ETV Bharat / state

વાંકાનેરના મિનરલ કારખાનામાં શ્રમિકની હત્યા કરનાર સુપરવાઈઝર ઝડપાયો

અત્યારે સામાન્ય બાબતોમાં લોકોની હત્યા થઈ જાય છે. આવો જ એક કિસ્સો બન્યો છે મોરબીના વાંકાનેરમાં. વાંકાનેર તાલુકાની હદમાં આવેલા મારૂતિ મિનરલ કારખાનામાં એક શ્રમિકની તેના સુપરવાઈઝર સાથે નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ એટલી હદે વધી ગઈ કે સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને છરીના ઘા મારી પતાવી દીધો.

author img

By

Published : Dec 17, 2020, 3:02 PM IST

વાંકાનેરના મિનરલ કારખાનામાં શ્રમિકની હત્યા કરનાર સુપરવાઈઝર ઝડપાયો
વાંકાનેરના મિનરલ કારખાનામાં શ્રમિકની હત્યા કરનાર સુપરવાઈઝર ઝડપાયો
  • મોરબીના વાંકાનેરમાં શ્રમિકની હત્યાનો મામલો
  • મારૂતિ મિનરલના કારખાનામાં થઈ હતી માથાકૂટ
  • શ્રમિક અને સુપરવાઈઝર વચ્ચે થઈ હતી બોલાચાલી
  • સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને માર્યા હતા છરીના ઘા

મોરબીઃ વાંકાનેર તાલુકાની હદમાં આવેલા મિનરલ કારખાનામાં માટી ખાતા સુપરવાઈઝર અને શ્રમિક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને છરીના ઘા માર્યા હતા, જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ મામલે સુપરવાઈઝરની ધરપકડ કરી છે.

પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી

આ હત્યાના બનાવ મામલે સુરેશ બિલાવાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાયાતી જાંબુડિયા ગામ નજીક મારૂતિ મિનરલના માટી ખાતાના માસ્તર જગદીશ ચાવડા અને જામસીન ધારજી બિલાવાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આમાં પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા શ્રમિક જામસિંગ બિલાવાલે ના કહી એટલે બંને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાઈ ગયેલા જગદીશ ચાવડાએ છરીનો ઘા ઝીંકી દેતા જાસમીનનું મોત થયું હતું. તો છરીના ઘા ઝીંકી આરોપી નાસી ગયો હતો. આ હત્યાના બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ રામદેવસિંહ જાડેજા અને વિઠ્ઠલ સારેચીયાની ટીમ ચલાવી રહી છે. આરોપી સુપરવાઈઝર જગદીશ ચાવડા થાનગઢનો રહેવાસી છે. આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાશે તેમ પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  • મોરબીના વાંકાનેરમાં શ્રમિકની હત્યાનો મામલો
  • મારૂતિ મિનરલના કારખાનામાં થઈ હતી માથાકૂટ
  • શ્રમિક અને સુપરવાઈઝર વચ્ચે થઈ હતી બોલાચાલી
  • સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને માર્યા હતા છરીના ઘા

મોરબીઃ વાંકાનેર તાલુકાની હદમાં આવેલા મિનરલ કારખાનામાં માટી ખાતા સુપરવાઈઝર અને શ્રમિક વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સુપરવાઈઝરે ઉશ્કેરાઈને શ્રમિકને છરીના ઘા માર્યા હતા, જેના કારણે શ્રમિકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ મામલે સુપરવાઈઝરની ધરપકડ કરી છે.

પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી

આ હત્યાના બનાવ મામલે સુરેશ બિલાવાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાયાતી જાંબુડિયા ગામ નજીક મારૂતિ મિનરલના માટી ખાતાના માસ્તર જગદીશ ચાવડા અને જામસીન ધારજી બિલાવાલ વચ્ચે બોલાચાલી થઈ હતી. આમાં પાણીનો દેડકો અંદરથી કાઢી લેવાનું કહેતા શ્રમિક જામસિંગ બિલાવાલે ના કહી એટલે બંને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાઈ ગયેલા જગદીશ ચાવડાએ છરીનો ઘા ઝીંકી દેતા જાસમીનનું મોત થયું હતું. તો છરીના ઘા ઝીંકી આરોપી નાસી ગયો હતો. આ હત્યાના બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ રામદેવસિંહ જાડેજા અને વિઠ્ઠલ સારેચીયાની ટીમ ચલાવી રહી છે. આરોપી સુપરવાઈઝર જગદીશ ચાવડા થાનગઢનો રહેવાસી છે. આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાશે તેમ પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.