ETV Bharat / state

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો

સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે કોરોના વાઈરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

author img

By

Published : Nov 26, 2020, 11:01 PM IST

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો
સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો
  • સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે વહીવટી તંત્રે લગાવી રોક
  • કોરોના મહામારીને લઈને લેવામાં આવ્યો નિર્ણય
  • સામાજિક અંતર જળવવાની શક્યતાઓ નહિવત જણાતા તર્પણ વિધી પર પ્રતિબંધ મુક્યો

પાટણ: સિદ્ધપુર સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો

શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે.

જાહેર હિતને ધ્યાનમાં રાખી પ્રતિબંધ મૂકવામાં આવ્યો

તર્પણએ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સિદ્ધપુર શહેર અને તાલુકામાં એકીસાથે 32 કેસ નોંધાતા કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતા વધી

સિદ્ધપુર શહેરમાં આજે એકીસાથે 25 અને તાલુકામાં 7 મળી કુલ 32 કોરોના પોઝેટીવ કેસ નોંધાતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને મોડી સાંજે જીલ્લા કલેક્ટર અને એસપી એ સંયુક્ત બેઠક બોલાવી સિદ્ધપુર મા ચાલતી તર્પણ વિધી પર તાત્કાલિક અસરથી રોક લગાવી પ્રતિબંધ મૂક્યો છે.

  • સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે વહીવટી તંત્રે લગાવી રોક
  • કોરોના મહામારીને લઈને લેવામાં આવ્યો નિર્ણય
  • સામાજિક અંતર જળવવાની શક્યતાઓ નહિવત જણાતા તર્પણ વિધી પર પ્રતિબંધ મુક્યો

પાટણ: સિદ્ધપુર સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સિદ્ધપુર ખાતે તર્પણ વિધિ પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો

શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત

જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે.

જાહેર હિતને ધ્યાનમાં રાખી પ્રતિબંધ મૂકવામાં આવ્યો

તર્પણએ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સિદ્ધપુર શહેર અને તાલુકામાં એકીસાથે 32 કેસ નોંધાતા કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતા વધી

સિદ્ધપુર શહેરમાં આજે એકીસાથે 25 અને તાલુકામાં 7 મળી કુલ 32 કોરોના પોઝેટીવ કેસ નોંધાતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને મોડી સાંજે જીલ્લા કલેક્ટર અને એસપી એ સંયુક્ત બેઠક બોલાવી સિદ્ધપુર મા ચાલતી તર્પણ વિધી પર તાત્કાલિક અસરથી રોક લગાવી પ્રતિબંધ મૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.