ETV Bharat / state

રાધનપુર પેટાચૂંટણીઃ સમાજની એકતાની વાત કરતા અલ્પેશ સામે 4 ઠાકોર ચૂંટણી મેદાને...

author img

By

Published : Oct 3, 2019, 7:43 PM IST

પાટણઃ 21 ઓક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણીના ફોર્મની ચકાસણીનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં ફોર્મ ચકાસણી બાદ 13 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા માત્ર 10 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં રહ્યાં છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અને NCPના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.

Radhanpur Assembly Election

એક સમયે આંદોલનકારી બની સમાજ એકતાની મિશાલ આપતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાયા બાદ ધારાસભ્ય પદું ભોગવીને કેસરિયો ધારણ કરી લીધો. આંદોલનકારી, કોંગ્રેસ કે ભાજપ ત્રણેય ભૂમિકામાં અલ્પેશ ઠાકોરે સમાજ એકતાની વાતનું હંમેશા રટણ કર્યું છે. તેવા સમયે હવે પક્ષપલ્ટા બાદ ભાજપે તેમને રાધનપુરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. પરંતુ અહીં તેમની જ કર્મભૂમિમાં સમાજ એકતાના લીરેલીરા ઉડ્યા છે. કારણ માત્ર એટલું જ કે અલ્પેશ ઠાકોર સામે ખુદ ઠાકોર સમાજના 4 આગેવાનો ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે અલ્પેશ ઠાકોરે ખરેખર સમાજ એકતા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હોત તો તેમની સામે સમાજના જ આગેવાનો ચૂંટણી ન લડતા હોત.

ખેર પણ આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. 10 ઉમેદવારો જ ચૂંટણી જંગમા રહ્યા છે. હવે આ ચૂંટણીમાં ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ તરફથી રઘુભાઈ દેસાઈ, NCP તરફથી ગોકલાણી ફરસુભાઈ સહીત 7 અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે અન્ય ચાર ઠાકોર, બે મુસ્લિમ અને એક ચૌધરી ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. આમ આ ચૂંટણી અલ્પેશ ઠાકોર માટે કપરા ચડાણ સમાન બને તો નવાઈ નહી.

એક સમયે આંદોલનકારી બની સમાજ એકતાની મિશાલ આપતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જોડાયા બાદ ધારાસભ્ય પદું ભોગવીને કેસરિયો ધારણ કરી લીધો. આંદોલનકારી, કોંગ્રેસ કે ભાજપ ત્રણેય ભૂમિકામાં અલ્પેશ ઠાકોરે સમાજ એકતાની વાતનું હંમેશા રટણ કર્યું છે. તેવા સમયે હવે પક્ષપલ્ટા બાદ ભાજપે તેમને રાધનપુરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે. પરંતુ અહીં તેમની જ કર્મભૂમિમાં સમાજ એકતાના લીરેલીરા ઉડ્યા છે. કારણ માત્ર એટલું જ કે અલ્પેશ ઠાકોર સામે ખુદ ઠાકોર સમાજના 4 આગેવાનો ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે અલ્પેશ ઠાકોરે ખરેખર સમાજ એકતા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હોત તો તેમની સામે સમાજના જ આગેવાનો ચૂંટણી ન લડતા હોત.

ખેર પણ આજે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે રાધનપુર વિધાનસભા બેઠક પર ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. 10 ઉમેદવારો જ ચૂંટણી જંગમા રહ્યા છે. હવે આ ચૂંટણીમાં ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ તરફથી રઘુભાઈ દેસાઈ, NCP તરફથી ગોકલાણી ફરસુભાઈ સહીત 7 અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે અન્ય ચાર ઠાકોર, બે મુસ્લિમ અને એક ચૌધરી ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. આમ આ ચૂંટણી અલ્પેશ ઠાકોર માટે કપરા ચડાણ સમાન બને તો નવાઈ નહી.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક

રાધનપુર વિધાનસભા ની પેટા ચૂંટણી જંગ મા ફોર્મ ચકાસણી બાદ 13 ઉમેદવારોમાથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 10 ઉમેદવારો ચૂંટણી જંગ મા રહ્યાં છે.આ ચૂંટણી મા ભાજપ, કોંગ્રેસ, અને એનસીપી ના ઉમેદવારો વચ્ચે ત્રિકોણીયો જંગ જામે તેવા એધાણ વર્તાઈ રહ્યાં છે
Body:રાધનપુર વિધાનસભા ની બેઠક પર ચૂંટણી જંગ લડી રહેલા ઉમેદવારો ના ફોર્મ ચકાસણી બાદ આજે ફોર્મ પરત ખેંચવા ના અંતિમ દિવસે ત્રણ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચી લેતા 10 ઉમેદવારો ચૂંટણી જંગ મા રહયા છે.જેમા અલ્પેશ ઠાકોર ભાજપ, રઘૂભાઈ દેસાઈ કોંગ્રેસ, અને ગોકલાણી ફરસુભાઈ એનસીપી,સહીત સાત અપક્ષ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે.Conclusion:ઠાકોર સમાજ નુ પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપ ના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે અન્ય ચાર ઠાકોર ઉમેદવારો એ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આ ઉપરાંત બે મુસ્લિમ અને એક ચૌધરી ઉમેદવાર પણ ચૂંટણી લડી રહયા છે.આમ આ ચૂંટણી અલ્પેશ ઠાકોર માટે કપરા ચડાણ સમાન બને તો નવાઈ નહી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.