મોરબી : ગુજરાત 1600 કિમી દરિયાકિનારો ધરાવે છે. જેમાં પાકિસ્તાન જેવા દુશ્મન દેશો દરિયાઈ માર્ગે આતંકીઓને ઘુસાડીને ષડ્યંત્ર રચતા હોય છે. જેથી દરિયાઈ સુરક્ષા મામલે તાજેતરમાં મળેલી બેઠક બાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવલખી બંદરે બાર્જને ચાર આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરવામાં આવ્યું છે. તેવો મેસેજ મળતા જ ક્વીસ રિસ્પોન્સ, એસઓજી અને એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ટુકડીઓ પહોંચી હતી.
જેમાં પોલીસને પગલે આતંકીઓ બોટમાં ચડીને ભાગવા જતા પોલીસે હાઈજેક કરેલી બોટને છોડાવી ચાર આતંકીને ઝડપી લઈને હથિયાર અને આરડીએક્સ પેકેટ સાથે ઝડપી લીધા હતા.આ આતંકી હુમલા કે ષડ્યંત્ર જેવી સ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ અને પોલીસની ટુકડીઓ કેટલી સજ્જ છે. તે જાણવા મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં પોલીસ ટુકડીઓએ વિલંબ કર્યા વિના ઓપરેશન પાર પાડ્યું હતું.