રાજકોટ : જિલ્લાના ગોંડલમાં ઉમવાડા ચોકડી પાસે રહેતા ગરીબ પરિવારના ઝૂપડા પાસે ગત સાંજે વીજ ફોલ્ટ સર્જાતા પાવર સપ્લાય બંધ થવા પામ્યો હતો. જેના પગલે સ્થાનિકો સહિત અનેક ફરિયાદો કરવા છતાં પણ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું અને કચેરીના સિક્યુરિટી મેને "ઊલટા ચોર કોટવાલ કો ડાટે " તેવું યથાર્થ કરી ગરીબોને પોલીસ હવાલે કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ મોડી રાત્રે વીજ કચેરી ખાતે દોડી ગયા હતા અને પથારીઓ પાથરી પંખાની હવામાં મીઠી નીંદ્રા માણતા કર્મચારીઓને જગાડ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને મોબાઇલ ફોન કરી ઉધડા લીધા હતા. સવારે પાંચ કલાકે વીજ પુરવઠો શરૂ કરીને જ ઝંપ્યા હતા.
![ભરનીંદ્રામાં સ્થાનિકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-gondal-vijtantra-sasakneta-rtu-gj10022_04052020102014_0405f_1588567814_223.jpg)
![શાસક પક્ષના નેતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-gondal-vijtantra-sasakneta-rtu-gj10022_04052020102014_0405f_1588567814_911.jpg)
![ભરનીંદ્રામાં સ્થાનિકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-01-gondal-vijtantra-sasakneta-rtu-gj10022_04052020102014_0405f_1588567814_910.jpg)