ETV Bharat / state

Navsari Corona Update : નવસારીમાં રવિવારના રોજ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 13, 2021, 6:54 PM IST

નવસારી જિલ્લામાં Corona હારી રહ્યો છે. જેમાં નવસારીમાં અત્યાર સુધીમાં Corona Positive Case 7,000ને પાર પહોંચ્યા છે. જેમાં આજે રવિવારે નવસારીમાં 17 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે 17 કોરોના દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Navsari Corona Update
Navsari Corona Update

  • નવસારી જિલ્લામાં રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થયા
  • કુલ 16 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • સતત પાંચ દિવસોથી નવસારીમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

નવસારી : જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા સવાસો પર પહોંચી છે. જ્યારે રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે નવસારી જિલ્લામાં સતત પાંચ દિવસોથી કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

નવસારી જિલ્લામાં કુલ 6,763 દર્દીઓ કોરોનાથી સાજા થયા

માર્ચના મધ્યમાંથી શરૂ થયેલો કોરોનાનો ઘાતક વાવર મેના મધ્ય ભાગથી ઘટી રહ્યો છે. જ્યારે જૂન મહિનામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવસારીમાં રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે જિલ્લામાં 16 દર્દીઓએ કોરોનાને હરાવતા હવે એક્ટિવ કેસની સંખ્યા 125 પર પહોંચી છે. જેની સાથે જ નવસારી જિલ્લા માટે ખુશીની વાત છે કે, છેલ્લા પાંચ દિવસોમાં કોરોનાથી એક પણ મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું નથી.

નવસારી જિલ્લામાં કુલ 189 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો

ગત ફેબ્રુઆરીમાં ધીમો પડેલો કોરોના એપ્રિલમાં રોકેટ ગતિએ વધી ગયો હતો અને હવે ફરી જૂનમાં ધીમો પડી રહ્યો છે. જો કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7,077 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 6,763 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે નવસારી આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 189 લોકોના કોરોનાથી મોત થયા છે.

આ પણ વાંચો -

  • નવસારી જિલ્લામાં રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થયા
  • કુલ 16 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • સતત પાંચ દિવસોથી નવસારીમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહીં

નવસારી : જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા સવાસો પર પહોંચી છે. જ્યારે રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આ સાથે નવસારી જિલ્લામાં સતત પાંચ દિવસોથી કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

નવસારી જિલ્લામાં કુલ 6,763 દર્દીઓ કોરોનાથી સાજા થયા

માર્ચના મધ્યમાંથી શરૂ થયેલો કોરોનાનો ઘાતક વાવર મેના મધ્ય ભાગથી ઘટી રહ્યો છે. જ્યારે જૂન મહિનામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. નવસારીમાં રવિવારના રોજ 17 લોકો કોરોના સંક્રમિત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે જિલ્લામાં 16 દર્દીઓએ કોરોનાને હરાવતા હવે એક્ટિવ કેસની સંખ્યા 125 પર પહોંચી છે. જેની સાથે જ નવસારી જિલ્લા માટે ખુશીની વાત છે કે, છેલ્લા પાંચ દિવસોમાં કોરોનાથી એક પણ મૃત્યુ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું નથી.

નવસારી જિલ્લામાં કુલ 189 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો

ગત ફેબ્રુઆરીમાં ધીમો પડેલો કોરોના એપ્રિલમાં રોકેટ ગતિએ વધી ગયો હતો અને હવે ફરી જૂનમાં ધીમો પડી રહ્યો છે. જો કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7,077 દર્દીઓ નોંધાયા છે. જેની સામે 6,763 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે નવસારી આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 189 લોકોના કોરોનાથી મોત થયા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.