રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલી ચલણી નોટોની ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.જેમાં અલગ રીતો દ્વારા ચલણી નોટો રાજ્ય બહારથી લાવવામાં આવી રહી છે.પંચમહાલ પોલીસે બાતમીના આધારે પોલીસે નર્મદા કેનાલ પરથી એક ગાડી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જે બાદ પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી નકલી નોટોના (૧) રૂપિયા 100 ના દરની નંગ-2822 નોટો,એમ કુલ રુપિયા 2,82,200, તો રૂપિયા 200ની દરની નંગ 225 કિમંત રૂપિયા 45000 તથા રૂપિયા 500 ના દરની નંગ 85 નોટો જેની કુલ કિમંત રૂપિયા 42500 હતી.
આમ મળી કુલ બનાવટી નોટોનો નંગ-3132 જેની કુલ કિમિંત રૂપિયા 3,69,700 ની પોલીસે જણાવી હતી. પોલીસે હાલ આરોપી રમણસિહ બલુસિહ જાદવ,જગદીશ ઉદેસિહ ચૌહાણ અને નટવરસિહ ભારતસિહ ચૌહાણ ની ધરપકડ કરી છે જોકે અન્ય એક આરોપી અજીતસિંહ વાઘજીભાઇ પરમાર જે ફરાર થવામાં સફળ રહ્યો હતો.આમ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ સાથે આ ગુનામાં સંકળાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઝડપાયેલા ૩ ઇસમો આ નકલી નોટો ફરાર અજીતસિંહ પાસેથી લેતા હતા જે નકલી નોટોને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ચલણમાં લાવી દેતા હતા અને આ કામ કરવાના તેઓને 45 ટકા જેટલું કમીશન પણ મળતું હતું .