પાટણ : ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે પાટણના સાલીવાડા વિસ્તારમાં લીમ્બચ માતાના મંદિરમાં આજે આઠમના પર્વ નિમિતે ભવ્ય ઉજવણી કરવામા આવી(Chaitri Sud Atham was celebrated in Patan) હતી. મંદિર આસપાસના પંથકના લોકો માટે આસ્થાનું પ્રતિક છે. આજના દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે(Navchandi Yagna was organized in Patan) છે. આઠમના દિવસે રાજ્યના વિવિધ શહેરો જેવા કે ગાંધીનગર અમદાવાદ સોલા ખેરાલુ મહેસાણા થી મોટી સંખ્યામાં પગપાળા સંઘો ધજા પતાકા લઈને મા ના દરબારમાં દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો - પેપર ફૂટે નહિ તે માટે વિશેષ આયોજન: 10 એપ્રિલના દિવસે LRDની લેખિત પરીક્ષા
નવચંડી યજ્ઞનું આયોજન કરાયું - ચાલુ વર્ષે પણ વિવિધ સ્થળોએથી માતાજીની માનતા પુર્ણ કરવા માટે લોકો પગપાળા આવી રહ્યા છે. માઇભક્તોએ મંદિરમાં ધજા રોહણ કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ પણ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. લીમ્બચ માતાની વાજતેગાજતે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી નીજ મંદિરે પરત ફરી હતી અને રાત્રે માતાજીની નવ ખંડની પલ્લી ભરવામાં આવી હતી.

આ પણ વાંચો - Organic Farming In Kutch: અન્ન ઔષધ હતું તે હવે ઝેર બન્યું, પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સમય આવી ગયો છે
માનવ મહેરામણ ઉમટ્યું - ગાંધીનગરથી દર વર્ષે મા લીંબચના ધામમાં પગપાળા સંઘ લઈને આવતા સંઘ સંચાલક ભોગીલાલ પારેખે જણાવ્યું હતું કે, વર્ષ 1996 માં 27 માણસોથી સંઘની શરૂઆત કરી હતી જે ધીમે ધીમે વધતી ગઈ છે. ચાલુ વર્ષે 300 પદયાત્રીઓ મા ના દર્શનાર્થે આવ્યા છે. ભક્ત રમેશે જણાવ્યું હતું કે, તેઓ 27 વર્ષથી અમે સંઘ લઈને આવીએ છીએ જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો પાંચ દિવસ સુધી ભેગા મળીને એક સાથે મળી માતાજીના દર્શન કરે
