ETV Bharat / state

રાજકોટના પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - Rajkot news

રાજકોટ શહેરમાં એક આરોપીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પરંતુ તેની આપઘાત પાછળ કારણ હજુ સુધી બાહર આવ્યું નથી.

rajkot
rajkot
author img

By

Published : May 5, 2020, 9:44 AM IST

રાજકોટઃ રાજકોટ શહેરના નાના મૌવા રોડ ભીમનગરમાં રહેતા 58 વર્ષીય વિનુભાઈ પરમાર નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.

મળતી માહિતી પ્રમાણે, આરોપી અગાઉ પણ છેડતીના ગુનામાં સંડોવાયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે આરોપી વિરુદ્ધ પોતાની પત્નીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે 151 મુજબ તેની અટકાયત કરી હતી.

રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન મોડીરાત્રે તેને પોલીસ મથકના લોકઅપમાં રૂમાલ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટઃ રાજકોટ શહેરના નાના મૌવા રોડ ભીમનગરમાં રહેતા 58 વર્ષીય વિનુભાઈ પરમાર નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.

મળતી માહિતી પ્રમાણે, આરોપી અગાઉ પણ છેડતીના ગુનામાં સંડોવાયેલું હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે આરોપી વિરુદ્ધ પોતાની પત્નીને હેરાન કરતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે 151 મુજબ તેની અટકાયત કરી હતી.

રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આ ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન મોડીરાત્રે તેને પોલીસ મથકના લોકઅપમાં રૂમાલ વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.