ETV Bharat / state

મકરસંક્રાંતિની આ પરંપરામાં છે 'મહિલાઓના મહત્વ' અને 'મીઠાસ'નો સંદેશ!

નર્મદાઃ ઉત્તરાયણ એટલે પતંગ, દોરા, ડીજે, મસ્તી, ધમાલ જ નહીં પરંતુ દાન અને પૂણ્ય પણ ખરુ. આ સાથે કેટલીક એવી પરંપરાઓ પણ જે પરિવારમાં પ્રેમનું વાતાવરણ સર્જે છે. મકરસંક્રાતિમાં મહિલાઓના મહત્વનો પણ સંદેશો મળે છે. જે માટે ખિચડો આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ ખિચડો ખિયર અને ખિહર તરીકે પણ ઓળખાય છે. ભાઈ દ્વારા બહેન અને ભાણેજને જે ખિચડો અપાઈ છે તેમાં શેરડી મહત્વનું પરિબળ છે. શેરડી આપવાનો આ વિચાર આદિવાસી અને ગ્રામીણ સભ્યતામાંથી આગળ વધ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે.

author img

By

Published : Jan 14, 2020, 3:28 AM IST

Updated : Jan 14, 2020, 4:02 AM IST

message-of-importance-of-women-and-also-sweetness-in-uttarayan-fest
message-of-importance-of-women-and-also-sweetness-in-uttarayan-fest

શેરડી એ મીઠાસનું પ્રતિક છે. પરિવારમાં પ્રેમ અને લાગણીઓ અકબંધ રાખવા એકબીજા સાથે મીઠાસ રાખવી જરુરી છે. શહેરના સમૃધ્ધ લોકો બહેન અને ભાણેજને અપાતા ખીચડામાં તલના લાડુ, ગોળ,ચીકી, તલસાંકળી, ફળ ફળાદિ સહિત નીતનવી ખાઆપે છે પણ ગામડામાં રહેતો આદિવાસી ભાઈને આટલો ખર્ચો પોસાતો નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ પણ નથી થતી. જેથી આદિવાસી વિસ્તારના લોકો પોતાના ભાણેજ અને બહેનોને શેરડીનું દાન કરી આ દિવસને અને પરંપરાને સાર્થક કરે છે અને મીઠાસને મહેકતી રાખે છે.

મકરસંક્રાંતિની આ પરંપરામાં છે 'મહિલાઓના મહત્વ' અને 'મીઠાસ'નો સંદેશ!

દાનનું મહત્વ સમજાવતા ભરતભાઈ વ્યાસે કહ્યુ હતું કે, ઉત્તરાયણમાં શેરડીમાં રહેલી મીઠાસની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાસ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે. શેરડીનું દાનને સો બ્રાહ્મણોને આપેલા દાન આપવા બરાબર ગણાઈ છે.ઉત્તરાયણમાં ભાઈ તરફથી મળતો ખીચડો બહેનોના મન છપ્પન જાતના પકવાનથી ઓછો નથી હોતો. ખીચડા રૂપે ભાઈ તરફથી જે પ્રેમ અને વ્હાલ મળે છે તે બહેનો માટે અનમોલ હોય છે. અને એટલે જ ઉત્તરાયણની પ્રતિક્ષા કરવી બહેનો અને ભાણેજને સૌથી વધુ ગમતુ અને સંતોષ આપતુ કામ હોય છે.

શેરડી એ મીઠાસનું પ્રતિક છે. પરિવારમાં પ્રેમ અને લાગણીઓ અકબંધ રાખવા એકબીજા સાથે મીઠાસ રાખવી જરુરી છે. શહેરના સમૃધ્ધ લોકો બહેન અને ભાણેજને અપાતા ખીચડામાં તલના લાડુ, ગોળ,ચીકી, તલસાંકળી, ફળ ફળાદિ સહિત નીતનવી ખાઆપે છે પણ ગામડામાં રહેતો આદિવાસી ભાઈને આટલો ખર્ચો પોસાતો નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ પણ નથી થતી. જેથી આદિવાસી વિસ્તારના લોકો પોતાના ભાણેજ અને બહેનોને શેરડીનું દાન કરી આ દિવસને અને પરંપરાને સાર્થક કરે છે અને મીઠાસને મહેકતી રાખે છે.

મકરસંક્રાંતિની આ પરંપરામાં છે 'મહિલાઓના મહત્વ' અને 'મીઠાસ'નો સંદેશ!

દાનનું મહત્વ સમજાવતા ભરતભાઈ વ્યાસે કહ્યુ હતું કે, ઉત્તરાયણમાં શેરડીમાં રહેલી મીઠાસની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાસ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે. શેરડીનું દાનને સો બ્રાહ્મણોને આપેલા દાન આપવા બરાબર ગણાઈ છે.ઉત્તરાયણમાં ભાઈ તરફથી મળતો ખીચડો બહેનોના મન છપ્પન જાતના પકવાનથી ઓછો નથી હોતો. ખીચડા રૂપે ભાઈ તરફથી જે પ્રેમ અને વ્હાલ મળે છે તે બહેનો માટે અનમોલ હોય છે. અને એટલે જ ઉત્તરાયણની પ્રતિક્ષા કરવી બહેનો અને ભાણેજને સૌથી વધુ ગમતુ અને સંતોષ આપતુ કામ હોય છે.

Intro:AAPROAL BAY-DESK

ઉતરાયણ એટલે સૂર્યનો રાશિમાંથી બીજી રાશિમાં બ્રહમન કરવાનો દિવસ આ દિવસને સમગ્ર ભારતમાં પતંગ અને તાલ સાંકડી ની ચીકી સાથે ઉજવવામાં આવેછે આકાશમાં રંગબેરંગી પતંગો સાથે કાયપો છે અને લપેટ ની બુમો સંભળાય છે પરંતુ આદિવાસી પંથક એવા નર્મદા જીલ્લામાં આદિવાસીઓ માં આદિવસે એક અનોખી પરંપરા છે

બાઈટ -01 ભીખાભાઈ વસાવા (શેરડી દાન કરનાર )Body:અને તે એ કે ભાઈ બહેન અને ભાણેજો ને શેરડી નું દાન કરે છે ઉતરાયણ એ ડીજે ના તાલ અને ધાબા પાર્ટી ના દોર વછે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાયછે ત્યારે આ ઉતરાયણ ની દબદબા ભેર ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે આ ઉતરાયણ ના દિવસે તલ અન ગોળ ના દાન નો અનેરો મહિમા છે અને મહાદેવ ને પણ આ ચીકી ચઢાવવામાં આવે છે પરંતુ નર્મદા જીલ્લાના આદિવાસીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે આ પરંપરાને સાચવવા અને મીઠાસ યથાવત રાખવા શેરડીનું દાન કરે છે

બાઈટ -02 ભરત વ્યાંશ (જ્યોતિષ કર્મકાંડી મહંત )Conclusion:એક માન્યતા પ્રમાણે ઉતરાયણ ના દિવસે બહેન અને ભાણેજો ને શેરડીનું દાન કરવાથી સો બ્રહ્મનો ને આપેલા દાન બરાબર માનવામાં આવે છે અને આ દાન શ્રેષ્ઠ મનાય છે ત્યારે તલ અને ગોળ આર્થિક રીતે ના ખરીદી શકતા આદિવાસીઓ શેરડી નું દાન કરી આ દિવસને સાર્થક કરેછે વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાસ ની જેમજ બહેન અને ભાનેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાસ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે અને તેને કારણેજ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડે છેઆ બાબતે સ્થાનિક રહીશ હસમુખભાઈ વસાવા એ જણાવ્યું કે ઉત્તરાયણ અમારો મોટો પર્વ ગણાય જે દાન દક્ષિણા નો પર્વ પણ કહેવાય અમે શેરડી, બોર,સહીત ચીકી બેન ભાણેજ ને દાન આપતા હોય છે. જેને લઈને અમારા પરિવારો માં એક મીઠાસ રહે છે કડવાશ દૂર થઇ થઇ જાય છે. એટલે અમે જેમ બને તેમ શેરડીનું દાન વધુ કરીએ છે

બાઈટ  -03 હસમુખભાઈ (ખેડૂત અને શેરડી વેચનાર )
Last Updated : Jan 14, 2020, 4:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.