ETV Bharat / state

રીબડાની માથાકુટઃ અનિરૂદ્ધસિંહ બોલ્યા, PSI ન હોત તો અનેક ઢળી ગયા હોત

author img

By

Published : Dec 22, 2022, 5:19 PM IST

રાજકોટના રીબડા ગામે તણખા ઝરીયા હોવાની ઘટના સામે (Anirudh Singh Jadeja in Ribda) આવી છે. રીબડા ચોકડી ખાતે મોટી સંખ્યામાં વાહનોનો કાફલો પણ ખડકાઈ ગયો હતો. જોકે, આ બાબતે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારા પરિવારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. (Jayraj Singh Jadeja vs AnirudhSinh Jadeja)

રીબડાની બબાલો, અનિરૂદ્ધસિંહ જાડેજાએ કહ્યું, PSI ન હોત તો અનેક ઢળી ગયા હોત
રીબડાની બબાલો, અનિરૂદ્ધસિંહ જાડેજાએ કહ્યું, PSI ન હોત તો અનેક ઢળી ગયા હોત
રિબડાની બાબલને લઈને અનિરૂદ્ધસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજી

રાજકોટ : ગોંડલમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચેનો બબાલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, ત્યારે આ બબાલમાં બંનેના જૂથો સામસામે આવી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા જણાવ્યું હતું કે, માજી ધારાસભ્ય જયરાજ જાડેજા દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. મેં તેમજ મારા પરિવારે એક પણ વ્યક્તિએ પાટીદાર સમાજની વ્યક્તિને માર માર્યો નથી. જો કોઈ પાસે પુરાવા હોય તો તે પુરાવા રજૂ કરી શકે છે. (AnirudhSinh Jadeja in Ribda)

આ પણ વાંચો રાજસ્થાનમાં નવા મુખ્યપ્રધાનને લઇને બબાલ, ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામા

ઘર સુધી અનેક ગાડીઓ આવી અનિરુદ્ધસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે, પાટીદાર સમાજને અમારા પ્રત્યે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PSI ઝાલા રીબડા ખાતે હાજર ન હોત તો અનેક લોથ ઢળી ગયા હોત. અમારા ઘર સુધી અનેક ગાડીઓ આવી ગઈ હતી. પોલીસ પણ દંડા લઈને ઉતરી ગઈ હતી. તેમજ પોલીસે ચારથી પાંચ જેટલા વ્યક્તિઓને પોતાની ગાડીમાં બેસાડી પણ દીધા હતા. (Jayraj Singh Jadeja vs Anirudh Singh Jadeja)

આ પણ વાંચો જનસંખ્યા નિયંત્રણ બિલ પર બબાલ, ભાજપના સાંસદોને સૌથી વધુ સંતાનો

રીબડાને ટાર્ગેટ કરે છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય ઓથ વાપરી અને લોકોને તેમના પ્રત્યેક ભ્રમિત કરવામાં આવે છે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું કે જયરાજસિંહ જાડેજા ચૂંટણી પૂરી થઈ ગયો હોવા છતાં પણ રીબડાને ટાર્ગેટ કરે છે. જે પ્રમાણેની વાત ફેલાઈ રહી છે કે રીબડા ગામના વ્યક્તિઓએ મારામારી કરી હોવાનું જણાવ્યું છે પરંતુ આવી કોઈ બબાલ, બાબત કે ઘટના બની નથી અને જો બની હોય તો તેઓ પોલીસને પુરાવા આપી શકે છે. (Anirudh Singh vs Jayraj Singh fight)

રિબડાની બાબલને લઈને અનિરૂદ્ધસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજી

રાજકોટ : ગોંડલમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચેનો બબાલ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, ત્યારે આ બબાલમાં બંનેના જૂથો સામસામે આવી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા જણાવ્યું હતું કે, માજી ધારાસભ્ય જયરાજ જાડેજા દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. મેં તેમજ મારા પરિવારે એક પણ વ્યક્તિએ પાટીદાર સમાજની વ્યક્તિને માર માર્યો નથી. જો કોઈ પાસે પુરાવા હોય તો તે પુરાવા રજૂ કરી શકે છે. (AnirudhSinh Jadeja in Ribda)

આ પણ વાંચો રાજસ્થાનમાં નવા મુખ્યપ્રધાનને લઇને બબાલ, ધારાસભ્યો આપી રહ્યા છે રાજીનામા

ઘર સુધી અનેક ગાડીઓ આવી અનિરુદ્ધસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ કે, પાટીદાર સમાજને અમારા પ્રત્યે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PSI ઝાલા રીબડા ખાતે હાજર ન હોત તો અનેક લોથ ઢળી ગયા હોત. અમારા ઘર સુધી અનેક ગાડીઓ આવી ગઈ હતી. પોલીસ પણ દંડા લઈને ઉતરી ગઈ હતી. તેમજ પોલીસે ચારથી પાંચ જેટલા વ્યક્તિઓને પોતાની ગાડીમાં બેસાડી પણ દીધા હતા. (Jayraj Singh Jadeja vs Anirudh Singh Jadeja)

આ પણ વાંચો જનસંખ્યા નિયંત્રણ બિલ પર બબાલ, ભાજપના સાંસદોને સૌથી વધુ સંતાનો

રીબડાને ટાર્ગેટ કરે છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય ઓથ વાપરી અને લોકોને તેમના પ્રત્યેક ભ્રમિત કરવામાં આવે છે. સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું કે જયરાજસિંહ જાડેજા ચૂંટણી પૂરી થઈ ગયો હોવા છતાં પણ રીબડાને ટાર્ગેટ કરે છે. જે પ્રમાણેની વાત ફેલાઈ રહી છે કે રીબડા ગામના વ્યક્તિઓએ મારામારી કરી હોવાનું જણાવ્યું છે પરંતુ આવી કોઈ બબાલ, બાબત કે ઘટના બની નથી અને જો બની હોય તો તેઓ પોલીસને પુરાવા આપી શકે છે. (Anirudh Singh vs Jayraj Singh fight)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.