ETV Bharat / state

એરંડામાં કૃત્રિમ મંદી ઉભી કર્યાના આક્ષેપ, વેપારીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદન

પાટણઃ સમગ્ર રાજ્યમાં ગત્ત વર્ષે મગફળી કૌભાંડે જોર પકડ્યું હતું, ત્યારે અવારનવાર ખેડૂતો સાથે અન્યાયની ઘટના સામે આવતી રહે છે. નવાગંજ માર્કેટ યાર્ડના વેપારીઓએ NDX અને મોટા ઉદ્યોગપતિઓની મીલી ભગતથી એરંડામાં કૃત્રિમ મંદી ઉભી કરવાના વિરોધમાં વેપારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલનું રણશીંગુ ફુક્યું છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરને પણ આવેદન પાઠવી ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણય કરવાની માગ કરી હતી.

એરંડાના ભાવ ઘટતા વેપારીઓમાં રોષ
author img

By

Published : Oct 5, 2019, 8:02 PM IST

પાટણ અને સિદ્ધપુર APMC માર્કેટ યાર્ડના વેપારીઓ શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. NDX અને ખેત પેદાશોની કૃત્રિમ મંદી ઉભી કરવા મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. પાટણના વેપારીઓએ એરંડાના ભાવ ઘટાડા અને વારંવાર મંદીની સરકીટ વાગતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

એરંડાના ભાવ ઘટતા વેપારીઓમાં રોષ

નવાગંજ બજારમાં એરંડાના ભાવ રુપિયા 1080થી 1125 સુધી રાબેતા મુજબ હતા, પરંતુ NDX અને મોટા એરંડાના ભાવ રુપિયા 250થી 350 થયા છે, જેને કારણે ખેડૂતો નાના વેપારીઓને નીચા ભાવથી માલ વેચવાની ફરજ પડી રહી છે અને માલ સસ્તા ભાવે પડાવી લેવાનો કિસ્સો રચવામાં આવ્યો છે. NDX તેમજ કૃત્રિમ મંદીનો માહોલ ઉભો કરનારા અધિકારીઓ અને ઉદ્યોગકારોને ખુલ્લા પાડવાન પણ માગ કરવામાં આવી છે. આ ઉપરાંત એરંડાના ભાવમાં વધારો નહીં થાય ત્યાં સુધી પાટણ સહિત ઉત્તર ગુજરાતની તમામ અનાજ મંડળીઓના વેપારીઓ અને બજાર સમિતિઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

પાટણ અને સિદ્ધપુર APMC માર્કેટ યાર્ડના વેપારીઓ શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. NDX અને ખેત પેદાશોની કૃત્રિમ મંદી ઉભી કરવા મામલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. પાટણના વેપારીઓએ એરંડાના ભાવ ઘટાડા અને વારંવાર મંદીની સરકીટ વાગતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

એરંડાના ભાવ ઘટતા વેપારીઓમાં રોષ

નવાગંજ બજારમાં એરંડાના ભાવ રુપિયા 1080થી 1125 સુધી રાબેતા મુજબ હતા, પરંતુ NDX અને મોટા એરંડાના ભાવ રુપિયા 250થી 350 થયા છે, જેને કારણે ખેડૂતો નાના વેપારીઓને નીચા ભાવથી માલ વેચવાની ફરજ પડી રહી છે અને માલ સસ્તા ભાવે પડાવી લેવાનો કિસ્સો રચવામાં આવ્યો છે. NDX તેમજ કૃત્રિમ મંદીનો માહોલ ઉભો કરનારા અધિકારીઓ અને ઉદ્યોગકારોને ખુલ્લા પાડવાન પણ માગ કરવામાં આવી છે. આ ઉપરાંત એરંડાના ભાવમાં વધારો નહીં થાય ત્યાં સુધી પાટણ સહિત ઉત્તર ગુજરાતની તમામ અનાજ મંડળીઓના વેપારીઓ અને બજાર સમિતિઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.

Intro:સ્ટોરી ઍપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક

પાટણ નવાગંજ માર્કેટયાર્ડ ના વેપારીઓ એ એનસીડીએક્સ અને મોટાઉદ્યોગપતિઓની મિલી ભગતથિ એરંડા મા કૃત્રિમ મંદી ઊભી કરવાનાં વિરોધ મા વેપારીઓ એ અચોક્કસ મુદત ની હડતાલ નું રંણશીંગુ ફૂંકી જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી ખેડૂતો અને વેપારીઓ ના હિત મા નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરિ હતી.Body: પાટણ અને સિદ્ધપુર એ.પી.એમ.સી માર્કેટયાર્ડ ના વેપારીઓ આજ થી અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા છે એન.સી.ડી.એક્સ અને ખેત પેદાશો ની કૃત્રિમ મંદી ઉભી કરવા મામલે વેપારીઓ એ વિરોધ નોંધાવ્યો અને અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતરી જવા પામ્યા છે પાટણ ના વેપારીઓ એ એરંડા ના ભાવ ઘટાડા અને વારંવાર મંદી ની સરકીટ વાગતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેટર ને આવેદનપત્ર આપી રજુઆત કરિ હતી કે નવાગંજ બજારમાં એરંડા ના ભાવ રૂપિયા 1080 થી1125 સુધી રાબેતા મુજબ હતાં.પણ એનસીડીએક્સ અને મોટા ઉદ્યોગપતિઓ ની ખોટી નીતિને કારણે નવા નિયમો બહાર પાડી બજારમાં મંદીની મોટી સર્કિટો મારતા
એરંડા ના ભાવ રૂ.250 થી 350 થયાં છે જેને કારણે ખેડુતો અને નાના વેપારીઓ ને નીચા ભાવ થી માલ વેચવાની ફરજ પાડી માલ સસ્તાભાવ પડાવી લેવાનો કરસો રચવામાં આવ્યો છે.અને એન.સી.ડી.એક્સ તેમજ કૃત્રિમ મંદી નો માહોલ ઉભો કરનાર અધિકારીઓ અને ઉદ્યોગકારો ને ખુલ્લા પાડવા ની માંગ કરી હતી

બાઈટ - 1 ભરત ભાઈ પટેલ,પ્રમુખ એ.પી.એમ.સી વેપારી ઍસોસિયન પાટણ

બાઈટ - 2 હસમુખભાઈ પટેલ, વેપારી

Conclusion:એરંડા ના ભાવમાં વધારો નહી થાય ત્યા સુધી પાટણ સહીત ઉત્તર ગુજરાત ની તમામ અનાજ મંડળી ના વેપારીઓ અને બજાર સમિતિઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.