ETV Bharat / state

પાઈપલાઈનના મુદ્દે હળવદના ખેડૂતોનો હલ્લાબોલ, સિંચાઈના પાણી માટે સમસ્યા ઉભી થવાના એંધાણ

હળવદના ખેડૂતોને સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી તો આપવામાં આવે છે, પરંતુ ખેડૂતો સુધી પુરતું પ્રમાણમાં પહોંચતું નથી. જેથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. હળવદના બ્રાહ્મણી-2 ડેમ 276 કરોડની પીવાના પાણીની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ત્રણ જિલ્લાને મળવાનો છે. મોરબી અને હળવદ તાલુકાના 30 ગામના ખેડૂતોએ આ યોજનાનો વિરોધ કર્યો હતો. તેમણે આ પાઈપલાઈનનું કામ પણ બંધ કરાવ્યું હતું.

author img

By

Published : Jan 27, 2020, 5:07 PM IST

Updated : Jan 27, 2020, 6:05 PM IST

farmer opposed of pipeline upto the bharat nagar on brahmani dam-2 in halvad
ખેડૂતોએ પાણીની પાઈપલાઈનનો વિરોધ કર્યો

મોરબીઃ હળવદના બ્રાહ્મણી-2 ડેમ પર રાજ્ય સરકાર દ્વારા 276 કરોડના ખર્ચે બ્રાહ્મણી-2 ડેમથી ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે. મોરબી તેમજ હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી-2 ડેમમાંથી પાણી આપવા આવે છે.

ખેડૂતોએ પાણીની પાઈપલાઈનનો વિરોધ કર્યો

સોમવારે મોરબી અને હળવદના 30 ગામના ખેડૂતો ડેમ સાઈટ પર એકઠા થયા હતા. પીવાના પાણીની પાઈપલાઈનનું ચાલતું કામ બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ માગ કરી હતી કે, આ પ્રોજેક્ટથી ખેડૂતોને એક પણ ટીપું પાણી નહીં મળે. જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી-2 ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી આવશે જેનો ફાયદો ખેડૂતોને પણ થશે.

બ્રાહ્મણી ડેમ -2માં પાણીમાં સિચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવતું હતું. જે પાણી પણ અપૂરતું હતું. હવે જો આ પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવશે, તો સિંચાઈ માટે પાણી મળી શકશે નહીં. ખેડૂતની જમીન પણ કપાતમાં જાય છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થતિનું સર્જન થશે અને ખેડૂતો પાણીની પાઈપલાઈનનો વિરોધ નથી કરતા, પણ આ પ્રોજેક્ટથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂત કરશે શું? તેવું ખેડૂતોનું કહેવું છે.

બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે, તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધી પાણીની પાઈપલાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહીં અને આગામી ઉનાળુ સિઝન આવી રહી છે. આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકાશે નહીં. દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ કથળી રહી છે.

મોરબીઃ હળવદના બ્રાહ્મણી-2 ડેમ પર રાજ્ય સરકાર દ્વારા 276 કરોડના ખર્ચે બ્રાહ્મણી-2 ડેમથી ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે. મોરબી તેમજ હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી-2 ડેમમાંથી પાણી આપવા આવે છે.

ખેડૂતોએ પાણીની પાઈપલાઈનનો વિરોધ કર્યો

સોમવારે મોરબી અને હળવદના 30 ગામના ખેડૂતો ડેમ સાઈટ પર એકઠા થયા હતા. પીવાના પાણીની પાઈપલાઈનનું ચાલતું કામ બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ માગ કરી હતી કે, આ પ્રોજેક્ટથી ખેડૂતોને એક પણ ટીપું પાણી નહીં મળે. જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી-2 ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી આવશે જેનો ફાયદો ખેડૂતોને પણ થશે.

બ્રાહ્મણી ડેમ -2માં પાણીમાં સિચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવતું હતું. જે પાણી પણ અપૂરતું હતું. હવે જો આ પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવશે, તો સિંચાઈ માટે પાણી મળી શકશે નહીં. ખેડૂતની જમીન પણ કપાતમાં જાય છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થતિનું સર્જન થશે અને ખેડૂતો પાણીની પાઈપલાઈનનો વિરોધ નથી કરતા, પણ આ પ્રોજેક્ટથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂત કરશે શું? તેવું ખેડૂતોનું કહેવું છે.

બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે, તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધી પાણીની પાઈપલાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહીં અને આગામી ઉનાળુ સિઝન આવી રહી છે. આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકાશે નહીં. દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ કથળી રહી છે.

Intro:gj_mrb_01_dem_khedut_virodh_visual_pkg_gj10004
gj_mrb_01_dem_khedut_virodh_bite_pkg_gj10004
gj_mrb_01_dem_khedut_virodh_photo_pkg_gj10004
gj_mrb_01_dem_khedut_virodh_script_pkg_gj10004
લોકેશન : હળવદ
gj_mrb_01_dem_khedut_virodh_pkg_gj10004
Body:એન્કર
ખેડૂતોને સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી તો આપવામાં આવે છે પરંતુ ખેડૂતો સુધી પુરતું પાણી પહોચતું નથી જેથી ખેડૂતો દુખી થાય છે તો હળવદના બ્રાહ્મણી ૨ ડેમ ૨૭૬ કરોડની પીવાના પાણીની યોજના શરુ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ ત્રણ જિલ્લાને મળનાર છે ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ૩૦ ગામના ખેડૂતોએ આ યોજનાનો વિરોધ કર્યો હતો અને કામ બધ કરાવ્યું હતું

વીઓ ૦૧
હળવદના બ્રાહ્મણી ૨ ડેમ પર રાજય સરકાર દ્વારા ૨૭૬ કરોડના ખર્ચે બ્રાહ્મણી ૨ ડેમથી ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરુ કરવામાં આવે છે જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે પરંતુ મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી ૨ ડેમ માંથી પાણી આપવા આવે છે તો આજે મોરબી-હળવદ ૩૦ ગામના ખેડૂતો ડેમ સાઈટ પર એકઠા થયા હતા અને પીવાના પાણીની પાઈપલાઈનના ચાલતું કામ બંધ કરાવી વિરોધ કર્યો હતો અને માંગ કરી હતી કે આ પ્રોજેક્ટથી ખેડૂતોને એક પણ ટીપું પાણી નહિ મળે અને જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી ૨ ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી પણ આવશે અને ફાયદો પણ થશે
વીઓ ૦૨
બ્રાહ્મણી ડેમ -2 માં પાણીમાં સિચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવતું હતું તે પણ અપૂરતું હતું અને હવે જો આ પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવશે તો સિંચાઈ માટે પાણી મળી શકશે નહિ અને ખેડૂતની જમીન પણ કપાતમાં જાય છે જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થતિનું સર્જન થશે અને અમે પાણીની પાઈપલાઈનનો વિરોધ નથી કરતા પણ આ પ્રોજેક્ટથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહિ મળે તો ખેડૂત કરશે શું તેમ ખેડૂતોએ જણાવ્યું હતું
બાઈટ ૦૧ : જગદીશભાઈ, ખેડૂત
વીઓ ૦૩

         બ્રાહ્મણી ૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધીની પાણીની લાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહિ અને આગામી ઉનાળુ સીઝન આવી રહી છે તો આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકશે નહિ અને દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થતી જઈ રહી છે
બાઈટ ૦૨ : કેતનભાઈ ચારોલા, ખેડૂત
બાઈટ ૦૩ : રવિ કાલરીયા, ખેડૂત
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
Last Updated : Jan 27, 2020, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.