ETV Bharat / state

આખરે ભાજપ અને ખારવા સમાજના વિખવાદનો અંત, ખારવા સમાજે ભાજપને ટેકો કર્યો જાહેર - Porbandar

પોરબંદરઃ થોડા દિવસ પહેલા લોકસભા બેઠક પર ભાજપ અને ખારવા સમાજમાં વિવાદ ઉભો થયો હતો. જેને લઈને ખારવા સમાજના આગેવાને 15 એપ્રિલના રોજ પોરબંદરમાં યોજાયેલ મુખ્ય પ્રધાનની સભાનો બહિષ્કાર કર્યો હતો. જેથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભાજપ દ્વારા ખારવા સમાજને માનવવા માટે કરેલા પ્રયાસો સફળ થયા હતા અને ભાજપ અને ખારવા સમાજના વિવાદનો અંત આવ્યો છે. જેથી ખારવા સમાજે ભાજપને ટેકો જાહેર કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 20, 2019, 7:55 AM IST

ગુરુવારે ખારવા સમાજના આગેવાનો, પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મળ્યા હત્યા. ત્યાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી. જેમાં ખારવા સમાજના બધા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે, તેવી ખાતરી મુખ્ય પ્રધાને આપતા ખારવા સમાજના આગેવાનોએ ભાજપ તરફી મતદાન કરવાનું મન બનાવ્યું છે. જેના ભાગરૂપે આજે ગોંડલના ધારાસભ્ય અને રાજપૂત સમાજના આગેવાન રાજભા જેઠવા પંચાયત મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.

આખરે ભાજપ અને ખારવા સમાજના વિખવાદનો અંત આવ્યો

જ્યાં તેમણે ખારવા સમાજને ખાતરી આપી હતી કે, ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈએ ખારવા સમાજવતી ભાજપને ટેકો જાહેર કર્યો હતો. અને જયરાજ સિંહનું અભિવાદન કરી ત્યાંથી ભાજપનો ખેસ ધારણ કરી ખારવાસમાજના ખારવાવાડમાં રેલી કાઢી હતી. તો વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહેલા ખારવા સમાજના આગેવાન રણછોડ શિયાળે પણ ભાજપને ટેકો જાહેર કર્યો હતો.

ગુરુવારે ખારવા સમાજના આગેવાનો, પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મળ્યા હત્યા. ત્યાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી. જેમાં ખારવા સમાજના બધા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે, તેવી ખાતરી મુખ્ય પ્રધાને આપતા ખારવા સમાજના આગેવાનોએ ભાજપ તરફી મતદાન કરવાનું મન બનાવ્યું છે. જેના ભાગરૂપે આજે ગોંડલના ધારાસભ્ય અને રાજપૂત સમાજના આગેવાન રાજભા જેઠવા પંચાયત મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.

આખરે ભાજપ અને ખારવા સમાજના વિખવાદનો અંત આવ્યો

જ્યાં તેમણે ખારવા સમાજને ખાતરી આપી હતી કે, ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ખુદાઈએ ખારવા સમાજવતી ભાજપને ટેકો જાહેર કર્યો હતો. અને જયરાજ સિંહનું અભિવાદન કરી ત્યાંથી ભાજપનો ખેસ ધારણ કરી ખારવાસમાજના ખારવાવાડમાં રેલી કાઢી હતી. તો વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહેલા ખારવા સમાજના આગેવાન રણછોડ શિયાળે પણ ભાજપને ટેકો જાહેર કર્યો હતો.

પોરબંદર ખારવા સમાજ અને ભાજપ વચ્ચે  વિવાદ નો અંત આવ્યો , ખારવા સમાજે  ભાજપને ટેકો જાહેર કર્યો



પોરબંદર લોક સભા સીટ પર ભાજપ અને ખારવા સમાજ માં વિવાદ ઉભો થયો હતો જેને લઈને ખારવા સમાજ ના આગેવાને 15 એપ્રિલ ના રોજ પોરબંદર માં યોજાયેલ મુખ્ય પ્રધાન ની સભાનો બહિષ્કાર કર્યો હતો જેના પગલે રાજકારણ માં ગરમાવો આવ્યો હતો અને ગઈ કાલે કોંગ્રેસ ના અર્જુન મોઢવાડીયા અને લલિત વસોયા પણ ખારવાસમાંજ ના પંચાયત મઢી એ પહોંચ્યા હતા તો ભાજપ દ્વારા ખારવા સમાજ ને માનવવામાટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા જેમાં ભાજપ અને ખારવા સમાજના વિવાદનો અંત આવ્યો છે અને ખારવા સમાજે આજે ભાજપને ટેકો જાહેર કર્યો છે  


 ગઈકાલે ખારવા સમાજ ના આગેવાનો અને પ્રમુખ પ્રેમજીભાઈ ખુદાઈ ગોંડલ માં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મળ્યા હત્યા અને ત્યાંથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે વાત ચિત કરી હતી જેમાં ખારવા સમાજ ના કોઈપણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી મુખ્ય પ્રધાને આપતા ખારવા સમાજના આગેવાનો એ ભાજપ તરફી મતદાન કરવાનું મન બનાવ્યું છે જેના ભાગ રૂપે આજે ગોંડલ ના ધારાસભ્ય , રાજપૂત  સમાજ ના આગેવાન રાજભા જેઠવા  પંચાયત મંદિરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થતિમાં ખારવા સમાજ ને ખાતરી આપી હતી અને ખારવા સમાજના પ્રમુખ (વાણોટ ) પ્રેમજી ભાઈ ખુદાઈ એ ખારવા સમાજ વતી ભાજપ ને ટેકો જાહેર કર્યો હતો અને જયરાજ સિંહનું અભિવાદન કરી ત્યાંથી ભાજપ ના કમળ પ્રતીક અને ખેસ પહેરી ખરવાસમાંજ ના  ખારવાવાડમાં રેલી નીકળી હતી તો વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા રહેલા ખારવા સમાજના આગેવાન રણછોડ શિયાળે પણ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. 


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.