ETV Bharat / state

જમીનના ઝઘડામાં દેતડીયા ગામના સરપંચ દ્વારા કૌટુંબિક ભાઈની ગોળી મારી હત્યા

કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચે જમીનના ઝઘડામાં પોતાના જ કૌટુંબિક ભાઈને જ ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે.

author img

By

Published : Jul 21, 2020, 6:42 PM IST

હત્યા
હત્યા

રાજકોટઃ કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચ વિજય વાળા અને જસદણમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોતી જમીન અંગે વિવાદ ચાલતો હતો.

જમીનનાં આ ઝઘડાના કારણે આજે ઈશ્વરિયા-સાણથલી માર્ગ પર ખુની ખેલ ખેલાયો હતો. સરપંચ વિજય વાળાએ તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળાને ઉપરા-છાપરી ત્રણ ગોળીઓ મારી નિર્મમ હત્યા નિપજાવી હતી. ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કોટડાસાંગાણી પોલીસ ઉપરાંત LCB, SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.

રાજકોટઃ કોટડાસાંગાણીના દેતડીયા ગામના સરપંચ વિજય વાળા અને જસદણમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોતી જમીન અંગે વિવાદ ચાલતો હતો.

જમીનનાં આ ઝઘડાના કારણે આજે ઈશ્વરિયા-સાણથલી માર્ગ પર ખુની ખેલ ખેલાયો હતો. સરપંચ વિજય વાળાએ તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વાળાને ઉપરા-છાપરી ત્રણ ગોળીઓ મારી નિર્મમ હત્યા નિપજાવી હતી. ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કોટડાસાંગાણી પોલીસ ઉપરાંત LCB, SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.