ETV Bharat / state

સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ગાડીમાં આગ લાગી, 3નો આબાદ બચાવ

સાબરકાંઠાના પ્રાંતિજ તલોદ રોડ ઉપર અચાનક મારુતિ કારમાં આગ લાગી હતી. જેના પગલે સદનસીબે સતર્કતાને પગલે ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આગમાં ગાડી બળીને ખાક થઇ ગઇ હતી.

author img

By

Published : Jul 22, 2020, 2:51 PM IST

પ્રાંતિજ નજીક ગાડીમાં લાગી આગ, 3નો આબાદ બચાવ
પ્રાંતિજ નજીક ગાડીમાં લાગી આગ, 3નો આબાદ બચાવ

સાબરકાંઠા: પ્રાંતિજ તલોદ રોડ પર અચાનક ચાલતી ગાડીમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઈવરની સતર્કતાના પગલે ગાડીને તાત્કાલિક અટકાવી ગાડીમાં સવાર ત્રણ લોકોને સહી સલામત ઉતારી લેવાયા હતાં. જો કે, જોતજોતામાં આગે સમગ્ર ગાડીને આગની ઝપેટમાં લઇ લીધી હતી. જેમાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.

જો કે, આગ લાગવાનું કારણ શોક સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. હજુ સુધી આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયું નથી.

સાબરકાંઠા: પ્રાંતિજ તલોદ રોડ પર અચાનક ચાલતી ગાડીમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઈવરની સતર્કતાના પગલે ગાડીને તાત્કાલિક અટકાવી ગાડીમાં સવાર ત્રણ લોકોને સહી સલામત ઉતારી લેવાયા હતાં. જો કે, જોતજોતામાં આગે સમગ્ર ગાડીને આગની ઝપેટમાં લઇ લીધી હતી. જેમાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.

જો કે, આગ લાગવાનું કારણ શોક સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. હજુ સુધી આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.