જિલ્લા કલેકટરએ ગ્રામજનોનાં તમામ પ્રશ્નો-રજૂઆતો સાંભળી ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરવા સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ મા અમૃત્તમ યોજના, કિશાન સમ્માન નિધિ યોજના સહિત પંચાયત વિભાગની વિવિધ યોજનાહઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ સાથે રાણા ખીરસારા ગામે વિશાળ સંખ્યામાં ગ્રામજનો રાત્રીસભામાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, પી.જી.વી.સી.એલ, સિચાંઇ સહિત તમામ વિભાગનાં જિલ્લાકક્ષાનાં અધિકારીઓ ઉપસ્થિત રહી યોજના વિષયક બાબતોથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમનાં પ્રારંભે કુતિયાણા પ્રાંત અધિકારી એ.જે.અંસારીએ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના તેમજ પ્રશ્નો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાણાવાવ માલતદાર સાવલીયા, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા અને જિલ્લાના સબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.