ETV Bharat / state

નવસારીમાં બે જૂથો વચ્ચે અથડામણ,1 પોલીસકર્મી સહિત 4 ને ઇજા

નવસારી: નજીવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી જેણે વિશાળરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણ એટલી હદે વધી ગઇ હતી કે બે જૂથોએ એક બીજા પર લોખંડના સળિયા, લાકડાઓ અને પથ્થરમારો કર્યો હતો.

author img

By

Published : May 8, 2019, 9:58 AM IST

નવસારીમાં બે જૂથો વચ્ચે અથડામણ

મળતી માહીતી અનુસાર ગતરાત્રે નવસારીમાં નજીવા બાબતે બે જૂથો અથડામણ થઇ હતી. આ ઘટના નવસારીના વિજલપોર શહેરમાં બની હતી. આ બાબતની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા પરિસ્થિતીને કાબૂ કરવા પોલીસ દ્વારા ૨૫ જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પોલીસકર્મી સહીત 4 લોકોને ઇજા થઇ હતી.

નવસારીમાં બે જૂથો વચ્ચે અથડામણ

મળતી માહિતી મુજબ બન્ને સમાજના લોકો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે સમાધાન માટેની વાતો કરીને મામલો શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બીજી બાજુ જિલ્લા પોલીસે મુખ્ય 16 શખ્સો સહીત 400 વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી હતી.

ત્યારે પરિસ્થિતીને જોઇ હજીપણ પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવ્યો છે.કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ પણ એલર્ટ છે.

મળતી માહીતી અનુસાર ગતરાત્રે નવસારીમાં નજીવા બાબતે બે જૂથો અથડામણ થઇ હતી. આ ઘટના નવસારીના વિજલપોર શહેરમાં બની હતી. આ બાબતની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા પરિસ્થિતીને કાબૂ કરવા પોલીસ દ્વારા ૨૫ જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પોલીસકર્મી સહીત 4 લોકોને ઇજા થઇ હતી.

નવસારીમાં બે જૂથો વચ્ચે અથડામણ

મળતી માહિતી મુજબ બન્ને સમાજના લોકો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે સમાધાન માટેની વાતો કરીને મામલો શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ બીજી બાજુ જિલ્લા પોલીસે મુખ્ય 16 શખ્સો સહીત 400 વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી હતી.

ત્યારે પરિસ્થિતીને જોઇ હજીપણ પોલીસનો કાફલો ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવ્યો છે.કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ પણ એલર્ટ છે.

R_GJ_NVS_01_08MAY_JUTH_AATHDAMAN_UPDATE_VIDEO_STORY_SCRIPT_10010
સ્લગ :જૂથ અથડામણ અપડેટ 
લોકેશન :નવસારી .વિજલપોર 
08-05-2019
ભાવિન પટેલ 
નવસારી 

એન્કર - નજીવા અકસ્માતે સર્જેલી બે સમાજ વચ્ચેની જૂથ અથડામણ ગતરાત્રિ એ વિશાળરૂપ ધારણ કર્યું હતું અને લોખંડ ના સળિયા લાકડાઓ અને પથ્થરમારો દ્વારા યુદ્ધ છેડાયું હોય એવી પરિસ્થિતિઓ નવસારી ના વિજલપોર શહેરમાં બની હતી જેની જાણકારી પોલીસને થતા જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે આવીને ૨૫ જેટલા ટિયરગેસ છોડીને મામલો ઠંડો પાડ્યો હતો પરંતુ મામલો ઠંડો પડતા પોલીસને નવનેજાં થયા હતા અને એક પોલીસજવન સહીત ચાર લોકો ઘવાયા જે પરિસ્થિતિને ધ્યાને લઈને હજીપણ પોલીસ કાફલાને ઘટના સ્થળે ખડકી.રાખ્યો છે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બન્ને સમાજના લોકો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે સમાધાન માટેની વાતો કરીને મામલો શાંત કરવાના પ્રયત્નો શરુ કર્યા છે પરંતુ બીજી બાજુ જિલ્લા પોલીસે મુખ્ય 16 ઈસમો સહીત 400 વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી છે
 
સ્ટો રી બેન્ડ 

1:ગતરાત્રિ વિજલપોર જૂથ અથડામણ મામલો 

2:હજીપણ પોલીસ ઘટના સ્થળે તૈનાત 

3:કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ એલર્ટ 

4:જૂથ અથડામણ થયેલ બન્ને સમાજ સમાધાન ના માર્ગે - સૂત્રો

5:જિલ્લા પોલીસે મુખ્ય 16 ઈસમો સહીત 400 વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી

ભાવિન પટેલ
નવસારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.