બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપરના પૃથ્વીરાજસિંહ ઉર્ફે રઘુભા જામભા જાડેજાએ તેના મિત્ર મનસુખ મોહન પરમાર વર્ષ ૨૦૧૮માં ૩ લાખની રકમ હાથ ઉછીના આપ્યા હોય અને બદલામાં તેને આપેલો ચેક રીટર્ન થતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ એડવોકેટ અશ્વિન બડમલીયા મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. જે અંગેનો કેસ આર એમ કલોતરાની કોર્ટમાં ચાલી જતા શનિવારના રોજ કોર્ટે આરોપી મનસુખ મોહન પરમારને દોષિત ઠેરવી છ માસની સજા સંભળાવી છે, તેમજ ફરિયાદીને ૩,૨૭,૦૦૦ રૂપિયા વળતર પેટે ચુકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
![મનસુખ મોહન પરમાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-mrb-08-06jul-cheque-return-court-judgement-script-av-ravi_06072019182513_0607f_1562417713_563.jpg)