હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીના થેરાસણાં ગામે વેવાઈ વેવાણની ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જેમાં ખેડબ્રહ્માના તાલુકાના દિધીયા ગામની સીમમાંથી લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે આવો જ બનાવ સુરતમાં પણ બન્યો હતો. જેની ચર્ચા સમગ્ર ગુજરાત સહિત દેશમાં પણ ફેલાઈ હતી. પોલીસે આ મામલે પૂર્ણ ગંભીરતાથી હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ કરી છે. હાલમાં પોલીસે બંને મૃતદેહોને ખેડબ્રહ્મા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.