ETV Bharat / state

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ - MP in connection with the Panchamahal dairy scam

પંચમહાલઃ જિલ્લાના ભૂતપૂર્વ સાંસદ અને પંચામૃત ડેરીના ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી સહિત 8 કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડેરીમાં થયેલી ઓડિટમાં આરોપીઓએ ડેરીમાંથી રૂપિયા 2.40 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. જેથી હાલ ડેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Nov 15, 2019, 5:59 PM IST

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે આર્શીવાદ સમાન પંચામૃત ડેરીમાં ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાની જીવાદોરી સમી આ ડેરીમાં ભાજપના ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પંચામૃત ડેરીના કર્મચારીઓ વિરૂદ્ધ ડેરીમાં ઉચાપત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે, તેમણે વર્ષ 2008-2009 અને 2009-2010માં પોતાના આર્થિક લાભ માટે ડેરીના દ્વારા થતાં દૂધ- છાશના વિતરણમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને 2.40 કરોડની ઉચાપત કરી હોવાનું ઓડીટમાં બહાર આવ્યું હતું. જેથી પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા ગોધરા બી- ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2008-2009માં રૂપિયા 1.49 કરોડ તેમજ 2009-2010 દરમિયાન 91 લાખની ઉચાપત થઈ હોવાની બે અલગ-અગલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા માજી સાંસદ, પંચામૃત ડેરીના ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી, જે-તે સમયના MD અને માર્કેટીંગ વિભાગના 7 કર્મચારીઓ વિરૂદ્ધ કાવતરૂં રચી સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે સાંસદ અને ડેરીના ચેરમેને આ આરોપને વખોડવાતા જણાવ્યું હતું કે, "વર્ષેને વર્ષે ઓડિટ થતું રહે છે. આ ઘટના ઉપજાવી કાઢેલી છે. મારે ચેરમેન પદ છોડે 10 વર્ષ થઈ ગયા છે, ત્યારે હાલ ફરિયાદ નોંધાવી એ એક રાજકીય સ્ટંટ સિવાય બીજુ કાંઈ નથી."

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે આર્શીવાદ સમાન પંચામૃત ડેરીમાં ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાની જીવાદોરી સમી આ ડેરીમાં ભાજપના ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પંચામૃત ડેરીના કર્મચારીઓ વિરૂદ્ધ ડેરીમાં ઉચાપત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે, તેમણે વર્ષ 2008-2009 અને 2009-2010માં પોતાના આર્થિક લાભ માટે ડેરીના દ્વારા થતાં દૂધ- છાશના વિતરણમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને 2.40 કરોડની ઉચાપત કરી હોવાનું ઓડીટમાં બહાર આવ્યું હતું. જેથી પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા ગોધરા બી- ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પંચમહાલ ડેરી કૌભાંડ મામલે પૂર્વ સાંસદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2008-2009માં રૂપિયા 1.49 કરોડ તેમજ 2009-2010 દરમિયાન 91 લાખની ઉચાપત થઈ હોવાની બે અલગ-અગલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા માજી સાંસદ, પંચામૃત ડેરીના ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી, જે-તે સમયના MD અને માર્કેટીંગ વિભાગના 7 કર્મચારીઓ વિરૂદ્ધ કાવતરૂં રચી સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે સાંસદ અને ડેરીના ચેરમેને આ આરોપને વખોડવાતા જણાવ્યું હતું કે, "વર્ષેને વર્ષે ઓડિટ થતું રહે છે. આ ઘટના ઉપજાવી કાઢેલી છે. મારે ચેરમેન પદ છોડે 10 વર્ષ થઈ ગયા છે, ત્યારે હાલ ફરિયાદ નોંધાવી એ એક રાજકીય સ્ટંટ સિવાય બીજુ કાંઈ નથી."

Intro:પંચમહાલ જીલ્લાના ભૂતપૂર્વ સાંસદ અને પચામૃત ડેરીના માજી ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પંચામૃત ડેરીના ૮ કર્મચારીઓ સામે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે રૂ.૨.૪૦ કરોડની ઉચાપતની ફરિયાદ નોધાઇ છે.

પંચમહાલ , દાહોદ અને મહીસાગર જીલ્લાના પશુપાલકો માટે આશીર્વાદ સમાન પંચામૃત ડેરી ગોધરા ખાતે આવેલી છે અને હજારો પશુપાલકો તેમજ ગ્રાહકોની મોટી શ્રુંખલા ધરાવતી આ ડેરી વર્ષે સારો નફો પણ મેળવે છે અને જેને લઈને જ પંચામૃત ડેરીના ચેરમેન પદને લઈને ભાજપ અને કોંગ્રેસ એમ બંને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવતા હોય છે ત્યારે આવા જ ભાજપના ચેરમેન ભુપેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકી તેમજ પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૦૮-૨૦૦૯ અને વર્ષ ૨૦૦૯-૨૦૧૦ માં પોતાના આર્થિક લાભ માટે ડેરી દ્વારા કરવામાં આવતા દૂધ અને છાશના વિતરણ અંગેના ખોટા દસ્તાવેજો ઉભા કરી તે દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી રૂ.૨.૪૦ કરોડની ઉચાપત કરી હોવાનું હાલ પંચામૃત ડેરીમાં હાથ ધરવામાં આવેલા ઓડીટ દરમિયાન બહાર આવ્યું છે . રૂ.૨.૪૦ કરોડની ઉચાપત થયા હોવાનું ઓડીટ રીપોર્ટમાં બહાર આવતા પંચામૃત ડેરીના હાલના કર્મચારી દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ ખાતે પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે . ડેરીના કર્મચારી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૦૮-૨૦૦૯ માં રૂ.૧.૪૯ કરોડ તેમજ નાણાકીય વર્ષ ૨૦૦૯-૨૦૧૦ દરમિયાન ૯૧ લાખ ની ઉચાપત થયા હોવાની બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોધાવી છે . પોલીસ દ્વારા હાલ માજી સાંસદ અને પંચામૃત ડેરીના માજી ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ ડેરીના તે સમયના એમ ડી તેમજ માર્કેટિંગ વિભાગના ૭ કર્મચારીઓ વિરુધ કાવતરું રચી સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ ઉચાપત અંગેની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે .


બાઈટ : આર આઈ દેસાઈ , ડીવાયએસપી, ગોધરા

: સમગ્ર મામલે માજી સાંસદ અને ડેરીના માજી ચેરમેનએ કેમેરા સામે કંઈપણ કહેવાનો ઇનકાર કરી જણાવ્યું હતું કે તેઓ ચેરમેન હતા તે વખતે અને આજે પણ ડેરીમાં દરેક દિવસનું રોજે રોજ ઓડીટ થતું હોય છે અને આ ઉચાપતની વાત ઉપજાવી કાઢેલ છે અને ચેરમેન પદ છોડયાને ૧૦ વર્ષ જેટલો સમય વીતી ગયો છે ત્યારે દસ વર્ષ બાદ આ પ્રકારે જે ફરિયાદ કરવામાં આવી છે તે એક રાજકીય સ્ટંટ છે .
Body:એપૂર્વ કલ્પેશભાઈ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.