ETV Bharat / state

લોકડાઉનને પગલે ટંકારાનું હમીરપર ગામ સજ્જડ બંધ જોવા મળ્યું

author img

By

Published : Mar 30, 2020, 6:59 PM IST

મોરબીમાં ટંકારાનું હમીરપર ગામ કોરોના વાઇરસને લઈને કરફ્યૂના આદેશ મુજબ તલાટી મંત્રી અને ગામના સરપંચના આદેશ મુજબ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. તેમજ જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેને રૂપિયા 1100નો દંડ કરવામાં આવશે તેવો આદેશ ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યો હતો.

લોકડાઉન
લોકડાઉન

મોરબી: કોરોના વાઇરસને લઈને ગામ અને સિટીમાં કરફ્યૂના આદેશ મુજબ હમીરપર તલાટી મંત્રી અને ગામના સરપંચના આદેશ મુજબ ગામની કરિયાણાની દુકાન સવારે એક કલાક અને સાંજે એક કલાક પૂરતી જ ખોલવાની રહેશે. તેમજ બીજી બધી દુકાનો 14 એપ્રિલ સુધી બંધ રાખવાની છે. ગામમાં પણ વધુ વ્યક્તિએ ભેગું થવાનું નથી. જે આ નિયમનું પાલન નહીં કરે એને રૂપિયા 1100નો દંડ કરવામાં આવશે.

જે બહાર ગામથી આવેલા લોકો ગામમાં આવેલ છે. એ લોકોએ પણ 14 દિવસ સુધી ઘરની બહાર નિકળવું નહી. તે વ્યક્તિ જો બહાર નીકળશે તો રૂપિયા 2500નો દંડ કરવામાં આવશે. આ બધા નિયમોનું પાલન કરી બધાનો સાથ સહકાર રહે તેવી લાગણી હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ વ્યક્ત કરી છે.

મોરબી: કોરોના વાઇરસને લઈને ગામ અને સિટીમાં કરફ્યૂના આદેશ મુજબ હમીરપર તલાટી મંત્રી અને ગામના સરપંચના આદેશ મુજબ ગામની કરિયાણાની દુકાન સવારે એક કલાક અને સાંજે એક કલાક પૂરતી જ ખોલવાની રહેશે. તેમજ બીજી બધી દુકાનો 14 એપ્રિલ સુધી બંધ રાખવાની છે. ગામમાં પણ વધુ વ્યક્તિએ ભેગું થવાનું નથી. જે આ નિયમનું પાલન નહીં કરે એને રૂપિયા 1100નો દંડ કરવામાં આવશે.

જે બહાર ગામથી આવેલા લોકો ગામમાં આવેલ છે. એ લોકોએ પણ 14 દિવસ સુધી ઘરની બહાર નિકળવું નહી. તે વ્યક્તિ જો બહાર નીકળશે તો રૂપિયા 2500નો દંડ કરવામાં આવશે. આ બધા નિયમોનું પાલન કરી બધાનો સાથ સહકાર રહે તેવી લાગણી હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.