ETV Bharat / state

અરે...! આ 'પોટલી-પોટલી' શું બોલી ગયા ભરૂચના સાંસદ?

author img

By

Published : Dec 23, 2019, 7:35 PM IST

નર્મદાઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સાંસદ મનસુખ વસાવાનીપ્લાસ્ટિક મુક્તિના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન જીભ લપસી છે. તેમણે ગુજરાતમાં દેશી અને વિદેશી તમામ પ્રકારનો દારૂ મળતો હોવાનો એકરાર કરી નાખ્યો હતો. બાદમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન સમગ્ર નિવેદન પર પડદો પાડવા કહ્યું કે, સરકાર અને પોલીસ આવા અડ્ડા પર કાર્યવાહી કરતી જ હોય છે. વળી, આ કાર્યક્રમમાં બીજી પણ એવી ઘટના બની જે સાંસદ અને ભાજપની રાજ્યથી માંડી કેન્દ્ર સરકારને શરમમાં મૂકે. વિગતે જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ...

narmada
નર્મદાઃ

નર્મદામાં 'પ્લાસ્ટિક મુક્ત ભારત' સંદર્ભે સરકારી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં બે રસપ્રદ અને સરકારને ગોથે ચઢાવે તેવી ઘટનાઓ બની.

અરે...! આ 'પોટલી-પોટલી' શું બોલી ગયા ભરૂચના સાંસદ?

પ્રથમ તો ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર જીભ લપસી પડી. નર્મદામાં યોજાયેલા પ્લાસ્ટિક મુક્ત ભારતના કાર્યક્રમમાં ભાષણ આપતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, કેમિકલવાળો ઈંગ્લીશ દારૂ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે, કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે. પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે, અને પોટલીથી તો નુકસાન જાય જ છે, પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છે. તેનાથી તો વધુ નુકસાન જાય છે.' એટલે તેમણે પોતાના ભાષણમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં દારૂના વેચાણ અંગે અપાયેલા નિવેદનનું જાણે સમર્થન કર્યું હોય તેમ જણાયું. જ્યારે બીજીતરફ ગુજરાતના મુખ્ય પ્રધાને રાજસ્થાન CMના નિવેદનને ફગાવી દીધું હતુ. આવા સમયે ભરૂચ સાંસદનું આ નિવેદન ઘણું મહત્વનું બની ગયુ છે. વળી, જ્યારે આ અંગે પત્રકારો દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના બચાવમાં કહ્યું કે, સરકાર અને પોલીસ દારૂના અડ્ડા પર કાર્યવાહી કરતી જ હોય છે.

બીજી ઘટના એમ બની કે, સાંસદ નર્મદાના જે કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, તે કાર્યક્રામ 'પ્લાસ્ટિક મુક્ત ભારત' અંતર્ગત યોજાયો હતો. જેમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા નિર્મિત વાંસમાંથી બનાવાયેલી બોટલનું નિદર્શન કરાયું. બાદમાં તે બોટલનું લોન્ચિંગ કરી પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલો ન વાપરવાનું પણ આહ્વાન કરવામાં આવી રહ્યું હતુ. જ્યાં વાંસની બોટલના ફાયદા પણ ગણાવાઈ રહ્યાં હતા. વળી, પ્લાસ્ટિકની બોટલના ગેરફાયદા પણ ગણાવી દીધા. પરંતુ આ જ સમયે પ્રશાસન દ્વારા મંચસ્થ મહાનુભાવો માટે પ્લાસ્ટિકની બોટલોમાં પીવાનું પાણી મુકવામાં આવ્યું હતુ. જ્યાં સાંસદને આ અંગે પત્રકારો દ્વારા સવાલ પૂછાતાં તેમણે ખુલ્લા દિલથી એકરાર કરી કહ્યું કે, 'હા, અમે સ્વીકારીએ છે કે, દરેક કાર્યક્રમમાં આવું થાય જ છે. નર્મદા કલેક્ટર દ્વારા ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. હું પણ કહું છુ કે પ્લાસ્ટિક વિરૂદ્ઘની ઝુંબેશ આપણાથી શરૂ કરવી જોઈએ અને પ્લાસ્ટિકની બોટલનો વપરાશ બંધ કરવો જોઈએ'

આમ, એકસાથે બે આમ રમૂજી પરંતુ સરકાર અને સાંસદ બંનેને ગોથે ચઢાવે ઉપરાંત શરમમાં મૂકે તેવી ઘટનાઓ બનતા લોકોમાં તેની ભારે ટીખળ ચાલી હતી.

નર્મદામાં 'પ્લાસ્ટિક મુક્ત ભારત' સંદર્ભે સરકારી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં બે રસપ્રદ અને સરકારને ગોથે ચઢાવે તેવી ઘટનાઓ બની.

અરે...! આ 'પોટલી-પોટલી' શું બોલી ગયા ભરૂચના સાંસદ?

પ્રથમ તો ભરૂચ ભાજપ સાંસદ મનસુખ વસાવાની ફરી એકવાર જીભ લપસી પડી. નર્મદામાં યોજાયેલા પ્લાસ્ટિક મુક્ત ભારતના કાર્યક્રમમાં ભાષણ આપતા તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, કેમિકલવાળો ઈંગ્લીશ દારૂ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે, કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે. પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે, ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે, અને પોટલીથી તો નુકસાન જાય જ છે, પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છે. તેનાથી તો વધુ નુકસાન જાય છે.' એટલે તેમણે પોતાના ભાષણમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં દારૂના વેચાણ અંગે અપાયેલા નિવેદનનું જાણે સમર્થન કર્યું હોય તેમ જણાયું. જ્યારે બીજીતરફ ગુજરાતના મુખ્ય પ્રધાને રાજસ્થાન CMના નિવેદનને ફગાવી દીધું હતુ. આવા સમયે ભરૂચ સાંસદનું આ નિવેદન ઘણું મહત્વનું બની ગયુ છે. વળી, જ્યારે આ અંગે પત્રકારો દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના બચાવમાં કહ્યું કે, સરકાર અને પોલીસ દારૂના અડ્ડા પર કાર્યવાહી કરતી જ હોય છે.

બીજી ઘટના એમ બની કે, સાંસદ નર્મદાના જે કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, તે કાર્યક્રામ 'પ્લાસ્ટિક મુક્ત ભારત' અંતર્ગત યોજાયો હતો. જેમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્વારા નિર્મિત વાંસમાંથી બનાવાયેલી બોટલનું નિદર્શન કરાયું. બાદમાં તે બોટલનું લોન્ચિંગ કરી પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની બોટલો ન વાપરવાનું પણ આહ્વાન કરવામાં આવી રહ્યું હતુ. જ્યાં વાંસની બોટલના ફાયદા પણ ગણાવાઈ રહ્યાં હતા. વળી, પ્લાસ્ટિકની બોટલના ગેરફાયદા પણ ગણાવી દીધા. પરંતુ આ જ સમયે પ્રશાસન દ્વારા મંચસ્થ મહાનુભાવો માટે પ્લાસ્ટિકની બોટલોમાં પીવાનું પાણી મુકવામાં આવ્યું હતુ. જ્યાં સાંસદને આ અંગે પત્રકારો દ્વારા સવાલ પૂછાતાં તેમણે ખુલ્લા દિલથી એકરાર કરી કહ્યું કે, 'હા, અમે સ્વીકારીએ છે કે, દરેક કાર્યક્રમમાં આવું થાય જ છે. નર્મદા કલેક્ટર દ્વારા ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. હું પણ કહું છુ કે પ્લાસ્ટિક વિરૂદ્ઘની ઝુંબેશ આપણાથી શરૂ કરવી જોઈએ અને પ્લાસ્ટિકની બોટલનો વપરાશ બંધ કરવો જોઈએ'

આમ, એકસાથે બે આમ રમૂજી પરંતુ સરકાર અને સાંસદ બંનેને ગોથે ચઢાવે ઉપરાંત શરમમાં મૂકે તેવી ઘટનાઓ બનતા લોકોમાં તેની ભારે ટીખળ ચાલી હતી.

Intro:AAPROAL BAY-DESK

ગુજરાતના સૌથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર પોતાની જ સરકારની પોલ ખોલી નાંખી છે,રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલા નિવેદનને મુખ્યમંત્રી રૂપાણીએ ભલે ફગાવી દીધું હોય પણ ગુજરાતનાં સૌથી સિનિયર ભાજપી સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂ વેચાતો હોવાનો એકરાર કાંઈક અલગ રીતે જ કરી નાંખ્યો. આજે રાજપીપલા ટાઉનહોલ ખાતે યોજાયેલ પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમમાં તેઓને ગુજરાતમાં દારૂ મળે છે કે કેમ? તે બાબતે પૂછાયેલા પ્રશ્ન બાબતે જણાવ્યું કે, આખી દુનિયાને ખબર છેBody: અને જો હું ના કહું તો હું ખોટો પડું!!.વધુમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે,ઈંગ્લીશ દારૂ કેમિકલવાળો એ શરીરમાં જાય તો શરીરને ખતમ કરી નાંખે છે,કેટલાક તો પાછા ગાંજો પીવા જાય છે.પ્લાસ્ટિકની પોટલીનો ઉલ્લેખ કરતા પ્રવચનમાં જણાવ્યું કે,ઘણા બધા પીણાં પોટલી સ્વરૂપે લઈ જાય છે,અને પોટલીથી તો નુકસાન જાય જ છે પણ પોટલીમાં રહેલ પદાર્થ હોય છેConclusion:તેનાથી તો વધુ નુકસાન જાય છે.કાર્યક્રમ તો હતો ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો અને તેમાં પણ કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ દ્રારા નિર્મિત વાંસમાંથી બનાવેલ બોટલનાં નિદર્શન અમે લોચિંગનો,બોટલને હોંશે હોંશે નેતાઓ અને અધિકારીઓએ લોન્ચ પણ કરી અને તેના ફાયદા ગણાવ્યા અને પ્લાસ્ટિકની બોટલનાં ગેરફાયદા ય ગણાવી દીધા,પણ જ્યારે મીડિયાએ પૂછ્યું કે,આ કાર્યક્રમમાં જ મહેમાનો માટે જાહેર સ્ટેજ પર પ્લાસ્ટિકની બોટલ મુકાઈ છે ત્યારે સાંસદે જણાવ્યું કે,હા અમે સ્વીકારીએ છે કે,દરેક કાર્યક્રમમાં આવું જ થાય છે,કલેકટર નર્મદાએ ધ્યાન પણ દોર્યું છે,અને હું પણ કહું છું કે આની શરૂઆત આપણાથી કરવી જોઈએ અને પ્લાસ્ટિકની બોટલ ન મૂકાવી જોઈએ.


Byte -1 મનસુખ વસાવા - સાંસદ, ભરૂચ

Speech - મનસુખભાઇ વસાવા - સાંસદ, ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.