ETV Bharat / state

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી

author img

By

Published : May 4, 2021, 10:32 PM IST

મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન અને પંચમહાલ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાએ આજે મંગળવારે ગોધરાની મુલાકાત લીધી હતી. ત્યારે જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી
  • ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગોધરાની મુલાકાત લીધી
  • જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી
  • મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત લીધી મુલાકાત

પંચમહાલઃ સમગ્ર રાજ્યમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો તારીખ 1 મે થી મુખ્યપ્રધાન દ્વારા પ્રારંભ કરાવ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરાની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ગોધરા ખાતે આવી રાજકીય સભ્યો, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ ગોધરા શહેરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી

અત્યારે 1 લાખથી વધુ બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી

જિલ્લામાં કોવિડ-19ના દર્દીઓની હાલતની સ્થિતિ, મરણ પામેલા દર્દીઓના ડેડબોડીના નિકાલની વ્યવસ્થા, જિલ્લામાં સ્મશાન અને કબ્રસ્તાનની પરિસ્થિતિની ચર્ચા, આરોગ્ય કેન્દ્રોમાં વેલટ્રેન્ડ સ્ટાફ અને ગ્રામ્ય કક્ષામાં રસીકરણ સંપૂર્ણ થાય તેના પર ભાર મુક્યો હતો. આ મુલાકાત દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓની સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 15 માર્ચના રોજ રાજ્યમાં 31000 બેડની ઉપલબ્ધતા હતી. જે વધારીને આજે 1 લાખ વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આજે 150 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન રાજ્યની જનતા માટે ઉપલબ્ધ છે. આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ પર પણ ભાર મુક્યો હતો.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં મુખ્યપ્રધાને મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો કરાવ્યો પ્રારંભ

વેક્સિનેશન જેટલું વધશે તેટલું જ સંક્રમણ ઘટશે

જિલ્લાના દરેક દવાખાનાઓમાં બેડની પરિસ્થિતિની જાણકારી માટે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરની જાણકારી મળી રહે તે જોવા જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય સ્થળે સીટી સ્કેન મશીનો, રેડીઓલોજિસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરવા જણાવ્યું હતું. ગુહ રાજ્ય પ્રધાને દવાઓની કાળાબજારની તપાસ અને દર્દીઓ ડુપ્લીકેટ દવાઓના કારણે પરેશાન ના થાય તે જોવા જિલ્લા કલેક્ટરને અનુરોધ કર્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું કે, વેક્સિનેશન જેટલું વધશે તેટલું જ સંક્રમણ ઘટશે. આવશ્યકતા મુજબની તમામ જરૂરિયાતોનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પાલન કરી કોરોનાને હરાવવાની હાકલ કરી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ગોધરા નર્સિંગ સ્કૂલ ખાતે અને ગોવિંદી ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

  • ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગોધરાની મુલાકાત લીધી
  • જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી
  • મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત લીધી મુલાકાત

પંચમહાલઃ સમગ્ર રાજ્યમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો તારીખ 1 મે થી મુખ્યપ્રધાન દ્વારા પ્રારંભ કરાવ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરાની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ગોધરા ખાતે આવી રાજકીય સભ્યો, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ ગોધરા શહેરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પંચમહાલની મુલાકાત લીધી

અત્યારે 1 લાખથી વધુ બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી

જિલ્લામાં કોવિડ-19ના દર્દીઓની હાલતની સ્થિતિ, મરણ પામેલા દર્દીઓના ડેડબોડીના નિકાલની વ્યવસ્થા, જિલ્લામાં સ્મશાન અને કબ્રસ્તાનની પરિસ્થિતિની ચર્ચા, આરોગ્ય કેન્દ્રોમાં વેલટ્રેન્ડ સ્ટાફ અને ગ્રામ્ય કક્ષામાં રસીકરણ સંપૂર્ણ થાય તેના પર ભાર મુક્યો હતો. આ મુલાકાત દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓની સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 15 માર્ચના રોજ રાજ્યમાં 31000 બેડની ઉપલબ્ધતા હતી. જે વધારીને આજે 1 લાખ વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આજે 150 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન રાજ્યની જનતા માટે ઉપલબ્ધ છે. આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ પર પણ ભાર મુક્યો હતો.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં મુખ્યપ્રધાને મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો કરાવ્યો પ્રારંભ

વેક્સિનેશન જેટલું વધશે તેટલું જ સંક્રમણ ઘટશે

જિલ્લાના દરેક દવાખાનાઓમાં બેડની પરિસ્થિતિની જાણકારી માટે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબરની જાણકારી મળી રહે તે જોવા જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં તથા અન્ય સ્થળે સીટી સ્કેન મશીનો, રેડીઓલોજિસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ અને દવાના ભાવોનું નિયંત્રણ કરવા જણાવ્યું હતું. ગુહ રાજ્ય પ્રધાને દવાઓની કાળાબજારની તપાસ અને દર્દીઓ ડુપ્લીકેટ દવાઓના કારણે પરેશાન ના થાય તે જોવા જિલ્લા કલેક્ટરને અનુરોધ કર્યો હતો. તેમજ તેઓએ જણાવ્યું કે, વેક્સિનેશન જેટલું વધશે તેટલું જ સંક્રમણ ઘટશે. આવશ્યકતા મુજબની તમામ જરૂરિયાતોનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. કોવિડ-19ના નિયમોનું ચુસ્ત પાલન કરી કોરોનાને હરાવવાની હાકલ કરી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ગોધરા નર્સિંગ સ્કૂલ ખાતે અને ગોવિંદી ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.