ETV Bharat / state

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો - gujarat latest news

નવસારી: હિંસક પ્રાણી ગણાતા દીપડાઓએ શિકારની શોધમાં દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં પોતાનો અડિંગો જમાવતા જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા તાલુકાના ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તકનો લાભ લઈ આ દીપડાઓ શેરડીના ખેતરોમાં છુપાઇને પશુ ચરાવતા માલધારીઓ તેમજ ઢોરોમાં હિંસક હુમલાઓ કરી દહેશત ઉભી કરી રહ્યા છે. આથી ઢોરોના રક્ષણ સામે એક મોટો સવાલ ઉભો થયો છે. તેમજ લોકોમાં દીપડાઓનો આતંક બંધ થાય એવી માગણીઓ કરાઇ રહી છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો
author img

By

Published : Nov 24, 2019, 1:26 PM IST

શિડ્યુલ - ડીમાં આવતા પ્રાણી દીપડાને નુકશાન થાય તો નુકશાન કરનારાને કાયદાની જાળમાં ફસાવવાનો વારો પણ આવી શકે છે. સામાજિક વનીકરણ વિભાગે માનવજાતે દીપડાઓ સાથે રહેવાની આદત પાડવી પડશે એવો સંદેશો આપ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દીપડાઓના ત્રાસની ફરિયાદ માટે પાંજરાઓ મૂકીને તથા વિઝિટ લઈને સંતોષ માનતું હોય છે. પરંતુ તાજેતરમાં જલાલપોર, ગણદેવી, ચિખલી, વાંસદા તાલુકામાં દીપડાએ એક પછી એક મરઘાં, બકરા તેમજ ગાય પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પશુપાલકોએ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો

જંગલો કપાઇ રહ્યાં છે અને સાથે જ વન્ય પ્રાણીઓનો શિકાર પણ થઇ રહ્યો છે. માનવે જંગલો કાપીને ઉભી કરેલ આફત હવે માનવને જ નડી રહી છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં વધેલ દીપડાઓનું આગમન માનવજીવનને ધ્રુજાવી રહ્યું છે.

શિડ્યુલ - ડીમાં આવતા પ્રાણી દીપડાને નુકશાન થાય તો નુકશાન કરનારાને કાયદાની જાળમાં ફસાવવાનો વારો પણ આવી શકે છે. સામાજિક વનીકરણ વિભાગે માનવજાતે દીપડાઓ સાથે રહેવાની આદત પાડવી પડશે એવો સંદેશો આપ્યો છે. સામાજિક વનીકરણ વિભાગ દીપડાઓના ત્રાસની ફરિયાદ માટે પાંજરાઓ મૂકીને તથા વિઝિટ લઈને સંતોષ માનતું હોય છે. પરંતુ તાજેતરમાં જલાલપોર, ગણદેવી, ચિખલી, વાંસદા તાલુકામાં દીપડાએ એક પછી એક મરઘાં, બકરા તેમજ ગાય પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પશુપાલકોએ મોટા પ્રમાણમાં નુકશાની વેઠવી પડી છે.

દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં દીપડાઓનો આતંક, ભયના ઓથાર હેઠળ જીવતા ગ્રામજનો

જંગલો કપાઇ રહ્યાં છે અને સાથે જ વન્ય પ્રાણીઓનો શિકાર પણ થઇ રહ્યો છે. માનવે જંગલો કાપીને ઉભી કરેલ આફત હવે માનવને જ નડી રહી છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં વધેલ દીપડાઓનું આગમન માનવજીવનને ધ્રુજાવી રહ્યું છે.

Intro:સ્ટોરી એપ્રુવ
એસાઇન્મેન્ટ

દક્ષિણ.ગુજરાતના ગામડાઓમાં માનવભક્ષી દીપડાઓનું છેલ્લા 10વર્ષમાં વધી રહેલ આગમન માનવજીવને ફફડાવી ને ધ્રુજાવી રહ્યું છે મરઘાં,બકરા,અને ગાયોના શિકાર માટે જંગલ તરફથી આવતા દીપડાઓએ ખેતરોમાં પોતાનો વસવાટ કરતા માનવજીવનમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.........



હિંસક પ્રાણી ગણાતા દીપડાઓ શિકારની શોધમાં ગામડાઓ તેમજ શહેરોમાં પોતાનો અડિંગો જમાવતા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે શેરડીના ખેતરોમાં ખાસ કરીને છુપાયેલા દીપડાઓ મોકાનો લાભ લઈને પશુપાલન કરતા વિસ્તારોમાં હિંસક હુમલાઓ કરીને નુકશાન પોહચાડી રહ્યા છે એવા કેટલાક બનાવો દક્ષિણ ગુજરાતના ગામડાઓ માં બની રહ્યા છે ખેડૂતોને રોજગારીઓ આપતા ઢોરો ના રક્ષણ સામે એક મોટો સવાલ ઉભો થયો છે સાથે દીપડાના હુમલાની એક દહેશત માનવજાત માં પણ જોવા મળી રહી છે ત્યારે દીપડાઓનો આંતક બંધ થાય એવી માંગણીઓ કરાય રહી છે 



Body:શિડ્યુલ - ડી માં આવતું પ્રાણી દીપડા ને નુકશાન થાય તો નુકશાન કરનારા પક્ષને કાયદાની જાળમાં ફસાવવાનો વારો પણ આવી શકે છે જેને લઈને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા માનવજાતે દીપડાઓ સાથે રહેવા આદત પાડવી પડશે એવો સંદેશો આપ્યો છે પીંજારાઓ મૂકીને સંતોષ માનતું  હોય  છે ત્યારે માનવભક્ષી દીપડાઓ થી ગ્રામ્ય વિસ્તાર ભયના ઓજા હેઠળ પોતાનું જીવન જીવી રહ્યા છે જોકે વન વિભાગ પિંજરાઓ અને વિઝિટ લઈને કામગીરીનો સંતોષ માની રહ્યં છે તાજેતરમાં જલાલપોર,ગણદેવી,ચિખલી,વાંસદા તાલુકાના ગામે દેખાય રહેલો દીપડો એક પછી એક મરઘાં,બકરા આરોગી ગયો છે એક ગાયનો શિકાર પણ કરી ગયો છે જે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં નુકશાની પશુપાલકોએ વેઠવી પડી છે 



Conclusion:
જંગલો કપાય રહ્યાં છે સાથે વન્ય પ્રાણીઓનો શિકાર પણ થઇ રહ્યો છે અને એમના શરીરના મહત્વના અંગની તસ્કરીઓ પણ થઇ રહી છે ત્યારે જંગલની સુંદરતા વધારતા હરણ તેમજ અન્ય પ્રાણીઓ નામશેષ થવા પર આવ્યા છે ત્યારે માનવે જંગલ કાપીને ઉભી કરેલ આફત માનવને નડી રહી છે 

બાઈટ : 1 મહેશભાઈ પટેલ (ખેડૂત)
બાઈટ 2-અમીત ટંડેલ (આરએફઓ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.