જેમાં દિવ્યાંગ બાળકો, આંગણવાડી બહેનો, આરોગ્ય કેન્દ્રના આશાવર્કરો, સફાઇ કામદારો, રીક્ષા ચાલકો, સીકયુરીટીગાર્ડ, વાહન એસોસીએશનનાં હોદેદારો–ડ્રાઇવરો, મહાનગરપાલિકાનાં અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારી, મ્યુઝિયમનો સમગ્ર સ્ટાફ વગેરેએ ખુબ જ ઉત્સાહપુર્ણ યોગ કરીને યોગ દિવસની ખરા અર્થમાં ગરીમાપુર્ણ ઉજવણી કરી હતી. ઉપસ્થિત લોકોએ આર્ટ ઓફ લીવીંગ સંસ્થા તથા પતંજલી સંસ્થાના યોગ નિષ્ણાંતોનાં માર્ગદર્શન હેઠળ યોગનાં વિવિધ આસનો કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બનાવવામાં આવેલ ગાંધી મ્યુઝિયમનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાં આવ્યું હતું. તેમજ દરરોજ દેશ વિદેશના લોકો ગાંધી મ્યુઝિયમની મુલાકાતે આવે છે.