈટ : ડોક્ટર રાજેશ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી, સાબરકાંઠા

Conclusion:જોકે વિવિધ નારાઓ ની વચ્ચે ગામડાના વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે થઇ રહેલા ચેડા સામે સરકારી બાબુ સહિત તંત્ર દ્વારા ઠોસ પગલા લેવાની કામગીરી ક્યારે થશે એ તો સમય પર જ આધારિત છે હાલમાં સરકારી બાબુઓ સબ સલામતના દાવા કરે છે પરંતુ ડેગ્યુના મુદ્દે સાબરકાંઠા જિલ્લાની પરિસ્થિતિ કંઈક ઔર છે ત્યારે છેવાડાના વ્યકતિને આ મુદ્દે સાચી સલાહ સહિત સાચી સારવાર આપવાનો પ્રયાસ ક્યારે થાય છે એ તો જોવું જ રહ્યું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.