પોરબંદરઃ જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબુદ કરવા માટે પોલીસ અધિક્ષક પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા મળેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.બી.એસ.ઝાલા સાહેબની રાહબરી હેઠળ પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ASI અક્ષયભાઈ અગ્રાવત વગેરે સ્ટાફના માણસો રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ASI અક્ષયભાઈ અગ્રાવતને બાતમી રાહે હકિકત મળેલ કે આદીત્યાના ઓ.પી. ના અમરદળ ગામે ખરાવાડ વિસ્તારના તારમહમદ સમના રહેણાંક મકાન પાસે જાહેરમા અમુક લોકો જુગાર રમે છે. જેથી હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા 10 લોકો જાહેરમા જુગાર રમતા મળી આવતા આ લોકો પાસેથી રોકડ રકમ 13750/- તથા મોબાઈલ ફોન નંગ-7 કિ.રૂ.900/- મળી કુલ રૂ.22750/- મળી આવતા તમામ વિરુધ્ધ રાણાવાવ પો.સ્ટે.માં ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.