આ રેત શિલ્પમાં દેશભરમાં જે મોદીની લહેર જોવા મળી છે તેનો સંદેશો દર્શાવામાં આવ્યો હતો. આ રેત શિલ્પને અનેક લોકોએ સરાહનીય ગણાવ્યું હતું અને જોત જોતામાં રેતશિલ્પ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું.
વધુમાં જણાવીએ કે, રેત શિલ્પ બનાવનાર નથુભાઈ ગરચરને અનેક એવોર્ડ મળી ચુક્યા છે. તેઓએ પોરબંદરના દરિયાકિનારે અનેકવાર અદભુત રેત શિલ્પ બનાવી લોકોના મન મોહી લાધી છે. આ કળામાં તેઓ માહિર બન્યા છે અને તેમની કળા અનેક લોકો સુધી પહોંચી છે.