ETV Bharat / state

પંચમહાલઃ સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો - સ્ટીલ ઉદ્યોગ સમાચાર

ગોધરાઃ સમગ્ર રાજ્ય સહિત પંચમહાલના સ્ટીલ ઉદ્યોગો પર મંદીના વાદળો ઘેરાયા છે. ગોધરા અને હાલોલ સ્થિત સાત સ્ટીલ પ્લાન્ટ પૈકી ત્રણ પ્લાન્ટ બંધ કરવાનો વારો આવ્યો છે. જેને કારણે એક હજારથી વધુ કામદારોની રોજી-રોટી છીનવાય છે. એટલું જ નહીં અન્ય બે પ્લાન્ટ બંધ થવાને આરે છે. આજે હજારો કામદારોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ સહિત રાજકોટ, ભાવનગર સુધી સ્ટીલ ઉદ્યોગ એકમમાં એક્કો જમાવનારા ગોધરાના સ્ટીલ ઉદ્યોગપતિ ફિરદોસ કોઠીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે....

સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો
author img

By

Published : Sep 29, 2019, 5:34 PM IST

Updated : Sep 29, 2019, 11:25 PM IST

ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે, ત્યારે મંદીને કારણે ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા 1 ઓક્ટોબર સુધીમાં રાહત જાહેર નહીં કરવામાં આવે તો બે મોટા સ્ટીલ પ્લાન્ટો બંધ થવાની શક્યતાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે 600 થી વધુ કામદારો બેકાર બનશે ત્યારે સરકાર રાહત જાહેર કરે તેવી માંગ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી છે. એવામાં મજૂરોને છૂટા કરવામાં પણ આવી રહ્યા છે.

સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો

તાજેતરમાં મંદીની માર ઝેલી રહેલા સિરામીક અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા વિશેષ પેકેજ થકી રાહત આપવામાં આવી હતી, ત્યારે જોવું એ રહ્યું કે, સ્ટીલ ઉદ્યોગ માટે સરકાર કેવા પગલા ભરે છે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે, ત્યારે મંદીને કારણે ઉત્પાદનમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા 1 ઓક્ટોબર સુધીમાં રાહત જાહેર નહીં કરવામાં આવે તો બે મોટા સ્ટીલ પ્લાન્ટો બંધ થવાની શક્યતાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે 600 થી વધુ કામદારો બેકાર બનશે ત્યારે સરકાર રાહત જાહેર કરે તેવી માંગ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી છે. એવામાં મજૂરોને છૂટા કરવામાં પણ આવી રહ્યા છે.

સ્ટીલ ઉદ્યોગ પર છવાયા મંદીના વાદળો

તાજેતરમાં મંદીની માર ઝેલી રહેલા સિરામીક અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા વિશેષ પેકેજ થકી રાહત આપવામાં આવી હતી, ત્યારે જોવું એ રહ્યું કે, સ્ટીલ ઉદ્યોગ માટે સરકાર કેવા પગલા ભરે છે.

Intro: રાજ્ય સહીત પંચમહાલ ના સ્ટીલ ઉદ્યોગો પર છવાયા મંદીના વાદળો ગોધરા અને હાલોલ સ્થિત આવેલ સાત સ્ટીલ પ્લાંટ પૈકી ત્રણ પ્લાંટ બંધ થયા જેને કારણે એક હજાર ઉપરાંત કામદારો ની રોજી રોટી છીનવાય અન્ય બે પ્લાંટ બંધ થવાના આરે

લોખન્ડ ઉપર રમાતો દેશવ્યાપી ICH સટ્ટો અને મંદીની અસર થી ઝઝૂમતા સ્ટીલ ઉદ્યોગ પર હવે ખંભાતી તાળા લાગી રહ્યા છે જેને કારણે હજારો કામદાર બેકારી ની ખપ્પર માં ધકેલાઈ રહ્યા છે પંચમહાલ સહીત રાજકોટ ભાવનગર સુધી સ્ટીલ ઉદ્યોગ એકમ માં એક્કો જમાવનાર ગોધરા ના સ્ટીલ ઉદ્યોગપતિ ફિરદૌસ ભાઈ કોઠી એ ચિંતા વ્યક્ત કરી છે અને સ્ટીલ ઉદ્યોગ સાથે સંકળાયલે હજારો કામદારોની છીનવાતી રોજી રોટી અને સ્ટીલ ઉદ્યોગોને બચાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે મદદ ની ગુહાર લગાવી રહ્યા છે એક પછી એક ટપો ટપ બંધ થઈ રહેલ સ્ટીલ ઉદ્યોગો ને લઇ સરકાર ગંભીરતા નહીં દાખવે તો આગામી દિવસોમાં ડચકા ખાઈ રહેલ વધુ સ્ટીલ પ્લાંટ બંધ થશે જેના કારણે વધુ 25 હજારઉપરાંત કામદારોની રોજી રોટી છીનવાઈ જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે

ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસનો દર છેલ્લા અનેક વર્ષોની સૌથી નીચી સપાટીએ છે દેશ પણ મંદી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ની આસપાસ આવેલા સ્ટીલ પ્લાન્ટ તથા તેને સંલગ્ન મિલો બંધ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે કારણ કે સ્ટીલ ઉદ્યોગો પહેલી વખત આટલી મોટી મંદીનો સામનો કરી રહ્યો છે મંદીના કારણે હજારો લોકો બેકાર બની ગયા છે અને 40 ટકા ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું ઉદ્યોગપતિ જણાવ્યું હતું સરકાર દ્વારા 1 ઓક્ટોબર સુધીમાં રાહત જાહેર નહીં કરવામાં આવે તો બે મોટા સ્ટીલ પ્લાન્ટો બંધ થવાની શક્યતાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે 600 થી વધુ કામદારો બેકાર બનશે ત્યારે સરકાર રાહત જાહેર કરે તેવી માંગ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી છે

મોટાભાગ ના તમામ ઉદ્યોગો હાલ પહેલી વખત આટલી મોટી મંદીનો સામનો કરી રહ્યા છે જેના કારણે હજારો લોકો બેકાર થઇ રહ્યા છે મોટાભાગના વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને કંપની ઓને નફાની જગ્યાએ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ મંદીનો ભારે સામનો કરી રહ્યા છે તેવામાં મોટી ખોટ કરતા ઉધ્યોગો ન છૂટકે બંધ કરવા નો વારો આવ્યો છે ઉદ્યોગો બંધ થવાના કારણે હજારોની સંખ્યામાં કામદારો ની રોજી રોટી છીનવાઈ રહી છે અને હજારો યુવા બેરોજગારી ની ખપ્પર માં ધકેલાઈ રહ્યા છે તાજેતરમાં મંદીની માર ઝેલી રહેલ સીરામીક અને ટેક્ષટાઇલ ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર દ્વારા વિશેષ પઁકેજ થકી રાહત આપવામાં આવી હતી પરંતુ સ્ટીલ પ્લાન્ટોને સરકાર દ્વારા રાહત આપવામાં ન આવતા મોટાભાગ ના સ્ટીલ પ્લાન્ટો હવે મંદીની અસરના કારણે બંધ થવાના આરે છે ગોધરાના ઉદ્યોગપતિ ફિરદોસભાઈ કોઠી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પંચમહાલ,રાજકોટ ભાવનગર,સહિતના શહેરોમાં 12 જેટલા પ્લાન્ટ પૈકી ત્રણ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને 1000 જેટલા કામદારોને છુટા પણ કરવામાં આવ્યા છે મંદીની દિવસે ને દિવસે સખત અસર વર્તાઈ રહી છે જેના કારણે તાજેતરમાં રાહત માટે સ્ટીલ એસોશિએશન દ્વારા સરકારમાં રજુઆત પણ કરવામાં આવી હતી પરંતુ સ્ટીલ ઉદ્યોગ માટે હજી સુધી કોઈ પણ રાહતની જાહેર કરવામાં આવી નથી આગામી 1 ઓક્ટોબર સુધીમાં સરકાર દ્વારા રાહત જાહેર કરવામાં નહીં આવે તો ગોધરાના બે સ્ટીલ પ્લાન્ટો અને બહાર ના સાત પ્લાન્ટો મળી કુલ-નવ જેટલા પ્લાન્ટો બંધ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા વહેલીતકે ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણીઓ સંદર્ભે રાહત જાહેર કરવામાં આવે તે ખુબ જરૂરી છે સાથે મહારાષ્ટ ની જેમ ગુજરાતમાં પણ વીજળીના દરમાં સરકાર થોડી ઘણી રાહત આપે તેવી માંગ પણ સ્ટીલ ઉધ્યોગ દ્વારા કરવામાં આવી છે

બાઈટ ;1 ફિરદૌસ કોઠી ; સ્ટીલ કંપની મલિક
2 અંબાલાલ ભોઈ ; પ્રેસિડેન્ટ ગુજરાત મજુર ફેડરેશન --
Body:એપ્રુવ assimentConclusion:
Last Updated : Sep 29, 2019, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.