જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામના સુમિત્રા બહેનના લગ્ન 15 વર્ષ આગાઉ શહેરા તાલુકાના તાડવા ગામમાં કનુભાઈ સાથે થયા હતા. લગ્ન જીવનમાં આ દંપતી ને 3 સંતાનો હતા. પણ 4 વર્ષ આગાઉ પતિનું મોત થતા પતિનાનાના ભાઈઅમરસિંહ સાથેદિયરવટું કરીલગ્ન કર્યા હતા.
ત્યારબાદ આદંપતી અમદાવાદ મજૂરી કરવા ગયું હતું. હોળીનોતહેવાર આવતો હોવાથી દંપતી પોતાના વતન પરત ફર્યું હતું. પણ ધૂળેટીની રાતએ સુમિત્રાબેન માટે કાળરાત્રિ સમાન હતી.શુક્રવારે સવારે સુમિત્રાબેનના કોઈ સંબંધી દ્વારા સુમિત્રાના પિયર ફોન કરી જાણ કરવામાં આવી કે ગુરુવાર ના રોજ પતિ-પત્નિવચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો અને સવારે સુમિત્રામરણ પામેલી હાલતમાં જોવા મળી છે.
આ સમાચાર સાંભળી સુમિત્રાના સગા વહાલા તાડવા મુકામે દોડીઆવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાના સાક્ષી સંતાનોએ જણાવ્યું કે, કાકા એ માંને દફના વડે માર માર્યો હતોઅને અમે ડરના માર્યા ઝાડ પાછળ સંતાય ગયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને નજીકમાં છુપાયેલા આરોપી પતિને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.