પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ માઈનોરીટી સેલ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગોધરા નગર પશ્ચિમ વિસ્તારના મેઇન રોડ પોલીસ ચોકી નંબર સાતથી સિગ્નલ ફળિયા સુધીના કરનારાનો રોડ જે બિસ્માર હાલતમાં છે. તેમજ વાહનોની અવરજવરને કારણે ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાય છે.
તે ઉપરાંત એશિયાના સૌથી મોટા મુસ્લિમ કબ્રસ્તાન પાસેના રસ્તાની હાલત બિસ્માર છે. અહીં મુસ્લિમ સમાજ દ્વારા જનાજા લઈને જતી વખતે રસ્તાઓ પર ખાડાઓને કારણે જનાજા પડી જવાનો ભય રહે છે. આ વિસ્તારમાં રસ્તાઓના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ડેન્ગ્યુ, કમળો સહિતની અનેક પ્રકારની ગંભીર બીમારીની અસર આ વિસ્તારમાં જોવા મળે છે. આ મામલે આ પ્રશ્નોને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.