સાબરકાંઠા સમગ્ર ગુજરાતમાં લાકડાના રમકડાં માટે ઈડર શહેર પ્રખ્યાત (Idar wooden toys market) હતું. જોકે, હાલમાં માત્ર 2થી 3 વેપારી નામ પૂરતા જ આ વ્યવસાય સાથે (wooden toys market ) જોડાયેલા છે. તેમ જ આગામી સમયમાં સરકાર દ્વારા લાકડાના રમકડાં બનાવનારા કારીગરો (wooden toy makers ) માટે સહાય જાહેર કરાય તેવી માગ ઊઠી છે. જો આમ નહીં થાય તો મૃતપ્રાય બની રહેલો આ વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે તે નક્કી છે.
ઈડર હતું પ્રખ્યાત સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં લાકડાના રમકડાં (wooden toys business) બનાવવા માટે ઈડર શહેરનું નામ પ્રખ્યાત હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી દિનપ્રતિદિન વિદેશી રમકડાં સહિત ચીની બજાર (chinese toys in india) પ્રવેશતા હાલમાં ઈડર શહેરના લાકડાનાં રમકડા બનાવનારાઓની (wooden toy makers ) હાલત કફોડી થઈ છે. તેના કારણે 300થી વધુ કારીગરોની સામે હાલમાં 3થી 4 કલાકારો લાકડાના રમકડાં બનાવી રહ્યા છે. જોકે, એમાં પણ હવે કોઈ ખાસ આવક ન રહેતા હવે સ્થાનિક લોકો લાકડાના રમકડાં બનાવવાનું છોડી અન્ય બાબતો તરફ વળ્યા છે. જેમાં સૌથી વધારે આવક મળતી હોય તેવા રોજગારીને પ્રાથમિકતા આપી રહ્યા છે.
કારીગરો હવે અન્ય કામ તરફ વળ્યા તેમ જ લાકડાના રમકડાંની જગ્યાએ હવે આ કલાકારો નવરાત્રિના દાંડિયા સહિત આડની વેલન બનાવી રોજગારી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે 20થી લઈ 1,000 રૂપિયા સુધીના અલગ-અલગ લાકડાના રમકડાં બનતા હતા. જોકે, ચીની બજારના રમકડાં (Chinese toys) ક્ષેત્રે પ્રવેશ કરતા દરેક લોકો લાકડાના રમકડાંનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. તેમ જ ચીની બજારને વધારે મહત્વ આપતા હવે વેપારીઓ પણ સમગ્ર વ્યવસાય છોડીને અન્યત્ર સ્થાયી થવા લાગ્યા છે.
રોજગાર પડી ભાંગ્યા એક તરફ છેલ્લા કેટલાક સમયથી સ્વદેશી અપનાવવાની વાતો વચ્ચે લોકલ ફોર વોકલની વાતો થઈ રહી છે. બીજી તરફ દિનપ્રતિદિન વધતા જતા વિદેશી વાયરાએ સ્થાનિક કક્ષાએ છેલ્લા કેટલાક સમયથી આર્થિક રોજગારી મેળવનારા લોકો માટે કુઠારાઘાત સર્જે છે. આજની તારીખે મોટા ભાગના લોકો પોતાના ધંધો નોકરી રોજગારથી બેરોજગાર થઈ ચૂક્યા છે, જેમાં ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ નાનામોટા સ્વરોજગાર થકી રોજગારી મેળવનારા લોકો માટે વિદેશી રમકડાંઓથી નોકરી, ધંધો અને રોજગાર પડી ભાંગ્યા છે.
એકાદ 2 દુકાનો જ ચાલુ હાલના તબક્કે લાકડાના રમકડાં (wooden toys business) માટે સૌથી સવિશેષ પ્રખ્યાત થયેલું ઈડર હાલના તબક્કે રમકડાં બનાવનારા (wooden toy makers ) મોટા ભાગના લોકો ધંધો નોકરી છોડી અન્ય રસ્તાઓ તરફ વળ્યા છે. જોકે, આગામી સમયમાં આ સ્થિતિ યથાવત્ રહી તો એકાદ બે દુકાનો ચાલુ છે. તે પણ આગામી સમયમાં બંધ થઈ જશે તે નક્કી છે. હાલના તબક્કે સરકારી સહાય કરવામાં આવે તો સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ગણી શકાય તેવા લાકડાના ઈડરિયાના પ્રખ્યાત ખરાદી બજારને બચાવી શકાય તેમ છે.
તંત્ર યોગ્ય પગલાં લે તેવી આશા વેપારીઓના જણાવ્યા મુજબ, એક તરફ દિનપ્રતિદિન લાકડાના (wooden toys business) બજાર બંધ થવાની અણી ઉપર છે. ત્યારે લુપ્ત થતી લાકડાના રમકડાંની બનાવટને ટકાવી રાખવા તંત્ર દ્વારા પગલાં ભરાય તે જરૂરી છે. જોકે આવા પગલા ક્યારે અને કેટલા ભરાશે એ તો સમય જ બતાવશે.