ETV Bharat / state

મહાનગરપાલિકાના પરિણામ બાદ નવસારીમાં 50 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

નવસારીમાં વિજલપોર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આજે સુરત સહિતના મહાનગરોમાં કોંગ્રેસની કારમી હાર બાદ નવસારીના કોંગેસી કાર્યકરોમાં નિરાશા વ્યાપી છે. જેના પરિણામ સ્વરૂપ શહેરના વોર્ડ નં.-13ના કોંગ્રેસના ગઢ સમાન તીઘરા નવી વસાહતમાં 50થી વધુ કોંગેસી કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી, ધારાસભ્ય પિયુષ દેસાઈના હાથે ભગવો ખેસ પહેર્યો હતો.

author img

By

Published : Feb 24, 2021, 1:29 PM IST

50 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
50 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
  • નવસારીમાં ચૂંટણી દરમિયાન પ્રથમ પક્ષ પલટો
  • કોંગ્રેસના ગઢ સમાન નવી વસાહતમાં ભાજપે પાડ્યું ગાબડુ
  • કોંગી કાર્યકરોને ધારાસભ્ય પિયુષ દેસાઇએ ભાજપી ખેસ પહેરાવી આવકાર્યા

નવસારી : વિજલપોર નગરપાલિકાની ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં જુનો વોર્ડ નં.-11 જે કોંગ્રેસનો ગઢ હતો, હદ વિસ્તરણ બાદ ત્રણ ગામોના જોડાણ સાથે વોર્ડ નં.-13 બન્યો છે. જેને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપ ગડમથલ કરી રહી હતી. ત્યારે આજે બુધવારે રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની કારમી હારની અસર નવસારીમાં જોવા મળી હતી.

50 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો હાથ છોડ્યો

શહેરના વોર્ડ નં.-13 ના કોંગ્રેસી ગઢ એવા અને શ્રમિક વિસ્તાર તીઘરા નવી વસાહતમાંથી આજે 50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો હાથ છોડ્યો હતો. જેમને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ભાજપી આગેવાનોએ ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવસારી-વિજલપોર નગરપાલિકામાં પક્ષ પલટાની પ્રથમ ઘટના છે.

  • નવસારીમાં ચૂંટણી દરમિયાન પ્રથમ પક્ષ પલટો
  • કોંગ્રેસના ગઢ સમાન નવી વસાહતમાં ભાજપે પાડ્યું ગાબડુ
  • કોંગી કાર્યકરોને ધારાસભ્ય પિયુષ દેસાઇએ ભાજપી ખેસ પહેરાવી આવકાર્યા

નવસારી : વિજલપોર નગરપાલિકાની ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં જુનો વોર્ડ નં.-11 જે કોંગ્રેસનો ગઢ હતો, હદ વિસ્તરણ બાદ ત્રણ ગામોના જોડાણ સાથે વોર્ડ નં.-13 બન્યો છે. જેને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા ભાજપ ગડમથલ કરી રહી હતી. ત્યારે આજે બુધવારે રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની કારમી હારની અસર નવસારીમાં જોવા મળી હતી.

50 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો હાથ છોડ્યો

શહેરના વોર્ડ નં.-13 ના કોંગ્રેસી ગઢ એવા અને શ્રમિક વિસ્તાર તીઘરા નવી વસાહતમાંથી આજે 50થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો હાથ છોડ્યો હતો. જેમને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ભાજપી આગેવાનોએ ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવસારી-વિજલપોર નગરપાલિકામાં પક્ષ પલટાની પ્રથમ ઘટના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.