મહેસાણા: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના એક નિવેદનના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે કે , જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. જે BJPનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. આ જ દલાલો BJPની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. તો બીજી તરફ અનામત આંદોલન બાદ હવે અનામત મળવા મુદ્દે પણ નીતિન પટેલ બોલ્યા છે. નીતિન પટેલે નિવેદન કર્યું છે કે, અનામત કે બીજા કારણોથી હોદ્દો મળે એ હોદ્દો મહત્વનો નથી.
રાજકારણના દલાલો પર ટોણો માર્યો!
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીના ડરણ ગામે નૂતન વિદ્યાલયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે. BJPનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. આ જ દલાલો BJPની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે. અનામત કે બીજા કારણોથી હોદ્દો મળે એ હોદ્દો મહત્વનો નથી. તેમ નીતિન પટેલે બંધબેસતા વ્યક્તિઓ પર નીતિન પટેલે તીર માર્યા હતા.
નીતિન પટેલ એવું પણ બોલ્યા હતા કે, આ બધું જમીનોની દલાલીથી નથી થયું. કડદા કરી લોકોનું કરી નાખીને નથી થયું. આ કામો પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે એને નેતા કહેવાય. હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દો મળવો મોટી વાત નથી, સફળ બનાવવું એ મહત્વનું છે.
અનામત આંદોલન થવા પર કરી વાત
અનામત આંદોલન બાદ હવે નીતિન લાગેલ અનામત આંદોલન થવાનું કારણ જણાવતા બોલ્યા હતા કે, અનામત આંદોલન કેમ થયું? 90 થી 95 ટકા બિન અનામત વાળા વર્ગના વિદ્યાર્થીઓને આવે તો પણ એડમિશન નહોતા મળતા. સરકારે નવી મેડિકલ કોલેજો શરૂ કરી. બધાને એડમિશન લેવા હોય પણ મળે નહિ. અને એડમિશન ના મળે, અસંતોષ થાય એટલે આ અનામત આંદોલન થયું. જેનો મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો મેડિકલ સીટો દર વર્ષે 10000 વધશે.
આ પણ વાંચો: