ETV Bharat / state

મોરબીમાં સફાઈ અભિયાન સમિતિના તંત્ર માટે સુચારૂ સૂચનો - ravi motwani

મોરબીઃ જિલ્લામાં ડૉક્ટરો, યુવાનો, નાગરિકોની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે ટીમ દ્વારા તંત્રને સફાઈ બાબતે સુચારૂ સૂચનો આપવામાં આવ્યા છે.

hd
author img

By

Published : Jun 9, 2019, 1:55 PM IST

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા અધિક કલેક્ટર કેતન જોષીને લેખિત અરજી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની સંખ્યા હાલ 35 છે, જે વધારીને 100 કરવી જોઇએ. સફાઈ કામદારોની સંખ્યા 365 છે જે 700 કરવી, ડોર ટુ ડોર કલેક્શનના વાહનો સવાર-સાંજ નિયમિત આવે તેવી વ્યવસ્થા કરવી, સ્વચ્છતા માટે ઓનલાઈન ફરિયાદ કરી શકાય તે માટે વોટ્સએપ નંબર જાહેર કરવાની માગ કરી છે. તે ઉપરાંત સંપૂર્ણ મોનીટરીંગ ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવે.

શહેરના રહેણાંક વિસ્તારોમાં જે ખુલ્લા પ્લોટ છે ત્યાં કચરાના ઢગલા ખુલ્લા પડ્યા છે, ત્યાં બાંધકામની મંજુરી આપી રહેણાંક વિસ્તાર બને તો કચરાનું પ્રમાણ ઘટશે. વધુમાં જણાવ્યું કે, શહેરમાં ખુલ્લી ગટર છે, જેમાં નવી ડ્રેનેજ લાઈનો નાખી બોક્સ ટાઈપ પેક કરવામાં આવે. શહેરમાં કચરાના ઢગલા પડ્યા છે ત્યાં મોટી હાઈડ્રોલીક કચરા પેટી મુકવામાં આવે. રખડતા ઢોરોનો ત્રાસ પણ વધુ છે. તેમજ નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડના ડિવાઈડર તોડીને વૃક્ષો ઉગાડવામાં આવે.

કચરો ફેંકનાર વેપારીઓને દંડ કરવામાં આવે, રવાપર રોડની બાજુમાં નીકળતી મચ્છુ કેનાલ જે કચરાનું ઘર કહેવાય છે એ કેનાલ પર બોક્સ ટાઈપ બનાવી પેક કરવામાં આવે. નગર દરવાજાની બાજુના વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી રોગચાળો ફેલાવવાની સંભાવના છે. આ તમામ મુદ્દે યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આમ થાય તો શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી, ભૂગર્ભના પ્રશ્નો મામલે સૂચનો આપી શહેરની કાયા પલટ થઈ શકે છે. જેથી આ સૂચનોને અમલી બનાવવાની માંગ કરાઈ છે.

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા અધિક કલેક્ટર કેતન જોષીને લેખિત અરજી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની સંખ્યા હાલ 35 છે, જે વધારીને 100 કરવી જોઇએ. સફાઈ કામદારોની સંખ્યા 365 છે જે 700 કરવી, ડોર ટુ ડોર કલેક્શનના વાહનો સવાર-સાંજ નિયમિત આવે તેવી વ્યવસ્થા કરવી, સ્વચ્છતા માટે ઓનલાઈન ફરિયાદ કરી શકાય તે માટે વોટ્સએપ નંબર જાહેર કરવાની માગ કરી છે. તે ઉપરાંત સંપૂર્ણ મોનીટરીંગ ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવે.

શહેરના રહેણાંક વિસ્તારોમાં જે ખુલ્લા પ્લોટ છે ત્યાં કચરાના ઢગલા ખુલ્લા પડ્યા છે, ત્યાં બાંધકામની મંજુરી આપી રહેણાંક વિસ્તાર બને તો કચરાનું પ્રમાણ ઘટશે. વધુમાં જણાવ્યું કે, શહેરમાં ખુલ્લી ગટર છે, જેમાં નવી ડ્રેનેજ લાઈનો નાખી બોક્સ ટાઈપ પેક કરવામાં આવે. શહેરમાં કચરાના ઢગલા પડ્યા છે ત્યાં મોટી હાઈડ્રોલીક કચરા પેટી મુકવામાં આવે. રખડતા ઢોરોનો ત્રાસ પણ વધુ છે. તેમજ નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડના ડિવાઈડર તોડીને વૃક્ષો ઉગાડવામાં આવે.

કચરો ફેંકનાર વેપારીઓને દંડ કરવામાં આવે, રવાપર રોડની બાજુમાં નીકળતી મચ્છુ કેનાલ જે કચરાનું ઘર કહેવાય છે એ કેનાલ પર બોક્સ ટાઈપ બનાવી પેક કરવામાં આવે. નગર દરવાજાની બાજુના વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી રોગચાળો ફેલાવવાની સંભાવના છે. આ તમામ મુદ્દે યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો આમ થાય તો શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી, ભૂગર્ભના પ્રશ્નો મામલે સૂચનો આપી શહેરની કાયા પલટ થઈ શકે છે. જેથી આ સૂચનોને અમલી બનાવવાની માંગ કરાઈ છે.

R_GJ_MRB_04_09JUN_MORBI_SAFAI_TEAM_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_09JUN_MORBI_SAFAI_TEAM_SCRIPT_AV_RAVI

મોરબીમાં સફાઈ અભિયાન ચલાવતી સમિતિએ તંત્રને આપ્યા સુચારૂ સૂચનો

        મોરબીમાં ડોકટરો, યુવાનો, નાગરિકોની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે ટીમ દ્વારા તંત્રને સફાઈ બાબતે સુચારૂ સૂચનો આપવામાં આવ્યા છે

        મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા અધિક કલેકટર કેતન જોષીને લેખિત પત્ર પાઠવીને સૂચનો આપ્યા છે જેમાં જણાવ્યું છે કે ડોર ટૂ ડોર કચરો કલેક્ટ કરવાના વાહનોની સંખ્યા હાલ ૩૫ છે તે વધારીને ૧૦૦ સુધી લઇ જવી તેમજ સફાઈ કામદારોની સંખ્યા ૩૬૫ છે જે વધારીને ૭૦૦ કરવી, ડોર ટૂ ડોર કલેક્શનના વાહનો સવાર-સાંજ નિયમિત આવે તેવી વ્યવસ્થા કરવી, સ્વચ્છતા માટે લોકો ઓનલાઈન ફરિયાદ કરી સકે તે માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવો અને મોનીટરીંગ નગરપાલિકાના ચીફ ઓફિસરની દેખરેખમાં થાય, શહેરના રહેણાંકના વિસ્તારોમાં જે ખુલ્લા પ્લોટ છે ત્યાં કચરાના ઢગલા ખુલ્લા પડ્યા છે એમાં બાંધકામની મંજુરી આપી રહેણાંક કરરવામાં આવે જેથી કચરાનો યોગ્ય નિકાલ થઇ સકે

        વધુમાં જણાવ્યું છે કે શહેરમાં ખુલ્લી ગટર છે જેમાં નવી ડ્રેનેજ લાઈનો નાખી બોક્સ ટાઈપ પેક કરવામાં આવે શહેરમાં કચરાના ઢગલા પડ્યા છે ત્યાં મોટી હાઈડ્રોલીક કચરા પેટી મુકવામાં આવે. રખડતા ઢોરોનો ત્રાસ પણ વધુ છે તેમજ નવા બસ સ્ટેન્ડથી શનાળા રોડના ડીવાઈડર તોડીને વૃક્ષો ઉગાડવામાં આવે તેમજ પાંજરું મુકીને સંરક્ષણ કરવામાં આવે. કચરો ફેંક્રનાર વેપારીઓને દંડ આપીને કાર્યવાહી કરાય, રવાપર રોડની બાજુમાં નીકળતી મચ્છુ કેનાલ જે કચરાનું ઘર કહેવાય છે એ કેનાલ પર બોક્સ ટાઈપ બનાવી પેક કરવામાં આવે નગર દરવાજાની બાજુના વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી રોગચાળો ફેલાવવાની સંભાવના છે આમ શહેરના વિવિધ વિસ્તારમાં ગંદકી, ભૂગર્ભના પ્રશ્નો મામલે સૂચનો આપી શહેરની કાયા પલટ કરવાની દિશામાં સહિયારા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ કરી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.