ETV Bharat / state

પોરબંદર બન્યું ઢોરબંદર, લોકોમાં અકસ્માતનો ભય - પોરબંદર બન્યું ઢોરબંદર

પોરબંદર: મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા પોરબંદરની મુલાકાત લઇને ગુજરાત ટુરિઝમ વિભાગે એક જાહેરાત બનાવી હતી. જેમાં સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની ભુમિ પોરબંદરમાં પ્રવાસીઓને આવવા માટે આવકારવામાં આવે છે. પરંતુ પોરબંદરની સ્થિતિ હાલ એવી છે કે ન પૂછો વાત વીડિયોમાં જોઈને આપ પણ કહેશો કે ખરેખર પોરબંદર બન્યું છે ઢોર બંદર અહીં ક્યારેય અવાય નહીં.

Porbandar
author img

By

Published : Sep 20, 2019, 10:40 AM IST

પોરબંદર એક એવું શહેર છે કે જે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત હોવાથી અનેક લોકો અહીં મુલાકાતે આવે છે, પરંતુ પોરબંદરમાં પ્રવેશતાની સાથે જ જો ગણતરી શરૂ કરવામાં આવે તો કિર્તિ મંદિર સુધી અથવા મુખ્ય બજાર સુદામા ચોક સુધી જઈએ તો સો જેટલા ઢોર રસ્તામાં ઊભેલા જોવા મળશે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે.

પોરબંદરમાં ઢોરનો ત્રાસ

પરંતુ આગામી સમયમાં બીજી ઓક્ટોબર આવે છે. મુખ્યપ્રધાન આવી રહ્યા છે તેથી હવે તંત્ર દોડતું થશે અને ઢોર ભગાડવા માટે સ્પેશિયલ માણસો પણ રાખવામાં આવશે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પ્રજા માટે અહીં કંઈ કરવામાં આવતું નથી તે વાસ્તવિકતા છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં તથા કડિયા પ્લોટ વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ વિસ્તારમાં પસાર થતો રસ્તો એટલી હદે બિસ્માર છે કે અકસ્માત ઝોન બન્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે.

એક તરફ લોકોને અકસ્માતમાંથી બચાવવા નવા ટ્રાફિક નિયમ બનાવવમાં આવે છે અને કડક પાલન કરાવવામાં આવે છે, પરંતુ ઢોર અને ખરાબ રસ્તાના લીધે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે તે તંત્ર ધ્યાને નથી લેતું. હાલ તો તંત્રની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો ઢોરની સમસ્યામાંથી મુક્તિ તથા રોડના સમારકામની આશાએ બેઠા છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.

પોરબંદર એક એવું શહેર છે કે જે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત હોવાથી અનેક લોકો અહીં મુલાકાતે આવે છે, પરંતુ પોરબંદરમાં પ્રવેશતાની સાથે જ જો ગણતરી શરૂ કરવામાં આવે તો કિર્તિ મંદિર સુધી અથવા મુખ્ય બજાર સુદામા ચોક સુધી જઈએ તો સો જેટલા ઢોર રસ્તામાં ઊભેલા જોવા મળશે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે.

પોરબંદરમાં ઢોરનો ત્રાસ

પરંતુ આગામી સમયમાં બીજી ઓક્ટોબર આવે છે. મુખ્યપ્રધાન આવી રહ્યા છે તેથી હવે તંત્ર દોડતું થશે અને ઢોર ભગાડવા માટે સ્પેશિયલ માણસો પણ રાખવામાં આવશે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પ્રજા માટે અહીં કંઈ કરવામાં આવતું નથી તે વાસ્તવિકતા છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં તથા કડિયા પ્લોટ વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ વિસ્તારમાં પસાર થતો રસ્તો એટલી હદે બિસ્માર છે કે અકસ્માત ઝોન બન્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે.

એક તરફ લોકોને અકસ્માતમાંથી બચાવવા નવા ટ્રાફિક નિયમ બનાવવમાં આવે છે અને કડક પાલન કરાવવામાં આવે છે, પરંતુ ઢોર અને ખરાબ રસ્તાના લીધે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે તે તંત્ર ધ્યાને નથી લેતું. હાલ તો તંત્રની નબળી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો ઢોરની સમસ્યામાંથી મુક્તિ તથા રોડના સમારકામની આશાએ બેઠા છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.

Intro:પોરબંદર બન્યું ઢોરબંદર ,રસ્તા મગરની પીઠ જેવા !લોકોમાં અકસ્માત નો ભય




મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા પોરબંદરની મુલાકાત લઇને ગુજરાત ટુરિઝમ વિભાગે એક જાહેરાત બનાવી હતી જેમાં સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની ભુમિ પોરબંદરમાં પ્રવાસીઓ ને આવવા માટે આવકારવામાં આવે છે પરંતુ પોરબંદરની સ્થિતિ હાલ એવી છે કે ન પૂછો વાત વિડીયોમાં જોઈને આપ પણ કહેશો કે ખરેખર પોરબંદર બન્યું છે ઢોર બંદર અહીં ક્યારેય અવાય નહીં


Body:પોરબંદર એક એવું શહેર છે કે જે મહાત્મા ગાંધીના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત હોવાથી અનેક લોકો અહીં મુલાકાતે આવે છે પરંતુ પોરબંદર માં પ્રવેશતાની સાથે જ જો ગણતરી શરૂ કરવામાં આવે તો કિર્તિ મંદિર સુધી અથવા મુખ્ય બજાર સુદામા ચોક સુધી જઈએ તો સો જેટલા ઢોર રસ્તામાં ઊભેલા જોવા મળશે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવી ને બેઠું છે પરંતુ આગામી સમયમાં બીજી ઓક્ટોબર આવે છે ત્યારે ના મુખ્ય પ્રધાન આવી રહ્યા છે તેથી હવે તંત્ર દોડતું થશે અને ઢોર ભગાડવા માટે સ્પેશિયલ માણસો પણ રાખવામાં આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ પ્રજા માટે અહીં કંઈ કરવામાં આવતું નથી તે વાસ્તવિકતા છે પોરબંદરના જુબેલી વિસ્તારમાં તથા કડિયા પ્લોટ વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ થી કડિયા પ્લોટ વિસ્તારમાં પસાર થતો રસ્તો એટલી હદે બિસ્માર છે કે અકસ્માત ઝોન બન્યો છે જે વીડિયોમાં જોઈ શકાય છે ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતા લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે


Conclusion:એક તરફ લોકો ને અકસ્માતમાં થી બચાવવા નવા ટ્રાફિક નિયમ બનાવવમાં આવે છે અને કડક પાલન કરાવવામાં આવે છે પરંતુ ઢોર અને ખરાબ રસ્તા ના લીધે અકસ્માત ના બનાવોમાં વધારો થઈ રહ્યો છે તે તંત્ર ધ્યાને નથી લેતું . હાલ તો તંત્ર ની નબળી કામગીરી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો ઢોર ની સમસ્યા માંથી મુક્તિ તથા રોડના સમારકામની આશાએ બેઠા છે
ત્યારે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું

બાઈટ પુંજા ભાઈ કેશવાલા (સ્થાનિક પોરબંદર )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.